________________
૬૬
માટે ભેટણા રૂપે લાવ્યો).
નમિ વિદ્યાધર રત્ન, કટક, ત્રુટિત, બાજુબંધને લઈને પોતાની ઉત્કૃષ્ટ, ત્વરિત યાવત્ – અતિ વેગવાનૢ વિદ્યાધરગતિથી જ્યાં ભરતરાજા હતો, ત્યાં પહોંચ્યો. પહોંચીને આકાશમાં ઊંચે સ્થિત થઈ ઘૂંઘરુવાળા વસ્ત્રો પહેર્યા યાવત્ – જયવિજય શબ્દોથી વધાવ્યા. વધાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે સમસ્ત ભરતક્ષેત્રને જીતી લીધું છે. તેથી અમે હવે આપ દેવાનુપ્રિયના આજ્ઞાકારી સેવક છીએ. એમ કહીને દેવાનુપ્રિય ! અમારા ઉપહારને સ્વીકાર કરો – યાવત્ – વિનમીએ સ્ત્રીરત્નને અને મિએ રત્ન આદિને સમર્પિત કર્યાં.
આપ
--
ત્યાર પછી તે ભરતરાજા યાવત્ – વિદાય આપે છે. વિદાય આપીને પૌષધશાળામાંથી બહાર નીકળે છે. નીકળીને સ્નાનગૃહમાં ગયા યાવત્ ભોજનમંડપમાં ગયા યાવત્ નમિ વિનમિ વિદ્યાધર રાજાઓના ઉપલક્ષમાં આઠ દિવસીય મહામહોત્સવ કર્યો.
૦ ગંગાદેવી તથા નટ્ટમાલક દેવ દ્વારા પ્રીતિષ્ઠાન :
ત્યાર પછી તે દિવ્યચક્રરત્ન આયુધઘરશાળાથી બહાર નીકળ્યું – યાવત્ – ઇશાન દિશા તરફ ગંગાદેવીના ભવન તરફ પ્રયાણ કર્યું. બાકી સર્વ કથન સિંધુદેવીની વક્તવ્યતા અનુસાર જાણવું – યાવત્ વિશેષ એટલું કે રત્નના આશ્ચર્યકારી ૮૦૦૦ કુંભ તથા મણિ, કનક અને રત્નોના અનેક પ્રકારના ચિત્રો જેના ઉપર બનેલા હતા તેવા બે સુવર્ણના સિંહાસન ગંગાદેવીએ અર્પણ કર્યા. શેષ પૂર્વવત્ – યાવત્ મહામહોત્સવ કર્યો.
–
ગંગાદેવીના ઉપલક્ષમાં આઠ દિવસીય મહામહોત્સવ સંપન્ન થયા બાદ તે દિવ્યચક્રરત્ન આયુધઘરશાળાથી બહાર નીકળ્યું. નીકળીને – યાવત્ – ગંગા મહાનદીના પશ્ચિમી કિનારેથી થઈને દક્ષિણ દિશામાં ખંડ પ્રપાત નામક ગુફાની સામે પહોંચ્યું. ત્યારે ભરતરાજા પણ યાવત્ – જ્યાં ખંડપ્રપાત ગુફા હતી ત્યાં આવ્યો. આવીને સર્વકથન કૃતમાલક દેવની વક્તવ્યતા અનુસાર જાણવું. વિશેષતા એટલી કે દેવનું નામ નટ્ટમાલક હતું. પ્રીતિદાનમાં અલંકાર, કટક આદિ સામગ્રી પૂર્વવત્ જાણવી યાવત્ - મહામહિમાવાળો આઠ દિવસીય ઉત્સવ કર્યો.
--
Jain Education International
―
--
-
આગમ કથાનુયોગ-૨
For Private & Personal Use Only
--
-
નટ્ટમાલક દેવ નિમિત્તનો આઠ દિવસીય મહોત્સવ સંપન્ન થયા પછી તે ભરતરાજાએ સુષેણ સેનાપતિને બોલાવ્યો. બોલાવીને – યાવત્ – સર્વ વર્ણન સિંધુનદીના વર્ણન અનુસાર જાણવું યાવત્ – ગંગા મહાનદીના પૂર્વ ભાગના નિષ્કુટપ્રદેશને ગંગાસાગર અને પર્વતની મર્યાદા પર્યંતના સમવિષમ નિકૂટ ક્ષેત્ર છે, તેને અધિન કરો. અધિન કરીને અગ્ર ઉત્તમ રત્નોને ભેટરૂપે સ્વીકાર કરે છે. સ્વીકારીને જ્યાં ગંગાનદી છે ત્યાં આવે છે. આવીને બીજી વખત પોતાના સ્કંધાવારના બળ—સેનાની સાથે નૌકા સમાન બનેલ ચર્મરત્ન દ્વારા વિમલજળની ઊંચી ઊંચી તરંગોવાળી ગંગાનદીને પાર કરે છે. પાર કરીને જ્યાં ભરતરાજાનો પડાવ હતો, જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી ત્યાં આવે છે. આવીને આભિષેક્ય હસ્તિરત્નથી નીચે ઉતરે છે. ઉતરીને અગ્ર ઉત્તમ રત્નો લઈને જ્યાં ભરતરાજા હતા ત્યાં આવે છે. આવીને બંને હાથ જોડી
યાવત્ – અંજલિ કરી
-
www.jainelibrary.org