________________
ચક્રવર્તી – સામાન્ય
૧ ૩૭
– પ્રત્યેક ચક્રવર્તીને ૯૬-૯૬ કરોડ ગામ હોય છે, ૭૨,૦૦૦ શ્રેષ્ઠ નગર હોય છે. ૪૮,૦૦૦ પટ્ટણ હોય છે.
સમ. ૧૨૬, ૧૫૦, ૧૭૫; – નિધિરત્ન :
જેબૂદ્વીપમાં કુલ કેટલાં નિધિરત્ન છે ? ગૌતમ ! બધાં મળીને ૩૦૬ નિધિરત્નો હોય છે. જંબૂદ્વીપમાં કેટલા નિધિરત્ન ઉપભોગમાં આવે છે ? ગૌતમ ! જઘન્યથી ૩૬ અને ઉત્કૃષ્ટથી ૨૭૦ નિધિરત્નો પરિભોગમાં આવે છે. (તે આ પ્રમાણે – ચક્રવર્તી વિજય ૩૪ છે. નિધિરત્નો નવ હોય છે. તેથી ૩૪ X ૯ = ૩૦૬ થશે. જઘન્ય ચક્રવર્તી ૪ X ૯ = ૩૬ અને ઉત્કૃષ્ટ ચક્રવર્તી ૩૦ X ૯ = ૨૭૦ નિધિરત્નો ઉપયોગમાં આવે.)
– જંબૂ. ૩૬૦; પ્રત્યેક મહાનિધિ આઠ ચક્ર પર પ્રતિષ્ઠિત હોય છે. ઊંચાઈમાં આઠ યોજન હોય છે. પ્રત્યેક મહાનિધિ નવ-નવ યોજન પહોળી હોય છે. પ્રત્યેક ચાતુરંત ચક્રવર્તીને નવ મહાનિધિઓ હોય છે. – ઠાણ. ૭૦૨, ૮૧૫,
નવ નિધિનું વર્ણન ભરત ચક્રવર્તી કથાનક મુજબ જાણવું. - ઠાણ. ૮૧૬–૮૩૯; – ચૌદરત્ન :
પ્રત્યેક ચાતુરંગ ચક્રવર્તી ચૌદ રત્નોના સ્વામી હોય છે. જેમાં સાત એકેન્દ્રિય રત્નો અને સાત પંચેન્દ્રિય રત્નો હોય છે. એકેન્દ્રિય રત્નો આ પ્રમાણે :- ૧. ચક્રરત્ન, ૨. છત્રરત્ન, 3. ચામરરત્ન, ૪. દંડરત્ન, ૫. અસિરત્ન, ૬. મણિરત્ન, ૭. કાકિણીરત્ન. પંચેન્દ્રિય રત્નો આ પ્રમાણે :– ૧. સેનાપતિરત્ન, ૨. ગાથાપતિ રત્ન, 3. વર્ધકિરન, ૪. પુરોહિતરત્ન, ૫. સ્ત્રીરત્ન, ૬. અશ્વરત્ન, ૭. હસ્તિરન. – ઠાણ. ૬૫૭, સમ. ૨૭;
હે ભગવન્! જંબૂતીપમાં કુલ કેટલાં એકેન્દ્રિય રત્ન હોય છે ? ગૌતમ ! બધાં મળીને ૨૧૦ એકેન્દ્રિય રત્નો હોય છે. હે ભગવન્! જંબૂદ્વીપમાં કેટલા એકેન્દ્રિય રત્નો પરિભોગમાં આવે છે ? ગૌતમ ! જઘન્યથી ૨૮ અને ઉત્કૃષ્ટથી ૨૧૦ એકેન્દ્રિય રત્નો પરિભોગમાં આવે છે. જંબુદ્વીપમાં કેટલા પંચેન્દ્રિય રત્નો હોય છે ? ગૌતમ ! ૨૧૦ પંચેન્દ્રિય રત્નો હોય છે. જંબૂદ્વીપમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી કેટલાં રત્નો પરિભોગમાં આવે છે ? ગૌતમ ! જઘન્યથી ૨૮ અને ઉત્કૃષ્ટથી ૨૧૦ પંચેન્દ્રિય રત્નો પરિભોગમાં આવે છે. (આ સંખ્યા આ રીતે સમજવી – જઘન્યથી ચાર ચક્રવર્તી હોય અને ઉત્કૃષ્ટથી ૩૦ ચક્રવર્તી હોય છે. તેથી ૪ x ૭ = ૨૮ અને ૩૦ x ૭ = ૨૧૦ રત્નો ઉપભોગમાં આવે). જંબૂ. ૩૬૦; - ચક્રવર્તીનો સર્વ વૈભવ :
અસુરો, સુરો, તિર્યંચો અને મનુષ્યો સંબંધિ ભોગોમાં રતિપૂર્વક વિહારમાં પ્રવૃત્ત, સુરેન્દ્રો અને નરેન્દ્રો દ્વારા સત્કૃત, દેવલોકમાં દેવેન્દ્ર સદશ, ભરતક્ષેત્રમાં હજારો પર્વતો, નગરો, નિગમો, જનપદો, પુરવરો, દ્રોણમુખો, ખેડ, કર્મટો, છાવણીઓ, પત્તનો વડે સુશોભિત, સુરક્ષિત, સ્થિર લોકોના નિવાસવાળી, એક છત્ર અને સમુદ્રપર્યત પૃથ્વીનો ઉપભોગ કરીને ચક્રવર્તી – જે નરસિંહ છે, નરપતિ છે, નરેન્દ્ર છે, નરવૃષભ છે - તે સ્વીકાર કરેલ ઉત્તરદાયિત્વને નિભાવવામાં સમર્થ છે. જે મરભૂમિના વૃષભની સમાન, અત્યધિક રાજdજરૂપી લક્ષ્મી વડે દેદીપ્યમાન છે, જે સૌમ્ય અને નિરોગી છે, રાજવંશોમાં તિલકની સમાન છે.
જે સૂર્ય, ચંદ્ર, શંખ, ચક્ર, સ્વસ્તિક, પતાકા, યવ, મત્સ્ય, કાચબો, રથ, ભગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org