________________
નિલવ – તિષ્યગુપ્ત કથા
૨ ૩૧
(૨) નિલવ તિષ્યગુપ્ત કથા :–૦- પરીચય :
- ભગવંત મહાવીરના શાસનમાં તિષ્યગુપ્ત નામે બીજા નિલવ થયા. તેમણે “જીવપ્રદેશિક' નામનો મત કાઢેલો. આ નવા મતની સ્થાપના તેમણે (રાજગૃહમાં) 8ષભપુરમાં કરેલી. ભગવંત મહાવીરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી સોળ વર્ષે આ બીજો નિલવ ઉત્પન્ન થયો. જો કે તેને પ્રતિબોધ થતા તેણે આ નવા મતનો ત્યાગ કરી પુનઃ સમ્યક્ત્વ પ્રાપ્ત કરેલું હતું. મૂળભૂત તે સમ્યક્દૃષ્ટિવાળા હતા, પછી મિથ્યાત્વમાં પ્રવેશ કરેલો હતો. નિત્ય પચ્ચક્ખાણ યુક્ત હતા. શેષ પરીચય જમાલિ નિભવ મુજબ જાણવો. વિશેષ એ કે તેણે પોતાનો મત આમલકલ્પમાં છોડી દીધેલો હતો. -૦- તિષ્યગુપ્ત કથા :
ભગવંત મહાવીરને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી સોળ વર્ષે બીજો નિભવ ઉત્પન્ન થયો. તેનું કથાનક આ પ્રમાણે છે – તે કાળે, તે સમયે રાજગૃહી નગરીમાં ગુણશીલ ચૈત્ય હતું. ત્યાં એક વખત ચૌદ પૂર્વધર એવા વસૂ નામના આચાર્ય ભગવંત પધાર્યા. તેમને તિષ્યગુપ્ત નામે શિષ્ય હતા. એક વખત આત્મપ્રવાદ નામના પૂર્વનો અભ્યાસ કરતા તેના ભણવામાં આ સૂત્ર–આલાપક આવ્યો. જે અંતે નવપૂણે નીત્તિ વત્તત્રં સિયા ? ઇત્યાદિ. હે ભગવન્! જીવના એક પ્રદેશમાં જીવ એવી વક્તવ્યતા થઈ શકે ? ભગવંતે કહ્યું, ના, એ અર્થ સમર્થ નથી. આ રીતે આગળ-આગળ પ્રશ્ન કરતા પૂછે છે કે, જીવના બે પ્રદેશમાં, ત્રણ પ્રદેશમાં, સંખ્યાતા પ્રદેશમાં, અસંખ્યાતા પ્રદેશમાં યાવત્ એક ઉણ સર્વ પ્રદેશમાં જીવની વક્તવ્યતા થઈ શકે કે નહીં? ભગવંત કહે ના, એ અર્થ પણ સમર્થ નથી. અર્થાત્ એક ઉણ સર્વ પ્રદેશે પણ જીવ કહેવાય નહીં. ત્યારે જીવ જ્યારે કહેવાય ? ભગવંત કહે, પરિપૂર્ણ લોકાકાશના પ્રદેશ જેટલા પ્રદેશ તુલ્ય જીવના પ્રદેશ છે અર્થાત્ તેટલા પ્રદેશે જીવની વક્તવ્યતા થઈ શકે – તે સમગ્ર પ્રદેશે જીવ કહેવાય.
આ પ્રમાણે ભણતાં તિષ્યગુપ્તને એવી શંકા થઈ કે, “જીવના એક છેલ્લા પ્રદેશમાં જ જીવસંજ્ઞા રહેલી જણાય છે. કેમકે જ્યારે માત્ર એક પ્રદેશ હીન એવા સર્વ જીવપ્રદેશે પણ જીવ છે એમ કહેવાતું નથી અને માત્ર તે હીન રહેલ એક પ્રદેશ ઉમેરાતા તેને જીવ કહેવાય છે, ત્યારે એક પ્રદેશે જ જીવ છે તેમ માનવું જોઈએ. ત્યારે આચાર્ય વસૂએ તેને સમજાવ્યું કે, એક પ્રદેશ માત્રથી જીવ એવું સમજવું નહીં, પણ સમગ્ર–પ્રતિપૂર્ણ લોકાકાશ પ્રદેશતુલ્ય દેશે જીવ છે તેમ સમજવું જોઈએ. પરંતુ તિષ્યગુપ્ત પોતાના તે મતને સર્વ લોકો પાસે કહેવા લાગ્યા. ત્યારે ગુરુ ભગવંતે તેને સમજાવતા કહ્યું કે, હે શિષ્ય ! જો તું જીવના એક-બે–ત્રણ આદિ પ્રદેશે જીવપણું સ્વીકારતો નથી અને માત્ર એક છેલ્લા પ્રદેશમાં જ જીવત્વ માનીશ તો છેલ્લા પ્રદેશમાં પણ જીવપણું સિદ્ધ થશે નહીં. કેમકે સર્વનું પ્રદેશપણું તો સરખું જ છે. જેમ રેતીના હજારો કણીયામાં તેલ નથી, તો તે એક છેલ્લા કણીયામાં પણ તેલ કઈ રીતે સંભવે ? એમ તું માત્ર છેલ્લા પ્રદેશે જીવ છે તેવું માનીશ અને પૂર્વપૂર્વના પ્રદેશે જીવત્વ સ્વીકારીશ નહીં તો જીવપણું કઈ રીતે સિદ્ધ થઈ શકશે? માટે તારા માનવા પ્રમાણે તો જીવનો અભાવ જ સિદ્ધ થશે. તે અભાવ તો તું માનતો નથી, તેથી તું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org