________________
ચક્રવર્તી – ભરત કથા
તલવાળું, બાર ખૂણાવાળું, આઠ કિનારાવાળું, અધિકરણ આકારવાળું કાકિણી રત્ન હાથમાં લીધું, હાથમાં લઈને ઋષભકૂટ પર્વતના પૂર્વ તરફના કટક પર પોતાનું નામ લખ્યું. અવસર્પિણી કાળના ત્રીજા આરાના અંતિમ સમયમાં હું ભરત નામનો ચક્રવર્તી થયો છું. હું પ્રથમ રાજા છું, સમસ્ત ભરતનો અધિપતિ અને નરવરેન્દ્ર છું. મારો કોઈ પ્રતિશત્રુ નથી. મેં સમગ્ર ભારત વર્ષને જીતી લીધું છે. એ પ્રમાણે પોતાનું નામ લખે છે. ૦ ભરતનું વૈતાઢ્ય ગમન અને સ્ત્રીરત્નની પ્રાપ્તિ :
નામ લખ્યા પછી રથને પાછો વાળે છે. વાળીને જ્યાં પડાવ હતો, જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, ત્યાં આવે છે, આવીને – યાવત્ – લઘુહિમવંત ગિરિકુમારદેવના અષ્ટાલિક મહામહોત્સવ સંપન્ન થયા પછી દિવ્યચક્રરત્ન આયુધઘરશાળામાંથી બહાર નીકળ્યું, નીકળીને – યાવત્ – દક્ષિણ દિશા તરફના વૈતાઢ્ય પર્વતની સામેની દિશામાં ચાલ્યું, ત્યારે તે ભરતરાજા તે દિવ્યચક્રરત્નનું અનુગમન કરતા – યાવત્ – વૈતાય પર્વતના ઉત્તર ભાગ તરફ આવ્યા. આવીને વૈતાદ્ય પર્વતના ઉત્તર ભાગમાં બાર યોજના લાંબો, નવ યોજન પહોળો પડાવ નાંખ્યો – યાવત્ – પૌષધશાળામાં પ્રવેશ કર્યો – યાવત્ – નમિ અને વિનમિ નામના વિદ્યાધર રાજાના ઉપલક્ષમાં અઠમતપ ગ્રહણ કર્યો – યાવત્ – નમિ અને વિનમિ વિદ્યાધર રાજાઓને મનમાં ધારણ કરતો રહેવા લાગ્યો.
ત્યારપછી જ્યારે ભરતરાજાનો અઠમ તપ પૂરો થયો ત્યારે નમિ અને વિનમિ વિદ્યાધર રાજા પોતાની દિવ્યમતિથી પ્રેરાઈને બંને એકબીજાની પાસે આવ્યા. આવીને આ પ્રકારે બોલ્યા – હે દેવાનુપ્રિય ! જંબૂદીપ નામનો હીપના ભરતવર્ષ ક્ષેત્રમાં ચાતુરંત ચક્રવર્તી ભરત નામનો રાજા ઉત્પન્ન થયો છે. અતીત–વર્તમાન અને અનાગત કાળના વિદ્યાધર રાજાઓનો આ પરંપરાગત આચાર છે કે, ચક્રવર્તીનું સન્માન કરવું જોઈએ. હે દેવાનુપ્રિય! ચાલો આપણે પણ ભરતરાજાનું સન્માન કરીએ. એવું વિચારી દિવ્યમતિ પ્રેરિત એવો વિનમિ વિદ્યાધર, ચક્રવર્તીની સમૃદ્ધિને જાણીને માનોન્માન પ્રમાણ શરીર ધારિણી, તેજસ્વી, રૂપ-લક્ષણ યુક્ત, સ્થિર યૌવના, અવસ્થિત વાળ અને નખવાળી, સમસ્ત રોગ નાશિની, બળ—પુષ્ટિ દાયિકા, ઇચ્છિત શીતોષ્ણ સ્પર્શવાળી (એવી કન્યા), “સ્ત્રીરત્ન”ને સાથે લીધી.
– (તે કન્યા) ત્રણ સ્થાનોમાં કૃશ હતી–કટિપ્રદેશ, ઉદર અને હનુ. ત્રણ સ્થાનોમાં લાલ હતી – હોઠ, તાલુ અને હાથપગના તળીયા. તેનો કમરનો મધ્યભાગ ત્રિવલીયુક્ત હતો. તેના ત્રણ અંગ ઉન્નત્ત હતા – સ્તન, જઘન, યોનિ, ત્રણ અંગ ગંભીર હતા – નાભિ, સત્વ અને સ્વર, ત્રણ અંગ શ્યામ વર્ણના હતા – રોમરાજી, સ્તનની ડીંટડી, આંખની કીકી, ત્રણ અંગ શ્વેત, ત્રણ અંગ પ્રલંબ અને ત્રણ અંગ વિસ્તારવાળા હતા.
તેનું શરીર સમચતુરઢ સંસ્થાનવાળું હતું. ભરતક્ષેત્રની બધી સ્ત્રીઓમાં સર્વોત્તમ હતી. તેના સ્તન, જઘન, કમરની નીચેના ભાગ, હાથ, પગ ઘણાં જ સુંદર હતા. નેત્ર, માથાના વાળ, હોઠ રતિ ઉત્પન્ન કરનાર હતા. મનોહર હતા. શ્રૃંગાર અને આકાર ચિત્ત આકર્ષક હતા. તે લોકવ્યવહારમાં કુશળ હતી. પોતાના સૌંદર્ય દ્વારા દેવાંગનાના રૂપને પણ
ઝાંખુ પાડતી હતી. યૌવનસંપન્ના એવી સુભદ્રા નામક સ્ત્રીરત્નને (વિનમિ વિદ્યાધર, ચક્રવર્તી Jain Pર પn |ternational
Jain
International
For Private & Personal Use Only
www.jainelibrary.org