________________
આગમ કથાનુયોગ-૨
માપ ખડ્ઝ (અસિ) રત્નનું અધિકાધિક માપ હતું.
આવા ખત્રરત્નને નરપતિ પાસેથી લઈને તે સેનાપતિ જ્યાં આવાડકિરાત લોકો હતા ત્યાં પહોંચે છે. પહોંચીને આવારકિરાતો સાથે યુદ્ધ કરવામાં તે પ્રવૃત્ત થઈ ગયો. ત્યાર પછી તે સુષેણ સેનાપતિએ તે આવાડકિરાતોને આહત-મથિત કરી દીધા. મોટામોટા સુભટોને ઘાયલ કરીને – યાવતું – દિશા વિદિશામાં ભગાડી દીધા. ૦ આવાઇકિરાતોની પ્રાર્થનાથી મહામેઘ વર્ષા :
ત્યાર પછી સુષેણ સેનાપતિ દ્વારા આહત મથિત – યાવત્ – ભગાડી દેવાયેલા તે આવાઇકિરાત લોકો ભયગ્રસ્ત, ત્રસિત, વ્યથિત, ઉદ્વિગ્ન થઈ ગયા. ભયભીત થઈને આત્મવિશ્વાસહીન, બળહીન, વીર્યહીન, પુરુષાર્થ અને પરાક્રમહીન થઈ ગયા. હવે સામનો કરવો શક્ય નથી એમ વિચારીને અનેક યોજન દૂર ચાલ્યા ગયા. દૂર ભાગીને તેઓ એક
સ્થાને એકત્રિત થયા. એકત્રિત થઈને જ્યાં સિંધુ મહાનદી હતી ત્યાં આવ્યા. આવીને બાલ-રેતીની શય્યા બનાવી. બનાવી તેના પર બેઠા. બેસીને અઠમ તપ કર્યો. બાલ સંથારે બેસી – ઉર્ધ્વ મુખ થઈ, વસ્ત્રરહિત થઈ અઠમ તપ ધારી તેઓ પોતાના કુળદેવતા મેઘમુખનાયક નાગકુમાર દેવોનું સ્મરણ કરવા લાગ્યા.
ત્યાર પછી જ્યારે આવાડકિરાતોનો અઠ્ઠમ તપ પૂર્ણ થયો. ત્યારે મેઘમુખ નામક દેવોનું આસન ચલાયમાન થયું. પછી તે મેઘમુખ નામક નાગકુમાર દેવ પોતપોતાના આસનોને ચલાયમાન થતા જુએ છે. જોઈને અવધિજ્ઞાનનો યોગ મુકે છે. અવધિજ્ઞાન દ્વારા આવાઇ કિરાતોને જુએ છે. જોઈને એકબીજાને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જંબુદ્વીપના ઉત્તરાર્ધ ભરતવર્ષ ક્ષેત્રમાં સિંધુ મહાનદીના કિનારે બાલુ–રેતીના સંથારા પર અવસ્થિત, ઉર્ધ્વમુખ રહેલા, નિર્વસ્ત્રપણે અઠમતપના ધારક આવા કિરાત લોકો પોતાના કુળદેવતારૂપ આપણે મેઘમુખ નાગકુમાર દેવોને મનમાં ધારણ કરીને બેઠેલા છે. તો આપણે માટે એ શ્રેયસ્કર છે કે, આપણે તે આવા કિરાતો પાસે જઈએ.
– આ પ્રમાણે વિચારી તેઓએ એકબીજાની આ વાતને સ્વીકારી, સ્વીકારીને પોતાની ઉત્કૃષ્ટ, ત્વરિત ગતિથી – યાવત્ – ગમન કરતા કરતા જ્યાં જંબૂલીપ નામક દ્વિીપ હતો, ઉત્તરાર્ધ ભરતક્ષેત્ર હતું, જ્યાં સિંધુ મહાનદી હતી. જ્યાં આવાડ ચિલાત લોકો હતા ત્યાં આવ્યા. આવીને અંતરિક્ષમાં ઊંચે ઊભા રહીને, ઘૂંઘરુવાળા પંચરંગી વસ્ત્રોને સારી રીતે પહેરેલા તેઓએ આવા કિરાતોને આ પ્રમાણે કહ્યું, અહો આવા કિરાતો ! તમે લોકો બાલ-રેતીના સંથારા પર બેસીને, ઉર્ધ્વમુખ થઈ, નિર્વસ્ત્રપણે અઠમ તપ ધારણ કરી, કુળદેવતારૂપ મેઘમુખ નાગકુમાર દેવો એવા અમારું ધ્યાન કરો છો એટલે તમારા કુળદેવતારૂપ અમે મેઘમુખ નાગકુમારદેવ તમારી સન્મુખ પ્રગટ થયા છીએ. તો અમને કહો કે અમે તમારું કર્યું કાર્ય કરીએ અથવા તમે શું વિચારી રહ્યા છો?
ત્યાર પછી તે આવાડ કિરાત તે મેઘમુખ નાગકુમાર દેવોની આ વાતને સાંભળીને સમજીને હર્ષિત, સંતુષ્ટ અને આનંદિત મનવાળા થયા – યાવત્ – પ્રસન્ન હૃદયવાળા થઈને પોતાના સ્થાનેથી ઉડ્યા, ઉઠીને જ્યાં મેઘમુખ નાગકુમારદેવ હતા ત્યાં આવ્યા. આવીને બંને હાથ જોડી – ચાવતું મસ્તકે અંજલિ કરી મેઘમુખ નાગકુમાર દેવોને જય વિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org