________________
ચક્રવર્તી – ભરત કથા
૬૩
થાવત્ – હી શ્રી વગરના, શું તમે જાણતા નથી કે તમે, મહાત્ ઋદ્ધિશાળી ચતુર દિગવ્યાપી પૃથ્વીના સ્વામી ભરતરાજાને – યાવત્ – ઉપદ્રવ કરવાને, પાછા હટાવવાને તત્પર થયા છો. તેમજ તમે ભરતરાજાની છાવણી પર મુશળધાર વરસાદ સાત રાતદિવસથી વરસાવી રહ્યા છો. તમે જે કર્યું તે ઠીક છે પણ હવે તેને રોકીને જલ્દી પાછા ખસી જાઓ. નહીં તો આજે જ બીજા લોકને જોશો – મૃત્યુ પામશો. ૦ આવાડ કિરાતોનું ભરતના શરણે જવું :
ત્યારે તે મેઘમુખનાગકુમાર દેવો, પે'લા ૧૬,૦૦૦ દેવોની આ વાત સાંભળી ભયભીત, ગ્રસિત, વ્યથિત અને ઉદ્ધગત્રસ્ત થઈ ગયા. ભય પામેલા તેઓએ મેઘસૈન્યનું સંહરણ કરી લીધું – વર્ષાબંધ કરી, કરીને જ્યાં આવાડ ચિલાત લોકો હતા ત્યાં આવ્યા. આવીને આવા કિરાતોને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તે ભરતરાજા મહા ઋદ્ધિવાનું છે – યાવત્ – તેને કોઈ દેવ કે દાનવ – યાવતું – અગ્નિપ્રયોગ દ્વારા – યાવત્ – ઉપદ્રવ કરવા કે રોકવામાં કોઈ સમર્થ નથી. તો પણ હે દેવાનુપ્રિયો ! તમારા હિતને માટે અમે ભરતરાજા પર ઉપસર્ગ કર્યો. હે દેવાનુપ્રિયો ! હવે તમે જાઓ. સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કરી, ભીના વસ્ત્રનો કટિપ્રદેશે કછોટો બાંધી, ઉત્તમરત્નો લઈને હાથ જોડી પગમાં પડી ભરતરાજાનું શરણું ગ્રહણ કરો. ઉત્તમ પુરુષો નમ્ર થઈ શરણે આવેલા પ્રતિ વાત્સલ્યભાવવાળા હોય છે. ભરતરાજા તરફથી કોઈ ભય રાખશો નહીં. એમ કહી જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ગયા.
ત્યારપછી મેઘમુખ નાગકુમાર દેવોની આ વાત સાંભળીને તે આવાડ કિરાતો પોતપોતાના સ્થાનેથી ઊભા થયા. ઊભા થઈને સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યું. ભીના વસ્ત્રનો કછોટો બાંધ્યો. પોતાની પાસેના અગ્ર અને ઉત્તમ રત્નો લઈને
જ્યાં ભરતરાજા હતા ત્યાં પહોંચ્યા. પહોંચીને બંને હાથ જોડી – યાવત્ – મસ્તકે અંજલિ કરીને જય-વિજય શબ્દોથી વધાવ્યા. વધાવીને અગ્ર અને ઉત્તમ રત્નો ભેટ ભર્યા ભેટ ધરીને આ પ્રમાણે બોલ્યા – હે વસુધર, ગુણધર, જયધર ! હી શ્રી બુદ્ધિ અને કીર્તિના ધારક નરેન્દ્ર ! હજારો સુલક્ષણના ધારક ! અમારા આ રાજ્યને ચિરકાળ સુધી ધારણ કરો. હે અશ્વપતિ, ગજપતિ, નરપતિ, નવનિધિપતિ, ભરત ક્ષેત્રના પ્રથમ અધિપતિ, બત્રીસ હજાર જનપદના સ્વામી ! તમે ચિરંજીવી થાઓ.
હે પ્રથમ નરેશ્વર, ઈશ્વર, હજારો સ્ત્રીઓના હૃદયના સ્વામી, લાખો દેવોના ઈશ્વર, ચૌદ રત્નોના અધિપતિ, યશસ્વી ! સમુદ્ર અને પર્વતોની સીમાપર્યતના ઉત્તર અને પશ્ચિમનું સર્વક્ષેત્ર તમે જીતી લીધું છે. તેથી હે દેવાનુપ્રિયો ! હવે અમે આપના દેશના નિવાસી છીએ. અહો આપ દેવાનુપ્રિયના ઋદ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ, દિવ્ય દેવદ્યુતિ, દિવ્ય દેવાનુભાવ આપને લબ્ધપ્રાપ્ત અને અભિસમન્વાગત થયા છે. તે અમે નજરે જોયું. હે દેવાનુપ્રિય ! અમે આપની ક્ષમાયાચના કરીએ છીએ. હે દેવાનુપ્રિય ! અમને ક્ષમા આપો. આપ ક્ષમા કરવાને સમર્થ છો. હવે ફરીથી અમે આવું નહીં કરીએ. એમ કહીને હાથ જોડી, પગે પડી ભરતરાજાને શરણે ગયા.
ત્યારપછી તે ભરતરાજા તે આવાડ-કિરાતોએ લાવેલા અગ્ર ઉત્તમ રત્નોની ભેટનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org