________________
૩૩૮
આગમ કથાનુયોગ-૨
હિતબુદ્ધિથી જે શિક્ષા આપવામાં આવે તે નિંદા કહેવાતી નથી. માટે તેવી શિક્ષા સામો વ્યક્તિ કોપ કરે તો પણ આપવી જોઈએ. તેથી જ કહ્યું છે કે
સામી વ્યક્તિ કોપ કરે અથવા કોપ ન કરે, ચાહે તે વાત વિષ સમાન કડવી લાગે, તો પણ શત્રુને ગુણ કરે તેવી હિતકારી ભાષા અવશ્ય બોલવી જોઈએ. આ પ્રમાણે કરકંડૂમુનિએ આપેલો ઉપદેશ બાકીના ત્રણ પ્રત્યેકબુદ્ધ મુનિઓએ હર્ષપૂર્વક સ્વીકાર્યો.
ત્યાર પછી કરકંડ્રમુનિએ શરીરે ખણવાના અધિકરણનો ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કર્યો. તે સંપૂર્ણ નિઃસ્પૃહી થયા. ત્યારથી ખરજ આવે તે વખતે પણ તેને ખણવારૂપ તેનો સત્કાર તજી દીધો. દ્વિમુખમુનિએ પણ વિચાર્યું કે, મેં સાધુ થઈને પણ કરકંડૂમુનિને ખંજવાળતા જોઈ તેની નિંદા કરી, તે મેં અયોગ્ય પ્રવૃત્તિ કરેલી છે. માટે મારે પણ આજથી સમભાવ કેળવવો.
આ પ્રમાણે ચારે પ્રત્યેક બુદ્ધ મુનિઓએ પોતપોતાના વચનને સમતારહિત એવું અયોગ્ય માનીને વિશેષે સમભાવને ધારણ કર્યો. પછી તે ચારે મુનિઓએ યથારુચિ ત્યાંથી વિહાર કર્યો. છેવટે તે ચારે સમકાળે જ કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા.
–
૪
—
—
—
૦ શેષ કથાનક આગમ સંદર્ભ :આવ.ભા. ૨૧ની વૃ
ઉત્ત.નિ. ૨૭૦, ૨૭૬ થી ૨૭૯ની લૂ
—
—
— —
—
—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org