________________
ચક્રવર્તી – સનસ્કુમાર કથા
વિદાય આપતા યક્ષપતિ સ્વર્ગે ગયા.
ત્યાર પછી ચક્રવર્તીએ બાર વર્ષનો મહોત્સવ કરાવ્યો. ન્યાયપૂર્વક તે કૃપાળુ રાજા પ્રજાનું પાલન કરવા લાગ્યો. પોતાની સુંદર સ્ત્રીઓ સાથે ભોગ ભોગવતા તે રાજાના વર્ષો દિવસોની જેમ વીતવા લાગ્યા. કોઈ વખતે સૌધર્માસભામાં બેઠેલો સૌધર્મેન્દ્ર સૌદામિની નામે નાટક કરાવતો હતો. ત્યારે ઇશાનકલ્પમાંથી પોતાના દેદીપ્યમાન રૂપ અને તેજ વડે સર્વે દેવોના તેજને ઢાંકી દેતો એવો સ્વરૂપવાનું એક સંગમ નામનો દેવ ત્યાં આવ્યો. તેનું કાર્ય પતાવી જ્યારે તે ગયો ત્યારે વિસ્મીત થયેલા દેવોએ શક્રેન્દ્રને પૂછ્યું કે, આ દેવને આવું લોકોત્તર તેજ અને અનુપમરૂપ કઈ રીતે પ્રાપ્ત થયું ? ત્યારે ઇન્દ્રએ કહ્યું કે, પૂર્વજન્મમાં તેણે વર્ધમાન આયંબિલ તપ કરેલું. તેનાથી તેને આવું અનુપમ રૂપ અને તેજ પ્રાપ્ત થયા છે. ત્યારે દેવોએ ફરી પ્રશ્ન કર્યો કે, ત્રણ ભુવનમાં આના જેવો કોઈ રૂપવાનું અને તેજસ્વી હશે. ખરો? ત્યારે દેવેન્દ્રએ ઉત્તર આપ્યો કે, હસ્તિનાપુરમાં ચક્રવર્તી સનકુમાર છે, તેના જેવું અદ્ભુત રૂપ સૌંદર્ય કોઈ દેવ કે મનુષ્યનું છે નહીં.
તે વખતે શકના વચન પર શ્રદ્ધા ન આવવાથી વિજય અને વૈજયંત નામના બે દેવ બ્રાહ્મણનું રૂપ લઈ ચક્રવર્તીના મહેલના દ્વારે આવ્યા, તે વખતે સનસ્કુમાર સ્નાન કરવા માટે જતા હતા. કારપાલે ચક્રવર્તીને સમાચાર આપ્યા કે, બે બ્રાહ્મણ આપના દર્શન માટે આવ્યા છે. રાજાની આજ્ઞાથી બ્રાહ્મણોએ આવીને સનસ્કુમારને જોયા તે બ્રાહ્મણોના મસ્તક ધૂણી ગયા, અહો ! શક્રએ કરેલ વર્ણન કરતા પણ આ તો અધિક રૂપવાનું છે. ખરેખર ! વચન વડે તેનું વર્ણન થઈ શકે તેમ નથી. તેમણે ચક્રવર્તીના જે-જે અંગ પર દૃષ્ટિ કરી ત્યાં ત્યાંથી દૃષ્ટિ ખસી શકતી ન હતી. ખરેખર ! શક્રએ આના રૂપની જે પ્રશંસા કરી છે તે લેશમાત્ર મિથ્યા નથી. અમે તો ઇર્ષ્યાથી આવેલા પણ તમારા દર્શનથી કૃતાર્થ થયા છીએ.
સનસ્કુમારે પૂછ્યું, હે ઉત્તમ બ્રાહ્મણો ! તમે અહીં શા હેતુથી આવ્યા છો ? ત્યારે તે ભૂદેવોએ કહ્યું કે, હે નરેશ્વર ! આ સચરાચર જગતમાં તમારું રૂ૫ સૌંદર્ય અપ્રતિમ છે. તે સાંભળી કૌતુક થવાથી અમે તમારા દર્શન માટે આવ્યા હતા. હે રાજા ! લોકોમાં તમારા રૂપનું અદ્ભુત વર્ણન અમે સાંભળેલું. પરંતુ તમે તો તેનાથી પણ વિશેષ રૂપવાનું છો. ત્યારે રૂપના મદથી તે રાજા બોલ્યો કે, હે વિપ્રો ! મને સ્નાન અને અલંકૃત્ થઈને આવવા દો, પછી જુઓ કે મારું કેવું રૂપ નીખરે છે. જ્યારે હું સ્નાન કરી લઉં, રત્ન અલંકારોથી સજ્જ થઈ રાજ્યસભામાં બેસું, તે વખતે મારા રૂપને જોજો તો કેવું સમ્યકુ, પ્રેક્ષણીય અને મનોરમ છે તે ખ્યાલ આવશે. એ પ્રમાણે ભૂદેવોને કહીને રાજા અન્યત્ર ગયો.
- ત્યાર પછી તે ભૂપતિએ સ્નાન કર્યું. આભૂષણાદિથી અલંકૃત્ થયો. વિભૂષિત થયેલો એવો તે રાજા સભામાં આવ્યો. તે વિપ્રોને પોતાનું રૂપ જોવા માટે આજ્ઞા કરી, તે વખતે તે બ્રાહ્મણોએ તેમનું વિકૃત થયેલું રૂપ જોયું, તેઓ ખેદ પામ્યા. તેઓ વિચારવા લાગ્યા કે, અહો ! તે રૂ૫, તે કાંતિ, તે લાવણ્ય કયાં ચાલ્યા ગયા ? અથવા મનુષ્યોને સર્વ ક્ષણિક જ હોય છે. રાજાએ તેમને પૂછયું કે, પહેલાં મારું રૂપ જોઈને તમે ખૂબ જ ખુશ થયા હતા. હવે વિષાદથી તમારા મુખ શ્યામ થઈ ગયા છે. આમ કેમ બન્યું ? તે બ્રાહ્મણોએ કહ્યું અમે દેવો છીએ. સ્વર્ગમાં જ્યારે દેવેન્દ્રએ તમારા રૂપનું વર્ણન કર્યું ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org