________________
૬૪
આગમ કથાનુયોગ-૨
સ્વીકાર કરે છે. સ્વીકારીને તે આવા કિરાતોને આ પ્રમાણે કહ્યું, હે (નગરજનો !) હવે તમે અમારી બાહુની છાયાનો સ્વીકાર કર્યો છે. તેથી તમે નિર્ભય અને ઉદ્વેગરહિત થાઓ. સુખપૂર્વક રહો. તમારે કોઈ ભય રાખવાની જરૂર નથી. એ પ્રમાણે કહીને તેઓનો સત્કાર કર્યો, સન્માન કર્યું. સત્કાર અને સન્માન કરીને તેઓને વિદાય કર્યા
- ત્યારપછી ભરતરાજાએ સુષેણ સેનાપતિને બોલાવ્યો. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તું જા અને ફરીથી પશ્ચિમ તરફના સિંધુસાગર અને પર્વતની મર્યાદા સુધીના ભૂભાગના સમવિષમ નિષ્ફટોને તમારે અધિન કરો. અધિન કરીને તેમના અગ્ર ઉત્તમ રત્નાદિ પ્રાપ્ત કરો. પ્રાપ્ત કરીને જલ્દીથી મારી આજ્ઞાપૂર્તિ થયાની મને સૂચના આપો. ત્યારે ભરતરાજાની આજ્ઞા પામીને તે સેનાપતિએ પૂર્વે કહેલા વિધાન અનુસાર બીજી વખત પશ્ચિમ તરફના સિંધુસાગર અને પર્વતની મર્યાદા સુધીના સમવિષમ નિકૂટોને તે પ્રમાણે (પૂર્વે વર્ણન કર્યા પ્રમાણે) પોતાને અધિન કર્યા. કરીને – યાવત્ - પાંચ પ્રકારના કામભોગોને અનુભવતો આનંદથી વિચરે છે. ૦ લઘુહિમવંત ગિરિકુમાર પર વિજય :
ત્યારે કોઈ એક દિવસે તે દિવ્ય ચક્રરત્ન આયુધધરશાળાથી બહાર નીકળ્યું. નીકળીને અંતરિક્ષમાં ઊંચે સ્થિત થયું – યાવત્ – વાયવ્ય દિશામાં લઘુ હિમવંત પર્વત તરફ ગમન કરવા લાગ્યું. ત્યારે તે ભરતરાજા તે દિવ્યચક્રરત્નનું અનુગમન કરતા – થાવત્ – લઘુ હિમવંત પર્વતથી બહુ દૂર નહીં, બહુ નજીક નહીં એવા સ્થાને બાર યોજના લાંબો, નવયોજન પહોળો પડાવ નાખ્યો – યાવત્ – લઘુ હિમવંત ગિરિકુમાર દેવના નિમિત્તે અઠમતપને ગ્રહણ કર્યો. અહીં બધું જ કથન માગધકુમાર દેવ અનુસાર સમજી લેવું – યાવત્ – સમુદગર્જના સમાન નિનાદ કરતા (તે રાજા) ઉત્તર દિશા-અભિમુખ જ્યાં લઘુ હિમવંત વર્ષધર પર્વત છે ત્યાં આવ્યો.
– આવીને લઘુ હિમવંત વર્ષધર પર્વતને ત્રણ વખત રથના શિખરના અગ્રભાગથી સ્પર્શ કર્યો. સ્પર્શ કરીને રથના ઘોડાને ઉભા કર્યા. ઊભા કરીને પૂર્વે માગધતીર્થના વર્ણનમાં કહ્યા મુજબ – યાવત્ – એક ધનુષ લઈને વિશાળ બાણને કાન સુધી ખેંચ્યું – યાવતું – રાજા ભરત દ્વારા જોડાયેલ તે બાણ શીઘ્રતાથી બોંતેર યોજન સુધી જઈને લઘુ હિમવંત ગિરિકુમાર દેવની મર્યાદામાં જઈને પડ્યું. ત્યાર પછી લઘુ હિમવંત ગિરિકુમાર દેવ પોતાની સીમામાં પડેલા બાણને જુએ છે. જોઈને ક્રોધાભિભૂત થયો, રોષાયમાન થયો – યાવતું – (માગધ તીર્થકુમાર દેવની માફક) પ્રીતિદાન, સર્વ ઔષધી, માળા, ગોશીષ ચંદન અને કટક - યાવત્ – કહજળને ગ્રહણ કરે છે. કરીને ઉત્કૃષ્ટ ગતિથી થાવત્ ઉત્તરમાં લઘુ હિમવંતગિરિની મર્યાદામાં (આવીને બોલ્યો) હવે હું આપનો દેશવાસી, પ્રજાજન છું – યાવત્ – હું આપ દેવાનુપ્રિયના ઉત્તર દિશાનો અંતપાલ છું – યાવત્ – વિદાય આપી. ૦ કાકણી રત્ન દ્વારા નામ લેખન :
તે કાળે ભરતરાજાએ પોતાના ઘોડા ઊભા રાખ્યા. રાખીને રથને પાછો વાળ્યો. પછી જ્યાં ઋષભકૂટ પર્વત છે ત્યાં આવ્યા. આવીને ત્યાં રથના અગ્રભાગથી ત્રણ વખત ઋષભકૂટ પર્વતનો સ્પર્શ કર્યો. સ્પર્શ કરીને ઘોડાને ઊભા રાખ્યા. ઊભા રાખીને છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org