SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રવર્તી – ભરત કથા ૬૧ શબ્દોથી વધાવ્યા. વધાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! આ કોણ અનિષ્ટની અભિલાષા કરવાવાળા દુરંત પ્રાંતલક્ષણવાળા – યાવત્ – હી – શ્રી પરિવર્જિત છે, જે અમારા દેશ પર આક્રમણ કરવાને માટે પોતાના પરાક્રમથી એકદમ આવી ચડ્યા છે. તો હે દેવાનુપ્રિયો! તમે એવું કરો કે જેથી તેઓ અમારા દેશ પર આક્રમણ કરવા અહીં આવી ન શકે. ત્યારે તે મેઘમુખ નાગકુમાર દેવોએ આવાડ કિરાતોને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! આ તો પૃથ્વીની ચારે અંતને સાધનાર મહાદ્ધિ, મહાદ્યુતિ – યાવત્ – મહાસૌખ્યવાળા ભરત નામના ચક્રવર્તી રાજા છે. કોઈ દેવ, દાનવ, કિન્નર, કિંમુરિષ, મહોરગ અથવા ગંધર્વ તેને અપ્રિયોગ અથવા મંત્રપ્રયોગ દ્વારા પણ કોઈ ઉપદ્રવ કરવા, રોકવા, ખસેડવા કે ઉદ્વેગ કરવા માટે સમર્થ નથી. તો પણ તમને પ્રિય થાય, સારું લાગે તે માટે અમે ભરતરાજાને ઉપસર્ગ કરીશું. એ પ્રમાણે કહીને તેઓ આવાડકિરાતો પાસેથી બીજે સ્થાને ચાલ્યા ગયા. ત્યાં જઈને તે દેવોએ વૈક્રિય સમુદ્દાત વડે સમુદઘાત કર્યો. સમુદ્ઘાત કરીને મેઘસેના વિકર્વીવિકર્વીને જ્યાં ભરતરાજાનો વિજય રૂંધાવાર નિવેશ હતો ત્યાં આવ્યા. આવીને વિજયઅંધાવાર નિવેશ ઉપર તત્કાળ તણ–તણ ધ્વનિ સાથે મેઘવર્ષા કરવા લાગ્યા. ચારે તરફ વીજળીઓ ચમકાવા લાગ્યા. વીજળી ચમકાવા સાથે યુગમુશલમુષ્ટિ પ્રમાણ – મુશળધાર વરસાદ વરસાવા લાગ્યા. આ રીતે સાત રાત્રિ પર્યન્ત વરસાદ વરસાવવામાં પ્રવૃત્ત થયા. ૦ છત્રરત્ન અને ગૃહપતિરત્ન દ્વારા સાત દિવસનો નિર્વાહ : પછી તે ભરત રાજા વિજય સ્કંધાવાર (-છાવણી) પર યુગ, મુસલ, મુષ્ટિ પ્રમાણ (મુશળધાર) વરસાદને સાત રાત-દિવસ વરસતો જુએ છે. એ પ્રકારે જોઈને ચર્મરત્નને હાથમાં લે છે. હાથમાં લેતા તે ચર્મરત્ન શ્રીવત્સ સદશ આકાર ધારણ કરે છે. ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ જાણવું -- યાવત્ – તે ચર્મરત્ન તિછું બાર યોજનથી અધિક પ્રમાણ ફેલાઈ જાય છે ત્યારે તે ભરતરાજા અંધાવારની સેના સહિત ચર્મરત્ન પર ચઢી જાય છે. ચઢીને દિવ્ય છત્રરત્ન હાથમાં લે છે. તે છત્રરત્ન ૯૯,૦૦૦ સોનાની શલાકાથી પરિમંડિત હતું. તે મહામૂલ્યવાન અને અયોધ્યા હતું. તે છત્રનો દંડ નિર્વાણ, સુપ્રશસ્ત, વિશિષ્ટ, લષ્ટ, સુવર્ણનો અને મજબૂત હતો. ઘસીને ખૂબ જ નિગ્ધ બનાવેલ હતો અને સુંદર રજતકમળના કિનારા જેવો હતો. છત્રના બરાબર મધ્યમાં દંડ લાગેલો હોવાથી તે પિંજરા જેવા આકારનું દેખાતું હતું. તેના પર વિવિધ પ્રકારના ચિત્રો બનેલા હતા. મણિ, મુક્તા, પ્રવાલ, તપ્ત સુવર્ણ, પાંચ પ્રકારના ચમકતા રત્નોનું બનેલ હતું. તેના પર માંગલિક ચિન્હોની રચના કરાઈ હતી. રત્નના કિરણોની કાંતિથી વિવિધ રંગોથી અનુરંજિત હતું. - આ છત્રરત્ન રાજ્યલક્ષ્મીના ચિન્હરૂપ હતું. તેનો પાછળનો ભાગ અર્જુન સુવર્ણના પતરાથી આચ્છાદિત હતો. તેની ચારે તરફ તપ્ત સુવર્ણના પટ્ટક જડેલા હતા. તે અધિક શોભા સંપન્ન હતું. શરદઋતુના ચંદ્ર સમાન વિમલ અને પ્રતિપૂર્ણ ચંદ્રમંડલ સમાન રૂપવાળું હતું. તેનો સ્વાભાવિક વિસ્તાર રાજા ભરત દ્વારા તિર્યક્ પ્રસારિત–પોતાની બંને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy