SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ 3४० આગમ કથાનુયોગ-૨ આધારે કર્યો છે) ઋષિભાષિતમાં વીસમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. (૧૧) કૂર્માપુત્ર :- ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલ એક સાધુ, જેનો ઉલ્લેખ ઋષિભાષિતમાં સાતમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયો છે. (૧૨) કેતલિપુત્ર :- ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલ એક સાધુ જેનો ઉલ્લેખ ઋષિભાષિતમાં આઠમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયો છે. (૧૩) જમ/યમ:- ભગવંત મહાવીરના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં તેતાલીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. (૧૪) જજ્ઞવલ્કયાજ્ઞવલ્કય :- ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં બારમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. (૧૫) તરુણ :– ભગવંત પાર્થના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં એકવીસમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયો છે. તેઓ ગાથાપતિપુત્ર હતા. સૂટ (૧૬) તેતલિપુત્ર :- ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં દશમાં પ્રત્યેક બુદ્ધરૂપે થયો છે તેનો તેતલિસુત નામે પણ ઉલ્લેખ છે. બીજા મતે (આવશ્યક ચૂર્ણિ પૃ. ૫૦૧ મુજબ) પોટ્ટિલા કથાનકવાળા તેતલિપુત્ર જ આ પ્રત્યેકબુદ્ધ તેતલિપુત્ર જાણવા (કથા જુઓ તેતલિપુત્ર) (ઋષિભાષિત અધ્ય.૧૦ કે આવ.નિ. ૮૭૮ બંનેમાં પોટિલા સંબંધી જ કથા છે માટે બંને તેતલિપત્ર એક જ હોય) (૧૭) દગભાલ–ગર્દભાલ :- ભગવંત પાર્શ્વના તીર્થમાં થયેલા એક અજાતીર્થિક સાધુ. તેને ગર્દભ કે ગર્દભાલ નામે પણ ઓળખાવેલ છે. પરંતુ ઋષિભાષિતના બાવીસમાં અધ્યયનની પહેલી ગાથામાં તેનો દગભાલ નામે પણ ઉલ્લેખ છે. તેઓ ઋષિભાષિતના ઉલ્લેખ પ્રમાણે બાવીસમાં પ્રત્યેકબુદ્ધ થયા. (૧૮) કૈપાયન :-- ભગવંત મહાવીરના તીર્થમાં થયેલ એક બ્રાહ્મણ પરિવ્રાજક, જેમનો ઉલ્લેખ ચાલીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે ઋષિભાષિતમાં થયેલો છે. (તેની લઘુકથા આગળ આપેલ છે.) # (૧૯) નારદ :– ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ, જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં પહેલા પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. તેને દેવનારદ પણ કહે છે. આવશ્યક સૂત્રના વૃત્તિકાર મહર્ષિએ પણ તેનો પ્રત્યેકબુદ્ધ રૂપે ઉલ્લેખ કરેલ છે. (તેમનું કથાનક આગળ આપેલ છે.) (૨૦) પાર્થ :– ભગવંત પાર્થના તીર્થમાં થયેલા એક અન્યતીર્થિક સાધુ. જેમનો ઉલ્લેખ – ઋષિભાષિતમાં એકત્રીશમાં પ્રત્યેક બુદ્ધરૂપે થયેલો છે. (૨૧) પિંગ :- ભગવંત પાર્શ્વના તીર્થમાં થયેલ એક બ્રાહ્મણ પરિવ્રાજક. જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં બત્રીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. (૨૨) પુષ્પશાલપુત્ર :– ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં પાંચમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. તેને પુષ્પશાલ પણ કહે છે. # (૨૩) બાહુક - ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy