________________
૨૮૬
આગમ કથાનુયોગ-૨
મહાવન નામનું ચૈત્ય હતું, તેમાં મેં મંડિકના શરીરનો ત્યાગ કર્યો અને ત્યાગ કરીને મેં રોહના શરીરમાં પ્રવેશ કર્યો, ત્યાં પ્રવેશ કરીને મેં ઓગણીસ વર્ષ પર્યત ચોથા પરિવૃત્ત પરિહારનો ઉપભોગ કર્યો.
પ. જે પાંચમો પરિવૃત્ત પરિવાર હતો, તેમાં મેં આલંભિકા નગરીની બહાર પ્રાપ્તકાલ ચૈત્યમાં રોડના શરીરનો ત્યાગ કર્યો, ત્યાગ કરીને ભારદ્વાજના શરીરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને મેં અઢાર વર્ષ પર્યત પાંચમા પરિવત્ત પરિવારનો ઉપભોગ કર્યો.
૬. જે છઠો પરિવૃત્ત પરિહાર હતા. તેમાં મેં વૈશાલી નગરીની બહાર ફંડિયાયન ચૈત્યમાં ભારદ્વાજના શરીરનો ત્યાગ કર્યો. તેનો ત્યાગ કરીને અર્જુન ગૌતમપુત્રના શરીરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને મેં સત્તર વર્ષ સુધી છઠા પરિવૃત્ત પરિવારનો ઉપભોગ કર્યો.
૭. જે સાતમો પરિવૃત્ત પરિહાર છે, તેમાં મેં આ જ શ્રાવતી નગરીની બહાર હાલાહલા કુંભારણના કુંભકારાપણમાં ગૌતમ પુત્ર અર્જુનના શરીરનો ત્યાગ કરીને ગોશાલ સંખલિપુત્રના શરીરને સમર્થ, સ્થિર, ધ્રુવ, ધારણ કરવાને માટે યોગ્ય, ઠંડીને સહન કરવામાં સમર્થ, ગરમી–ઉષ્ણતાને સહન કરવામાં સક્ષમ, ભુખને સહન કરવામાં શક્તિમાન, ડાંસ–મચ્છર આદિ વિવિધ પરીષણો અને ઉપસર્ગોને સહન કરવામાં સામર્થ્યવાનું તથા સ્થિર સંહનનવાળું છે, એવું સમજીને તેમાં મેં પ્રવેશ કર્યો. સોળ વર્ષ પર્યતથી આ સાતમાં પરિવૃત્ત પરિવારનો હું ઉપભોગ કરી રહ્યો છું.
આ પ્રમાણે હે આયુષ્યમાન્ કાશ્યપ ! મેં એકસો તેત્રીશ વર્ષમાં આ સાત પરિવૃત્ત પરિહાર કર્યા છે એવું મેં કહ્યું.
તેથી હે આયુષ્યમાનું કાશ્યપ ! તે મારા માટે એ સારું કહ્યું છે. હે આયુષ્યમાનું કાશ્યપ ! તેં મારા માટે ઉચિત કહ્યું છે કે, આ મંખલિપુત્ર ગોપાલ મારો ધર્માતેવાસી છે, આ મખલિપુત્ર ગોશાલ મારો ધર્માતવાસી છે. (એમ કહીને ઉપહાસ કર્યો.) ૦ ભગવંતે કરેલ ગોશાળાના વચનનો પ્રતિવાદ :
તદનન્તર શ્રમણ ભગવંત મહાવીરે ગોશાલક મખલિપુત્રને આ પ્રમાણે કહ્યું, હે ગોશાલક ! જે પ્રમાણે કોઈ ચોર હોય અને તે ગામવાસિઓ દ્વારા પરાભવ પામતો – પામતો કોઈ ખાડો, ગુફા, દુર્ગ, નિમ્ન (નીચું સ્થાન), પર્વત અથવા કોઈ વિષમ સ્થાનને પ્રાપ્ત ન કરે ત્યારે, કોઈ એક મોટા ઉનના દોરા વડે, શણના દોરા વડે, કપાસના દોરા વડે, તણખલાંના અગ્રભાગ વડે, પોતાને આચ્છાદિત કરીને–ઢાંકીને બેસી જાય, એ રીતે તે ઢંકાયેલો નહીં હોવા છતાં પણ પોતે પોતાને ઢંકાયેલો – અવરાઈ ગયેલો છે તેવું માને, અપ્રચ્છન્ન હોવા છતાં પણ પોતાને પ્રચ્છન્ન–ગુપ્ત છે તેવું માને, લુપાયેલો ન હોવા છતાં પણ પોતાને લોપાઈ ગયેલો છે તેવું માને, અપલાપિત અર્થાત્ ગુપ્ત નહીં હોવા છતાં પોતે– પોતાને લાપિત અર્થાત્ ગુપ્ત છે તેવું માને છે. ઠીક એવી જ રીતે હે ગોશાલક ! તું અન્ય ન હોવા છતાં પણ તારી જાતને અન્ય છે તેવું માને છે તારી જાતને ગોશાળાને બદલે બીજો કોઈ છો તેવું બતાવી રહ્યો છે. હે ગોશાલક ! તું આવું ન કર. હે ગોશાલક ! એવું કરવું યોગ્ય નથી. તું તે જ છે, તારી તે જ પ્રકૃતિ છે, તું અન્ય કોઈ નથી. ૦ ભગવંત પરત્વે ગોશાળાનો પુનઃ આક્રોશ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org