SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ આગમ કથાનુયોગ-૨ ભૂજાઓના વિસ્તાર જેટલું હતું. કુમુદ વન સદશ ધવલ હતું. તે રાજા ભરતના જંગમ વિમાન સદેશ હતું. સૂર્યના આતપ, તોફાન, વર્ષા આદિ દોષોનું વિનાશક હતું. પૂર્વજન્મમાં આચરિત તપ અને પુણ્યકર્મના ફળસ્વરૂપ તે પ્રાપ્ત હતું. તે છત્રરત્ન અહત–અખંડ હતું. ઐશ્વર્ય આદિ અને ગુણોનું પ્રદાયક હતું. હેમંત આદિ ઋતુઓમાં તદ્વિપરીત સુખપ્રદ છાયા આપતું હતું. છત્રોમાં ઉત્કૃષ્ટ અને પ્રધાન હતું. અલ્પપુણ્ય પુરુષોને માટે દુર્લભ હતું. તે છત્રરત્ન છ ખંડોના અધિપતિ ચક્રવર્તી રાજાઓના પૂર્વાચરિત તપના ફળના એક ભાગરૂપ હતું. દેવયોનિમાં પણ અત્યંત દુર્લભ હતું. તેના પર ફૂલોની માલા લટકતી હતી. તે શરઋતુના ધવલ મેઘ તથા ચંદ્રમાના પ્રકાશ સમાન ભાસ્વર હતું. એક હજાર દેવોથી અધિષ્ઠિત હતું. રાજા ભરતનું તે છત્રરત્ન એવું લાગતું હતું. જાણે ભૂતલ પર પરિપૂર્ણ ચંદ્રમંડલ હોય ત્યાર પછી જ્યારે તે છત્રરત્નને ભરતરાજાએ હાથમાં લીધું ત્યારે જલ્દીથી તે કિંચિંતુ અધિક બાર યોજન તિર્જી ફેલાઈ ગયું. ત્યાર પછી ભરતરાજાએ તે છત્રરત્નને છાવણી ઉપર સ્થાપિત કર્યું. સ્થાપિત કરીને મણિરત્નને હાથમાં ગ્રહણ કર્યું ઇત્યાદિ – થાવત્ – છત્રરત્નના અંદરના ભાગમાં રાખ્યું. - રાજાભરત સાથે ગાથાપતિરત્ન હતો. તે પોતાની અનુપમ વિશેષતા યુક્ત હતો. શિલા જેવા અતિ સ્થિર ચર્મરત્ન પર વાવવા માત્રથી ચોખા, જઉ, ઘઉં, મગ, અડદ, તલ, કળથી, સાઠી, નિષ્પાવ, ચણા, કોદરા, કોથમીર, કાંગ, વરક, રાલક, વરણ, દૂધી, કાકડી, ભાજી, તુંબક, બિજોર, કટહલ, આમ, આંબલી આદિ સર્વે ફળ, શાકભાજી આદિ પદાર્થોને ઉત્પન્ન કરવામાં કુશળ હતો. તે ગાથાપતિએ તે દિવસે વાવેલા પાકેલ, સાફ કરેલ બધાં પ્રકારના ધાન્યોના હજારો કુંભ રાજા ભરતને સમર્પિત કર્યા. રાજા ભરત તે ભીષણ વર્ષા સમયે ચર્મરત્ન પર આરૂઢ રહ્યા, છત્રરત્ન દ્વારા આચ્છાદિત રહ્યા. મણિરત્ન દ્વારા કરાયેલા પ્રકાશમાં રાત-દિવસ રાત્રિ સુખપૂર્વક સુરક્ષિત રહ્યો. તે સમયગાળામાં રાજા ભરતને તથા તેની સેના ભૂખથી પીડાઈ નહીં. તેઓએ દિનતાનો અનુભવ ન કર્યો. તેઓ ભયભીત કે દુઃખી ન થયા. ૦ દેવો દ્વારા નાગકુમારોને ભરતને શરણે જવા ઉપદેશ : ત્યાર પછી જ્યારે સાત દિવસ પૂરા થઈ ગયા ત્યારે તે ભરતરાજાને આવા પ્રકારનો વિચાર આવ્યો, ચિંતન થયું અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો – કોણ છે આ અનિષ્ટની અભિલાષા કરનાર, દુષ્ટ લક્ષણવાળો – યાવત્ – હી શ્રી થી વર્જિત કે જે આ પ્રકારની વિદનકારી પ્રવૃત્તિ દ્વારા જે મારી છાવણી પર મુશળધાર વર્ષા કરવાને માટે મારી સામે ઉભેલો છે. ત્યારે તે ભરતરાજાના આવા પ્રકારના સમુત્પન્ન વિચાર, ચિંતન અને મનોગત સંકલ્પને જાણીને ૧૬,૦૦૦ દેવ સહાયતા કરવાને માટે તૈયાર થઈ ગયા. ત્યારે તે દેવો શસ્ત્રાદિથી સજ્જિત થઈને યુદ્ધ માટે તૈયાર થયા. તેઓએ શરીર પર બખ્તર પહેર્યા, કવચ ધારણ કર્યા – યાવત્ – આયુધ અને પ્રહરણ હાથમાં લીધા, પછી જ્યાં મેઘમુખ નાગકુમાર દેવ હતા ત્યાં આવ્યા. આવીને મેઘમુખ નાગકુમાર દેવોને આ પ્રમાણે કહ્યું, અરે ! ઓ મેઘમુખ નાગકુમાર દેવો ! અનિષ્ટની અભિલાષા કરનારા – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy