________________
૨ ૩૦
આગમ કથાનુયોગ-૨
જમાલિ અણગાર આપ દેવાનુપ્રિયનો અંતેવાસી કુશિષ્ય હતો. તે જમાલિ અણગાર કાળ કરીને ક્યાં ગયા, ક્યાં ઉત્પન્ન થયા ? શ્રમણ ભગવંત મહાવીરે હે ગૌતમ ! મારો અંતેવાસી જમાલિ નામે અણગાર વાસ્તવમાં કુશિષ્ય હતો. તે વખતે મારા કહેવા છતાં – થાવત્ – પ્રરૂપણા કરવા છતાં તેણે મારા કથન પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરી નહીં, તે કથન પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ન કરતો એવો તે બીજી વખત પણ સ્વયં મારી પાસેથી ચાલ્યો ગયો અને ઘણાં જ અસદ્ભાવોને પ્રગટ કરવાથી ઇત્યાદિ પૂર્વોક્ત કારણોથી – યાવત્ – કાળ કરીને કિલ્બિષિક દેવરૂપે ઉત્પન્ન થયો છે.
ભગવન્! શું જમાલિ અણગાર અરસાહારી, વિરસાહારી, અંત્યાહારી, પ્રાન્તાહારી, રૂક્ષાહારી, તુચ્છાદારી, અરસજીવી, વિરસજીવી, તુચ્છજીવી, ઉપશાંતજીવી, પ્રશાંતજીવી અને વિવિક્તજીવી હતા ? હાં ગૌતમ ! જમાલિ અણગાર અરસાહારી, વિરસાહારી યાવત્ વિવિક્તજીવી હતા. હે ભગવન્! કાળ સમયે કાળ કરીને તેઓ લાંતકકલ્પમાં કિલ્બિષિક દેવરૂપે કેમ ઉત્પન્ન થયા? ગૌતમ ! જમાલિ અણગાર આચાર્યના પ્રત્યેનીક હતા, ઉપાધ્યાયના પ્રત્યેનીક હતા. આચાર્ય અને ઉપાધ્યાયનો અપયશ કરનારા અને તેઓનો અવર્ણવાદ કરનારા હતા – યાવત્ – તે મિથ્યાભિનિવેશ દ્વારા પોતાને અને બીજાને તેમજ ઉભયને ભ્રાંતિ ઉપજાવનારા અને દુર્વિદગ્ધ બનાવનાર હતા – યાવત્ – ઘણાં વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરીને અર્ધમાસિક સંલેખના દ્વારા શરીરને કૃશ કરીને તથા ત્રીશ ભક્તનું અનશન દ્વારા છેદ કરીને તે અત્યસ્થાનની આલોચનાપ્રતિક્રમણ કર્યા વિના જ તેણે કાળ સમયે કાળ કર્યો. જેનાથી તે લાંતક કલ્પમાં તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્બિષિક દેવરૂપે ઉત્પન્ન થયા.
હે ભગવન્! તે જમાલિદેવ તે દેવલોકથી આયુષ્ય ક્ષય થયા બાદ યાવત્ ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! તે તિર્યંચના–મનુષ્યના અને દેવના પાંચ-પાંચ ભવ ગ્રહણ કરીને અને એ રીતે પંદર ભવોનું સંસાર પરિભ્રમણ કરીને ત્યાર પછી તે સિદ્ધ થશે, બુદ્ધ થશે - યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે.
જમાલિના મતમાં–દૃષ્ટિમાં બહુ જીવો રત થયા. તેથી આ મતને “બહુરત" મત કહે છે અથવા બહુ સમયે કાર્ય સિદ્ધિ શક્ય હોવાથી “બહુરત” મત કહ્યો. એ રીતે ભગવંત મહાવીરના કેવળજ્ઞાન પછી ચૌદ વર્ષે આ પ્રથમ નિલવ થયો – અનોજ્જા અથવા પ્રિયદર્શના સાધ્વીએ ઢક શ્રાવકના પ્રતિબોધથી આ મતનો ત્યાગ કર્યો અને ભગવંત મહાવીરનો આશ્રય કરી વિચારવા લાગ્યા તે કથા કનોજ્ઞા માં જોવી.
૦ આગમ સંદર્ભ :આયા. પ૧૧; સૂય ચૂપૃ. ૨૭૩; ઠા ૬૮૮, ૬૮૯ + વ સમ. ૨૩૩નૃ. ભગ ૧૦, ૪૬૩ થી ૪૭૦, ઉવ. ૫૧–પૃ. નિસી.ભા. ૫૫૯૬, પપ©, પ૬૧૧,
-પ૬૧૮, પ૬ ૨૪ થી ૫૬ ર૪; આવનિ ૭૭૮ થી ૭૮૮; આવ.ભા. ૧૨૫, ૧૨૬; આવ ચૂ–પૃ. ૪૧૬ થી ૪૧૯; આવ.નિ. ૧૬૫, ૧૬૭ ની . ઉત્ત. નિ ૧૬૫, ૧૬૬; ઉત્ત.નિ. ૧૬૭ની વૃ.
ઉત્ત.ભાવ.અધ્ય. ૩
–
૮
–
૪
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org