SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ આગમ કથાનુયોગ-૨ દાઢોથી ભરેલો થાળ રખાવ્યો. બીજી તરફ મેઘનાદ વિદ્યાધરે નૈમિતિકને પૂછયું કે, મારી પદ્મશ્રી કન્યા હું કોને આપું? નિમિત્તકે કહ્યું કે, તેને માટે સુભમ યોગ્ય વર છે. ત્યારથી તે વિદ્યાધર સુભેમનો સેવક થઈને રહ્યો. ત્યાર પછી કેટલોક કાળ પસાર થયો. એક વખત સુભૂમે માતાને પૂછયું કે, શું આ લોક આટલો જ છે કે, આથી અધિક પણ છે ? ત્યારે માતાએ તેને સર્વ વૃત્તાંત જણાવ્યો. તે સાંભળીને સુભૂમ “પરશુરામને હણી નાખીશ' એવા અભિમાનથી હસ્તિનાપુર ગયો. ત્યાં સભામાં સિંહાસન પર બેઠો. તે વખતે પેલી દાઢો ખીરરૂપ થઈ ગઈ. તે વખતે દાઢની રક્ષા કરનારા બ્રાહ્મણો યુદ્ધ કરવાને ઉદ્યત થયા. મેઘનાદ વિદ્યાધરે તેઓને મારી નાંખ્યા. સુભૂમ વિશ્વસ્ત થઈ તે ક્ષીર ખાઈ ગયો. પરશુરામને આ સમાચાર મળ્યા. ક્રોધથી ધમધમતો તે ત્યાં આવ્યો. તેણે સુભૂમ ઉપર પોતાનું પરશુ ફેંક્યું. પણ તેનો નાશ થઈ ગયો. સુબૂમ પાસે કંઈ શસ્ત્ર ન હતું. તેણે દાઢનો ભરેલો જે થાળ હતો તે ફેંક્યો. તે થાળ જ ચક્રરત્ન બની ગયો. તેના વડે પરશુરામનું મસ્તક છેદાઈ ગયું. પછી સુભૂમે અભિમાન વડે એકવીશ વખત પૃથ્વીને નિબ્રહ્મણી કરી. બ્રાહ્મણીના ગર્ભ પણ ચીરી નાંખ્યા. (પછી સુભૂમે ભરત ચક્રવર્તીની માફક સમગ્ર ભરતક્ષેત્રને સાધ્યો. તે આઠમો ચક્રવર્તી થયો. અનેક પ્રાણીઓની હિંસા કરતો અને નિત્ય રૌદ્રધ્યાનથી વર્તતો એવો સુભૂમ ચક્રવર્તી કામભોગનો ત્યાગ ન કરીને કાળ પરિણામના વશથી મૃત્યુ પામી સાતમી અધઃસપ્તમી પૃથ્વીના અપ્રતિષ્ઠાન નરકે ગયો. તે ૫૦૦૦ વર્ષ કુમારપણે રહ્યો, ૫૦૦૦ વર્ષ માંડલિક રાજાપણે રહ્યો. પ૦૦ વર્ષ દિગ્વિજયમાં ગયા. ૫૦,૦૦૦ વર્ષમાં ૫૦૦ વર્ષ ન્યૂનકાળ ચક્રવર્તીરૂપે રહી કુલ ૬૦,૦૦૦ વર્ષનું આયુ પૂર્ણ કર્યું. ૦ આગમ સંદર્ભ :આયા.ચૂં.પૃ. ૪૯, ૫૫, આયા. મૂ. ૬૩ની વૃ; સૂય યૂ.પૂ. ર૦૯, સુય.મૂ. ૪૧૯ની , ઠા ૧ર૦; સમ. ૩૧૩, ૩૧૫, ૩૧૭, ૩૨૦; જીવા. ૧૦૫, + આવ.નિ. ૩૯૧, ૩૯૩, ૩૯૪, ૩૯૬ થી ૩૯૯, ૪૦૧, ૪૧૭, ૪ર૧; આવ.ચૂ.૧–પૃ. ૨૧૫, ૨૨૦, ૫૨૦ થી ૫૨૨; આવ.મ. વ. ર૩૭, ર૩૯, ૩૭૫; આવ.નિ. ૯૧૮, ૯૨૧ ની વૃ. તિસ્થો. ૪૮૧, પ૯૫, – ૮ –– » – (૯) મહાપદ્મ ચક્રવર્તી કથાનક :–૦- સામાન્ય પરીચય : જંબૂઢીપના ભરતક્ષેત્રના આ અવસર્પિણીકાળમાં મહાપદ્મ નામે નવમાં ચક્રવર્તી થયા. તેમની જન્મ નગરી વાણારસી હતી. (ઉત્તરાધ્યયન ભાવવિજય કૃત્ વૃત્તિમાં હસ્તિનાપુર નગરી જણાવી છે.) રાજા પોત્તરની પત્ની રાણી જ્વાલાની કુક્ષિમાં તેઓ ઉત્પન્ન થયા. કાશ્યપ ગોત્રીય આ ચક્રવર્તીનો વર્ણ નિર્મલ સુવર્ણ સમાન હતો. તેમની ઊંચાઈ વીશ ધનુષ હતી. તેઓ છ ખંડરૂપ ભરતક્ષેત્રના, ચૌદ રત્નના અને નવનિધિના સ્વામી હતા. તેમના મુખ્ય પત્ની (સ્ત્રીરત્ન)નું નામ વસુંધરા હતું. ( ઉત્તરાધ્યયન ભાવવિજયજી વૃત્તિમાં તેનું નામ મદનાવલિ જણાવેલ છે.) તેમણે ૩૦,૦૦૦ વર્ષનું પૂર્ણ આયુ ભોગવ્યું. જેમાં છેલ્લા ૧૦,૦૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy