________________
ગોશાલક કથા
૨૮૭
- ત્યાર પછી સંખલિપુત્ર ગોશાલક શ્રમણ ભગવંત મહાવીરના કથનને સાંભળીને કોપાયમાન, રોષાયમાન, ક્રોધાયમાન, ચંડ સમાન થઈને દાંતોને કચકચાવતો શ્રમણ ભગવંત મહાવીરનો અનેક પ્રકારના અનુચિત એવા આક્રોશપૂર્ણ વચનોથી તિરસ્કાર કર્યો, અનેક પ્રકારના ઉદ્ઘર્ષણા અર્થાત્ પરાભવ કરનારા વચનોથી અપમાન કર્યું, અનેક પ્રકારના કર્કશ વચનો દ્વારા ભગવંતની નિર્ભર્સના કરી, અનેક પ્રકારના કઠોર વચનો દ્વારા તેણે ભગવંત મહાવીરને ધમકી અને ચેતાવણી આપી ધમકીઓ આપીને આ પ્રમાણે કહ્યું, (હે કાશ્યપ !) કદાચિત્ આજે તું નષ્ટ થઈશ, કદાચિત્ આજે તું વિનષ્ટ થઈશ, કદાચિત્ આજે તું ભ્રષ્ટ થઈશ, કદાચિત્ આજે તું નષ્ટ, વિનષ્ટ, ભ્રષ્ટ થઈ જઈશ. આજે હવે તું જીવતો નહીં રહે, માર દ્વારા (હે કાશ્યપ !) હવે તારું શુભ થવાનું નથી. ૦ ગોશાળાએ સર્વાનુભૂતિ મુનિને ભસ્મ કર્યા :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના અંતેવાસી, પૂર્વદેશમાં ઉત્પન્ન થયેલા, પ્રકૃત્તિથી ભદ્ર, સ્વભાવથી શાંત, પ્રકૃતિથી પાતળા પડી ગયેલા ક્રોધ, માન, માયા, લોભ યુક્ત અર્થાત્ સ્વાભાવિક પાતળા કષાયવાળા, મૃદુ–માર્દવતા સંપન્ન, વિનયશીલ એવા સર્વાનુભૂતિ નામના અણગાર પોતાના ધર્માચાર્ય પરત્વેના અનુરાગથી ગોશાલકની આ વાત પર અશ્રદ્ધા કરતા એવા પોતાના આસનેથી ઊભા થયા, ઊભા થઈને જ્યાં ગોશાલ મખલિપુત્ર હતો, ત્યાં આવ્યા. ત્યાં આવીને ગોશાલ મખલિપુત્રને આ પ્રમાણે કહ્યું
હે ગોશાલક ! જે કોઈપણ વ્યક્તિ તથારૂપ શ્રમણ અથવા બ્રાહ્મણ પાસેથી એક પણ આર્યધાર્મિક સુવચન સાંભળે છે, તે પણ તેમને વંદન-નમસ્કાર કરે છે, સત્કારસન્માન કરે છે તથા કલ્યાણ, મંગલ, દેવ અને ચૈત્યરૂપ માનીને તેમની પર્યાપાસના કરે છે, તો પછી તે ગોશાલક ! તારા માટે તો કહેવાનું જ શું હોય ? કેમકે શ્રમણ ભગવંત મહાવીરે તને દીક્ષા આપી, શ્રમણ ભગવંત મહાવીરે તને મુંડિત કર્યો, શ્રમણ ભગવંત મહાવીરે તને વ્રત અને સામાચારી શીખવાડ્યા, શ્રમણ ભગવંત મહાવીરે તને શિક્ષા આપી, શ્રમણ ભગવંત મહાવીરે તને બહુશ્રુત બનાવ્યો; પરંતુ આટલું કરવા છતાં પણ તું શ્રમણ ભગવંત મહાવીરની પ્રતિકૂળ પ્રવૃત્તિ કરી રહ્યો છે. હે ગોશાલક ! તું આવું ન કર, હે ગોશાલક ! તું આમ કરવાને યોગ્ય નથી. તું તેજ છે, બીજો કોઈ નથી.
- ત્યાર પછી સર્વાનુભૂતિ અણગારની તે વાત સાંભળીને મખલિપુત્ર ગોશાલ ક્રોધાભિભૂત, રોષાયમાન, કોપાયમાન થઈ ગયો. તેણે ચંડિકાવત્ રૌદ્રરૂપ ધારણ કર્યું, દાંતોને કચકચાવતો તે પોતાના તપ–તેજ દ્વારા એક જ પ્રહારમાં કૂટાઘાતની માફક તેણે સર્વાનુભૂતિ અણગારને બાળીને ભસ્મ કરી દીધા.
ત્યારે પોતાના તપ-તેજથી એક જ પ્રહારમાં કૂટાઘાતની માફક સર્વાનુભૂતિ અણગારને બાળીને ભસ્મરાશિ કર્યા પછી તે ગોશાલક મંખલિપુત્ર બીજી વખત ફરીથી શ્રમણ ભગવંત મહાવીરને અનેક પ્રકારના આક્રોશ વચનોથી તિરસ્કાર કરવા લાગ્યો – થાવત્ – તેણે શ્રમણ ભગવંત મહાવીરને કહ્યું કે, આજે તારું શુભ થવાનું નથી. ૦ ગોશાળા દ્વારા નક્ષત્રમુનિનું પરિતાપન :
તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવંત મહાવીરના અંતેવાસી અને કોશલ દેશના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org