SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ આગમ કથાનુયોગ-૨ ઉપસ્થિત થયો અને ઋષભદત્ત બ્રાહ્મણની માફક ભગવંત પાસે પ્રવજ્યા અંગીકાર કરી. વિશેષતા એ કે ક્ષત્રિયકુમાર જમાલિએ ૫૦૦ પુરષો સાથે પ્રવજ્યા અંગીકાર કરી. તેને અનુસરીને જમાલિની પત્ની અને ભગવંત મહાવીરની પુત્રી એવી અનોwગા કે જેનું બીજું નામ પ્રિયદર્શના છે, તેણે પણ ૧૦૦૦ના પરિવાર સહિત દીક્ષા ગ્રહણ કરી. શેષ વર્ણન પૂર્વવત્ – યાવત્ – જમાલિ અણગારે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ઘણાં બધાં ઉપવાસ – છઠ, અઠમ – યાવત્ – અર્ધ માસ ક્ષમણ, માસક્ષમણ ઇત્યાદિ વિવિધ તપ:કર્મોથી પોતાને આત્માને ભાવિત કરતો વિચારવા લાગ્યા. ત્યારપછી કોઈ એક દિવસે જમાલિ અણગાર ભગવંત મહાવીર પાસે આવ્યા અને ભગવંત મહાવીરને વંદના-નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા. હે ભગવન્! આપની આજ્ઞા હોય તો હું પ૦૦ અણગારોની સાથે આ જનપદની બહાર વિચરણ કરવા ઇચ્છું છું. એ સાંભળીને શ્રમણ ભગવંત મહાવીરે જમાલિની તે વાતનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો. તેઓ મૌન રહ્યા. ત્યારે જમાલિ અણગારે શ્રમણ ભગવંત મહાવીરને બીજી વખત, ત્રીજી વખત પણ આ પ્રમાણે કહ્યું, ભગવન્! આપની આજ્ઞા પ્રાપ્ત હોય તો હું ૫૦૦ અણગારો સાથે અન્ય જનપદોમાં વિહાર કરવા ઇચ્છું છું. જમાલ અણગારે બીજી અને ત્રીજી વખત પણ તે જ વાત કરી ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે તે વાતનો આદર ન કર્યો – યાવત્ - મૌન રહ્યા. ત્યારે જમાલિ અણગારે શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા અને ભગવંતની અનુજ્ઞા મેળવ્યા વિના જ તેમની પાસેથી–બહુશાલ ઉદ્યાનથી નીકળ્યા અને ૫૦૦ અણગારો સાથે બહારના જનપદમાં વિહાર કરવા લાગ્યા. તે કાળે અને તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. ત્યાં કોષ્ઠક નામક ઉદ્યાન હતું. તે કાળે અને તે સમયે ચંપા નગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું – યાવત્ – ત્યાં પૃથ્વીશિલાપટ્ટક હતો. એક વખત જમાલિ અણગાર ૫૦૦ અણગારોથી પરિવૃત્ત થઈને અનુક્રમથી વિચરણ કરતા અને ગ્રામાનુગ્રામ વિહાર કરતા શ્રાવસ્તી નગરીમાં જ્યાં કોષ્ટક ઉદ્યાન હતું, ત્યાં આવ્યા અને મુનિઓના કલ્પ અનુસાર અવગ્રહ ગ્રહણ કરીને, સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. શ્રમણ ભગવંત મહાવીર પણ અનુક્રમથી વિચરણ કરતા કરતા – યાવત્ – સુખપૂર્વક વિહાર કરતા, જ્યાં ચંપાનગરી હતી, પૂર્ણભદ્ર નામક ચૈત્ય હતું. ત્યાં પધાર્યા તથા શ્રમણોને યોગ્ય એવા અવગ્રહને ગ્રહણ કરીને સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચારી રહ્યા હતા. તે સમયે જમાલિ અણગારને અરસ, વિરસ, અંત, પ્રાંત, રૂક્ષ અને તુચ્છ તથા કાલાતિક્રાંત અને પ્રમાણાતિક્રાન્ત તથા ઠંડા પાન અને ભોજનોથી એક વખત શરીરમાં વિપુલ રોગાંતક ઉત્પન્ન થયા. તે રોગ ઉજ્વલ, વિપુલ, પ્રગાઢ, કર્કશ, કર્ક, ચંડ, દુઃખરૂપ, કષ્ટસાધ્ય, તીવ્ર અને દુઃસહ હતો. તેમનું શરીર પિત્તજ્વરથી વ્યાપ્ત હોવાથી દાહથી યુક્ત થઈ ગયું હતું. તે ઊભા રહેવાને માટે અસમર્થ થઈ ગયા. વેદનાથી પીડિત જમાલિ અણગારે ત્યારે શ્રમણ નિર્ચન્થોને બોલાવીને તેઓને કહ્યું, હે દેવાનુપ્રિયો ! મારા માટે શય્યા–સંસ્મારક બિછાવો. ત્યારે શ્રમણ નિર્ચસ્થોએ જમાલિ અણગારની આ વાતને વિનયપૂર્વક સ્વીકારી અને જમાલિ અણગારને માટે શય્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy