________________
૩૫૦
આગમ કથાનુયોગ-૨
આસ્વાદન કરવાથી શરીર આવું સુકોમળ બને છે. આવી બે વેદિકાનો રમણીય સ્પર્શ થાય છે, માટે તમે આ આશ્રમનો ત્યાગ કરી, પોતન આશ્રમ ચાલો.
ત્યારપછી કેટલોક સમય ગયા બાદ વલ્કલચીરી તેમની સાથે જવાનો સંકેત કરીને પાછો ફર્યો. પોતાના પાત્ર, વલ્કલ આદિ એકાંતમાં ગોપવી દીધા. તેમની સાથે જવા માટે ફરીવાર પાછો ફર્યો. એ સમયે સોમચંદ્ર ઋષિને આમતેમ ફરતા આશ્રમ તરફ આવતા જોયા. તેમને દૂરથી આવતા જોઈને અગાઉથી સંકેત કરી વૃક્ષ ઉપર રહેલા પુરષોએ તે ગણિકાઓને ખબર આપ્યા. એટલે તત્કાળ તેણી સર્વે ઋષિના શ્રાપના ભયથી નાશી ગઈ અને પ્રસન્નચંદ્ર રાજાની પાસે આવીને સર્વ વૃત્તાંત જણાવ્યો.
ગણિકાઓ પાસેથી આ વૃત્તાંત સાંભળી પ્રસન્નચંદ્ર રાજા ખિન્ન થઈ ગયો – અહો! મારો નાનો ભાઈ તો બંનેથી ભ્રષ્ટ થયો. હવે તેના શા હાલ થશે? તે ત્યાં રહી શકશે નહીં અને અહીં તે પહોંચ્યો નહીં. દિલગીર થયેલા પ્રસન્નચંદ્ર રાજાએ આખા નગરમાં ગીત, નૃત્ય, વાદ્ય આદિ સર્વ પ્રવૃત્તિઓનો પ્રતિષેધ કરાવી દીધો. વલ્કલચીરી આશ્રમમાંથી બહાર આવ્યો ત્યારે તેણે તાપસરૂપધારી ગણિકાઓને ક્યાંય જોઈ નહીં. તેથી તે વનમાં આમતેમ ભમવા લાગ્યો. તેટલામાં ત્યાંથી કોઈ રથ પસાર થતો હતો. ત્યારે રથમાં બેસેલા પુરુષે આ બાળતાપસને જોયો. તે વખતે વલ્કલચીરીએ પણ તેને જોઈને કહ્યું કે, હે તાત ! હું આપને અભિવાદન કરું છું. ત્યારે રથમાંના પુરુષે તેને પૂછયું કે, હે મુનિ આપને કઈ તરફ જવું છે? ત્યારે વલ્કલચીરીએ કહ્યું કે, હું પોતનઆશ્રમે જવા ઇચ્છું છું, રથવાળાને તે તરફ જ જવું હતું. એટલે તે બોલ્યો કે, ચાલો, હું પોતનઆશ્રમ જ જઉ છું.
ત્યારે વલ્કલગીરી પણ તેની સાથે ચાલ્યો. તે રથમાં તે રથિક પુરુષની પત્ની બેઠેલી હતી, તેને જોઈને તે તાપસ કહેવા લાગ્યો કે, હે તાત ! હે તાત ! હું આપને અભિવાદન કરું છું ત્યારે રથમાં બેઠેલી સ્ત્રીએ તેના પતિને કહ્યું કે, આ બાળક હજી સ્ત્રી અને પુરુષના ભેદને સમજતો લાગતો નથી. ત્યારે તે સ્ત્રીએ તેના પતિને પૂછયું કે, આ બાળક આમ કેમ વતી રહ્યો છે. ત્યારે રથિક પુરુષે તેણીને સમજાવ્યું કે, હે સુંદરી! નક્કી આ બાળક સ્ત્રીરહિત એવા આશ્રમમાં મોટો થયો જણાય છે. તેથી તેને કોઈ વિશેષ જ્ઞાન લાગતું નથી. માટે તેના પરત્વે તું સહેજ પણ કોપાયમાન થઈશ નહીં.
ફરી તે તાપસકુમારે રથિકપુરુષને પૂછયું કે, હે તાત ! તમે આ મૃગોને કેમ વહન કરી રહ્યા છો ? ત્યારે તે પુરુષે (જાણ્યું કે આ બાળકને અશ્વ અને મૃગનો ભેદ પણ ખબર નથી તેથી તેને) કહ્યું કે, આ (મૃગો) આ કાર્ય માટે જ ઉપયોગમાં લેવાય છે, તેમાં કોઈ જાતનો દોષ નથી. પછી તે તાપસને મુગ્ધ બાળક જાણીને તે રથવાળા પુરુષે તેને લાડવા ખાવા માટે આપ્યા. તેનો સ્વાદ લેતા વલ્કલચીરી બોલ્યો કે, અહો ! હવે મને જાણવામાં આવ્યું. પહેલા પોતનઆશ્રમવાસી કુમારોએ પણ મને આવા પ્રકારના જ સ્વાદિષ્ટ ફળ ખાવા માટે આપેલા હતા.
માર્ગમાં તેઓ આગળ વધી રહ્યા હતા, ત્યારે આગળ જતાં કોઈ એક ચોરની સાથે તે રથિક પુરુષને યુદ્ધ થયું. રથિક પુરુષે તેના પર ગાઢ પ્રહાર કર્યો, તે ચોરને જીતી લીધો. તેના ગુણથી ખુશ થયેલ ચોર બોલ્યો કે, મારી પાસે વિપુલ ધન છે, તેને આપ ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org