________________
આગમ કથાનુયોગ-૨
અમને અશ્રદ્ધા થઈ. તેથી તમારા રૂપની પરીક્ષા કરવા અહીં આવ્યા. પૂર્વે જ્યારે તમારું રૂપ જોયું ત્યારે ઇન્દ્રએ વર્ણવ્યું તેના કરતા પણ અધિક હતું. તેથી અમે ખુશ થયા હતા. હમણાં ફરીથી જ્યારે તમારું રૂપ જોયું ત્યારે વિષાદ પ્રાપ્ત થયા કેમકે આટલા કાળમાં તમારી અદ્ભુત કાયા રોગથી ઘેરાઈ ગઈ છે. જેણે રાક્ષસની જેમ તમારા રૂપ, લાવણ્ય, કાંતિને ગ્રસી લીધાં છે. આટલું કહી, તે દેવો અંતર્ધ્યાન થઈ ગયા.
૧૦૦
રાજાએ પોતાનું રૂપ જોયું. ધૂળ વડે આચ્છાદિત વારુણની જેમ છાયારહિત એવી પોતાની કાયાને જોઈ. તે વિચારવા લાગ્યો કે, રોગના સ્થાનરૂપ આ શરીરને ધિક્કાર થાઓ. મનુષ્યના શરીરનું મૂલ્ય કેટલું ? યમરૂપ વ્યાધિ ગમે ત્યારે તેને ઘેરી વળે છે. આ રૂપાદિ ગુણો નાશવંત છે. તેમાં કયો બુદ્ધિમાન મૂર્છા ધારણ કરે ? જેના ક્ષણમાત્ર સેવનથી આ ભોગો ચાલ્યા જવાના તેમાં કયો મેઘાવી આસક્તિ કરે ? જે ગુણો વિનાશ પામવાના છે અને પરિગ્રહ ગ્રહની માફક પીડે છે તેમાં કયો ધીમાન્ લેપાય ? આજે કે કાલે જે શરીર વિનાશ પામવાનું છે. તે શરીરમાં મમત્ત્વ કોણ કરે ? તેના કરતા આ બધાંનો ત્યાગ કરીને શાશ્વત સુખને આપનાર વ્રતને ગ્રહણ કરવા શ્રેયસ્કર છે. આ પ્રમાણે વિચારી પોતાના પુત્રને રાજ્ય સોંપી સનન્કુમાર રાજાએ વિનયંધરસૂરિ પાસે જઈ વ્રત ગ્રહણ કર્યા – દીક્ષા લીધી. (આવશ્યક ચૂર્ણિ-૧-પૃ. ૨૨૮ પ્રમાણે ૧૦૦૦ રાજાઓ સહિત દીક્ષા ગ્રહણ કરેલી) એ રીતે મહાન ઋદ્ધિ સંપન્ન મનુષ્યેન્દ્ર સર્કુમાર ચક્રવર્તીએ પુત્રને રાજ્ય સોંપી ચારિત્ર ગ્રહણ કરી તપ આચરણા શરૂ કરી, પરંતુ જે વખતે તેણે દીક્ષા લીધી ત્યારે સર્વ રત્નો, બધી રાણીઓ, સર્વે નિધિના યક્ષો, સૈન્ય આદિ સર્વ પરિવાર આદિએ ગાઢ અનુરાગથી તેની પાછળ-પાછળ છ માસ પર્યંત ભ્રમણ કર્યું. તેઓ સર્વે વિનવણી કરતા રહ્યા કે, હે પ્રભો ! અમારા કોઈપણ અપરાધ વિના અમારો કેમ ત્યાગ કરો છો ? પાછા ફરો પણ સંયત એવા સનત્કુમાર રાજર્ષિએ સિંહાવલોકનથી પણ પાછું ફરીને ન જોયું. છ મહિના પછી સમગ્ર પરિવાર તે સત્ત્વશાળીને નમન કરીને પોતપોતાને સ્થાને પાછો ફર્યો. એક વખતે છટ્ઠના પારણે તે રાજર્ષિ ગૌચરી માટે નીકળ્યા. ત્યાં તેને બકરીના દૂધની છાશ અને કોઈ તુચ્છ ધાન્ય પ્રાપ્ત થયું. તેનો રાજર્ષિએ આહાર કર્યો. પુનઃ પુનઃ પણ છઠ કરીને તે જ રીતે પારણું કર્યું. તેને લીધે તેના શરીરમાં રોગો વૃદ્ધિ પામવા લાગ્યા. સાત મહાવ્યાધિ તેના શરીરમાં ઉત્પન્ન થઈ. ૧. કં ડૂ (ખસ), ૨. શોષ, ૩. પીડ(સોજા), ૪. કાસ, ૫. શ્વાસ, ૬. જ્વર, ૭. અરુચી. આ સાતે રોગને તેમણે સો વર્ષ સુધી સમતાભાવે સહન કર્યા. તે વેદના સાથે બીજા પણ બધાં પરીષહોને સહન કર્યા. તીવ્રતપનું આચરણ કર્યું. તેનાથી તેમને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ. તેમાં સાત લબ્ધિઓ મુખ્ય હતી. ૧. મળ, ૨. આમર્શ, ૩. વિષ્ટા, ૪. મૂત્ર, ૫. સર્વોષેધ્ય, ૬. કફ અને ૭. સંભિન્નશ્રોત, તો પણ તેણે પોતાના શરીરની વ્યાધિ નિવારવા કોઈ જ ઉપાય કર્યા નહીં. કોઈ વખતે ઇન્દ્રે દેવતાઓ સમક્ષ પ્રશંસા કરતા કહ્યું કે, અહો ! સનકુમાર ચક્રવર્તી ચક્રવર્તીપણાંની લક્ષ્મીનો ત્યાગ કરીને કેવો ઉગ્ર તપ તપી રહ્યા છે. તેમનું ધૈર્ય ખરેખર ! અદ્ભુત છે. રોગોથી ઘેરાયેલું શરીર છે. તપના પ્રભાવે તે નિવારવાની લબ્ધિઓ પ્રાપ્ત થઈ છે. તો પણ તે રાજર્ષિ પોતાની કાયા પરત્વે નિસ્પૃહ થઈ કોઈ ચિકિત્સા કરતા નથી. પણ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International