SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યેકબુદ્ધ ઋષિભાષિત મુજબ સાધુ. જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં ચૌદમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયો છે (તેની લઘુકથા આગળ આપેલ છે) (૨૪) ભયાલિ :– ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં તેરમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયો છે. (૨૫) મંખલિપુત્ર :– ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં અગિયારમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયો છે. (૨૬) મધુરાયણ :– ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલા એક અન્યતીર્થિક સાધુ. જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં પંદરમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયો છે. (૨૭) મહાકાશ્યપ :- ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલા એક અન્યતીર્થિક સાધુ. જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં નવમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. (૨૮) માતંગ :– ભગવંત પાર્શ્વના તીર્થમાં થયેલ એક અન્યતિર્થિક સાધુ, જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં છવ્વીસમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયો છે. (૨૯) રામપુત્ર :- ભગવંત પાર્શ્વના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ, જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં તેવીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયો છે. * (૩૦) વક્કલ/વલ્કલ :- ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ, જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં છટ્ઠા પ્રત્યેકબુદ્ધ રૂપે થયો છે. તેને વલ્કલચિરિ પણ કહે છે. (આવશ્યક ચૂર્ણિ--૧–પૃ. ૪૫૯ પર વલ્કલચિરિને પ્રત્યેકબુદ્ધ કહેલા છે. અલબત ત્યાં ભગવંત મહાવીરના શાસનમાં તે વલ્કલચિરિ થયાનો ઉલ્લેખ છે કથા આગળ આપેલ છે.) (૩૧) વજ્જિતપુત્ર :– ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલા એક અન્યતીર્થિક સાધુ, જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં બીજા પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. (૩૨) વર્ધમાન :– ભગવંત પાર્શ્વના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. જેમનો ઉલ્લેખ ઋષિભાષિતમાં ઓગણત્રીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયો છે. (૩૩) વરુણ :– ભગવંત મહાવીરના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. જેનો ઉલ્લેખ ઋષિભાષિતમાં ચુંમાલીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. (૩૪) વર્ષકૃષ્ણ :– ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. જેનો ઉલ્લેખ ઋષિભાષિતમાં અઢારમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. તેને વરિસકÇ કે વાર્ષગણ્ય પણ કહે છે. Jain Education International ૩૪૧ ---- (૩૫) વાયુ :– ભગવંત પાર્શ્વના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. જેનો ઉલ્લેખ ઋષિભાષિતમાં ત્રીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલો છે. * (૩૬) વાત્રક :– ભગવંત પાર્શ્વના તીર્થમાં થયેલ એક અન્યતીર્થિક સાધુ. જેનો ઉલ્લેખ ઋષિભાષિતમાં સત્તાવીશમાં પ્રત્યેકબુદ્ધ રૂપે થયેલ છે. (જેની કથા આગળ આપેલ છે.) તેનો ઉલ્લેખ ઋષિભાષિતમાં ‘વારત્તય' નામે છે, આવશ્યક, નિશીથભાષ્ય, બૃહત્કલ્પભાષ્ય, પિંડનિર્યુક્તિ આદિમાં વરત્તા નામે થયેલો છે. આવશ્યક ચૂર્ણિમાં વારત્નગ નામેથયો છે. (૩૭) વિત્ત તારાયણ :– ભગવંત મહાવીરના તીર્થમાં થયેલ એક અન્ય તીર્થિક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy