________________
પ્રત્યેકબુદ્ધ – વલ્કલચિરિ કથા
૩૪૯
ઉછેરવો ? સ્વર્ગમાં ઉત્પન્ન થયેલ ધારિણી દેવીએ એક ભેંસનું રૂપ ધારણ કર્યું. કેમકે તેણીએ ઉત્પન્ન થતાં જ પોતાના અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો ત્યારે તેણીએ જાણ્યું કે, તેણીના પતિ (સોમચંદ્ર તાપસ) બાળકને કઈ રીતે મોટો કરવો તેની ચિંતા કરી રહ્યા છે. વન્ય ભેંસના રૂપે આવીને ધારિણીદેવીએ આવીને બાળકને દૂધ પીવડાવવાનું શરૂ કર્યું. બાળકને ઉછેરનારી પેલી ધાત્રી પણ થોડો સમય પસાર થયા બાદ મૃત્યુ પામી.
અનુક્રમે જ્યારે વલ્કલચીરિ ત્રણ વર્ષનો થયો ત્યારે વન્ય ભેંસનું રૂપ લઈને આવેલી ધારિણી દેવી પણ પાછી દેવલોકમાં ચાલી ગઈ. પછી તાપસો દ્વારા વનના ફળ આદિથી પોષણ પામતો તે બાળક અનુક્રમે સોળ વર્ષનો થયો. ચિત્તને અતિ પ્રસન્નતા અર્પતો એવો સુંદર–સોહામણો કુમાર થઈ ગયો. ત્યારે તે બાળક જે મળે તે હે તાત, હે તાત ! એમ કહેતો અને સર્વેને નમસ્કાર કરતો હતો. તેમજ વનના ફળ લાવીને પોતાનું તથા પોતાના પિતાનું પોષણ કરતાં શીખ્યો હતો.
કોઈ વખતે પ્રસન્નચંદ્ર રાજાએ કોઈ ભિલના મુખેથી પોતાના સહોદરનો (વલ્કલચીરીનો) પ્રબંધ સાંભળ્યો. ત્યારે રાજા તુરંત જ પોતાના ભાઈને મળવા ઉત્સુક થઈ ગયો. તેથી તેણે ગણિકા–બાલિકાઓને (કોઈ કહે છે વેશ્યા પુત્રીઓને) બોલાવીને કહ્યું કે, તમે કોઈપણ ઉપાય વડે લોભાવીને મારા નાના ભાઈને અહીં રાજ્યમાં લઈ આવો. પરંતુ તમારે આ કાર્યક્રૂર રહીને કરવું. જો મારા પિતા સોમચંદ્ર તાપસ તમને જોઈ જશે તો શ્રાપ આપી દેશે.
રાજાના વચનોને અંગીકાર કરીને તે ગણિકાઓ તાપસનો વેષ ધારણ કરીને સોમચંદ્ર તાપસના આશ્રમ પાસે આવી. ત્યારે વલ્કલચીરીએ તેઓને દૂરથી આવતા જોઈને તેણીને તાપસરૂપ હોવાથી હે તાત ! તમને નમસ્કાર થાઓ. એમ કહીને નમસ્કાર કર્યા અને વલ્કલગીરીએ વનમાંથી લાવેલા કુળ તેઓના આહાર માટે આગળ ધર્યા. તે ફળોને જોઈને તે તાપસવેશે રહેલી ગણિકા બોલી કે, આવા નિરસ ફળોને અમે શું કરીએ ? અમારે તો પોતન—આશ્રમના ફળો જોઈએ. હે મુનિ ! તમે અમારા આશ્રમના ફળો જુઓ, તે કેવા મીઠાં–મધુરા લાગે છે.
ત્યાર પછી અત્યંત સ્નેહપૂર્વક તે ગણિકાઓ વલ્કલચીરીને એકાંતમાં લઈ ગઈ. ત્યાં બેસાડી મીઠા વચનો બોલતા તે બાળતાપસને લોભાવવો શરૂ કર્યો અને ખાંડ, સાકર, દ્રાક્ષ આદિ મધુર મેવા આદિ આગ્રહ કરીને તેમણે વલ્કલચીરીને આહાર કરાવ્યો. તે મધુર ફળોના સ્વાદથી હર્ષ પામેલ વલ્કલચીરી પોતે જે બીલ્ડ, આંબલી અને કોઠાના ફળો ખાતો હતો તેના સ્વાદમાં ઉદ્વેગ પામ્યો. જેમ જેમ તે બાળતાપસ લોભાતો ગયો, તેમ તેમ તેણીઓ વિશેષ—વિશેષ સ્વાદવાળી વસ્તુઓ તેને ખાવા માટે આપવા લાગી.
ત્યારપછી તે તાપસરૂપધારી ગણિકાઓએ વલ્કલચીરીનો હાથ પોતાના કોમળ હાથમાં લઈ પોતાના સુકુમાળ, પીન, ઉન્નત સ્તન પર અને પોતાના ગાલ વગેરે અવયવો પર મૂકવો અર્થાત્ સ્પર્શ કરાવવો શરૂ કર્યો. ત્યારે તે બાળતાપસ બોલ્યો કે, હે મહાનુભવ! તમારું શરીર આટલું કોમળ કેમ છે ? અને તમારા ઉર:સ્થળ પર આ બે વેદિકાઓ શેની છે ? ત્યારે તે ગણિકાઓ બોલી કે, અમારા પોતન આશ્રમના ફળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org