________________
પ્રત્યેકબુદ્ધ – ઋષિભાષિત મુજબ
૩૩૯
૦ ઋષિભાષિત પયન્ના અનુસાર પ્રત્યેક બુદ્ધો :
(પારમાર્થિક ભાવથી જેમને આત્મબોધની – જ્ઞાનની સ્વયં પ્રાપ્તિ થઈ હોય તેમને પ્રત્યેક બુદ્ધ કહેવામાં આવે છે, જે માટે ઋષિભાષિત પયત્રામાં પીસ્તાળીશ અધ્યયન છે. પ્રત્યેક અધ્યયન અલગઅલગ પ્રત્યેક બુદ્ધનો નિર્દેશ કરે છે. જો કે વીસમા અધ્યયનના પ્રરૂપક એવા પ્રત્યેક બુદ્ધનો નામોલ્લેખ પ્રાપ્ત નથી. બાકીના પ્રત્યેક બુદ્ધને અમે અમારાદિ ક્રમે અહીં નોંધેલ છે) * કયા ભગવંતના તીર્થમાં કયા પ્રત્યેક બુદ્ધ થયા તે તેમના ક્રમાનુસાર કરેલું અમારું અનુમાન છે.
(૧) અંગિરસ ભારદ્વાજ :- ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં આ પ્રત્યેકબુદ્ધ થયા. જેનો ક્રમ ઋષિભાષિતમાં ચોથો છે તેનું નામ અંગરિસિ કે અંગિરિસિ પણ જોવા મળે છે. (શ્રમણ કથામાં પણ અંગર્ષિની કથા નોંધેલી છે. તે આ જ પ્રત્યેકબુદ્ધ છે કે બીજા મુનિ છે તે બહુશ્રુતે નક્કી કરવું)
(૨) આર્તક :- ભગવંત પાર્શ્વના તીર્થમાં થયેલા એક અન્યતીર્થિક સાધુ. જેનો ઉલ્લેખ ઋષિભાષિતમાં અઠાવીસમાં પ્રત્યેક બુદ્ધરૂપે થયો છે. (કદાચ તે ભ, મહાવીરના શાસનવાળા આદ્રક પણ હોય - કેમકે સૂયગડાંગ સૂત્ર ૭૩૮ની વૃત્તિમાં આર્દ્રકુમારનો પ્રત્યેકબુદ્ધ તરીકે ઉલ્લેખ છે જ.)
(૩) અદાલક :- ભગવંત પાર્થના તીર્થમાં થયેલા એક અન્યતીર્થિક સાધુ. જેનો ઉલ્લેખ ઋષિભાષિત્તમાં પાત્રીશમાં પ્રત્યેકબદ્ધરૂપે થયો છે. તેને ઔદ્દાલક પણ કહે છે.
(૪) અંબઇ :- ભગવંત પાર્શ્વના તીર્થમાં થયેલા એક પરિવ્રાજક, જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં પચ્ચીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયો છે. તેમને જોગંધરાયણ નામના વ્યક્તિ સાથે સંવાદ થયેલો હતો.
(૫) અરુણ :- મહાશાલના પુત્ર અને ભગવંત પાર્શ્વના તીર્થમાં થયેલા એક અન્યતીર્થિક સાધુ. જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં તેત્રીશમાં પ્રત્યેક બુદ્ધ રૂપે થયેલો છે.
(૬) અસિતદવિલ :– ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં ત્રીજા પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. તેનો અસિઅદેવલ નામે પણ ઉલ્લેખ જોવા મળેલ છે.
(૭) આર્યાયણ - ભગવંત-અરિષ્ટનેમિના તીર્થમાં થયેલા એક અન્યતીર્થિક સાધુ, જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં ઓગણીસમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે.
* (૮) ઇન્દ્રનાગ :- ભગવંત મહાવીરના તીર્થમાં થયેલા એક બાલતપસ્વી પરિવ્રાજક, જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં એકતાલીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. (તેમનું કથાનક આ અધ્યયનમાં જ આગળ આપેલ છે.)
(૯) ઋષિગિરિ :- ભગવંત પાર્શ્વના તીર્થમાં થયેલ એક બ્રાહ્મણ પરિવ્રાજક, જેમનો ઉલ્લેખ ચોત્રીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે.
(૧૦) ઉત્કલવાદી :- (ખરેખર આ નામ નથી, કેમકે વીસમાં અધ્યયનના પ્રરૂપકનું નામ પ્રાપ્ત થતું નથી. માત્ર પાંચ પ્રકારના ઉત્કલની તેના અધ્યયનમાં પ્રરૂપણા કરાયેલી હોવાથી તેને ઉત્કલવાદીરૂપે ઓળખાવેલ છે.)
ભગવંત અરિષ્ટનેમિના શાસનમાં થયા. જેમનો ઉલ્લેખ (નામથી નહીં પણ અધ્યયન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org