SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ગોશાલક કથા ૨૮૫ આયુષ્ય દ્વારા સંયૂથ દેવનિકાયમાં તે ઉત્પન્ન થાય છે ત્યાં તે દિવ્ય ભોગ ભોગવીને – યાવત્ – ઐવિત થઈને ચોથા સંજ્ઞી ગર્ભમાં જન્મ લે છે. ૫. ત્યારપછી ત્યાંથી મૃત્યુ પામીને તત્કાળ મધ્યમ માનસોત્તર આયુષ્ય દ્વારા સંયૂથ દેવમાં ઉત્પન્ન થાય છે, ત્યાં દિવ્ય ભોગો ભોગવીને – યાવત્ – અવિત થઈને તે પાંચમાં સંજ્ઞીગર્ભમાં ઉત્પન્ન થાય છે. ૬. ત્યારપછી તે જીવ તત્કાળ ત્યાંથી (મૃત્યુ પામીને) નીકળીને અધિસ્તન માનસોત્તર આયુષ્ય દ્વારા સંયુથ દેવમાં ઉત્પન્ન થાય છે ત્યાં તે જીવ દિવ્ય ભોગોને ભોગવીને – યાવત્ – ત્યાંથી ચ્યવીને છટ્ઠા સંજ્ઞીગર્ભમાં ઉત્પન્ન થાય છે. ૭. તત્પશ્ચાત્ તત્કાળ ત્યાંથી નીકળીને જે બ્રહ્મલોક નામક કલ્પ (દેવલોક) કહેવાયેલ છે કે, જે પૂર્વ-પશ્ચિમ લાંબો છે અને ઉત્તર-દક્ષિણ પહોળો છે ઇત્યાદિ વર્ણન પન્નવણા સૂત્રના બીજા સ્થાન પદમાં કરાયેલ છે. (જુઓ પન્નવણા સૂત્ર-૨૨૮) – યાવત્ – તેમાં પાંચ અવતંસક વિમાન કહેવાયા છે તે આ પ્રમાણે – અશોક અવતંસક જે મનોહર - યાવત્ – પ્રતિરૂપ છે, તે દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તે દશ સાગરોપમ પર્યત દિવ્ય ભોગોને ભોગવીને – યાવત્ – ઐવિત થઈને સાતમાં સંજ્ઞી ગર્ભમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તે નવમાસ અને સાડા સાત રાત્રિ-દિવસ વ્યતીત થયા બાદ સુકુમાલ ભદ્ર મૃદુ દર્ભના કુંડલ સમાન સંકુચિત વાળવાળો, કાનોના આભૂષણોથી જેનો કપોલ ભાગ (ગાલનો ભાગ) શોભિત થઈ રહેલ છે. એવો દેવકુમારની સમાન પ્રભા અર્થાત્ કાંતિવાળા બાળકના રૂપમાં ઉત્પન્ન થાય છે. (ઉત્પન્ન થયો) હે કાશ્યપ ! તે હું છું, ત્યાર પછી તે આયુષ્યમાન્ કાશ્યપ ! કુમાર અવસ્થામાં પ્રવજ્યા દ્વારા, કુમાર અવસ્થામાં બ્રહ્મચર્ય દ્વારા અવિદ્ધકર્ણ અર્થાત્ કોઈના પણ ઉપદેશ વિના મને પ્રવજ્યા ગ્રહણ કરવાની ભાવના જાગૃત થઈ, પ્રવજ્યા ગ્રહણ કરીને આ સાત પ્રવૃત્ત–પરિવૃત્ત પરિવારમાં મેં સંચરણ કર્યું. તે સાત પ્રવૃત્ત પરિવાર આ પ્રમાણે છે :૧. ઐણેયકના, ૨. મલ્લરામના, 3. મંડિકના, ૪. રોહના, ૫. ભારદ્વાજના, ૬. ગૌતમ પુત્ર અર્જુનના અને ૭. મંખલિપુત્ર ગોશાળાના. ૧. તેમાં જે પહેલો પરિવૃત્ત પરિવાર હતો, તે રાજગૃહ નગરની બહાર મંઝિકૃષિ નામના ચૈત્યમાં કુંડિયાયન ગોત્રીય ઉદાયનનો શરીરનો ત્યાગ કર્યો. ત્યાગ કરીને ઐણેયકના શરીરમાં મેં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને બાવીસ વર્ષ સુધી પ્રથમ શરીરાન્તરમાં મેં પ્રવૃત્ત પરિહારે પરિવર્તન કર્યું. ૨. જે બીજો પરિવૃત્ત પરિવાર હતો, તેમાં ઉદંડપુર નગરની બહાર ચંદ્રાવરણ ચૈત્યમાં ઐણેયકના શરીરનો ત્યાગ કર્યો, ત્યાગ કરીને મેં મલ્લરામના શરીરમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને એકવીસ વર્ષ સુધી બીજા પરિવૃત્ત પરિહારનો મેં ઉપભોગ કર્યો. ૩. જે ત્રીજો પરિવૃત્ત પરિવાર હતો. તેમાં મેં ચંપાનગરીની બહાર અંગમંદિર ચૈિત્યમાં મલ્લરામના શરીરનો ત્યાગ કર્યો અને ત્યાગ કરીને મંડિકના શરીરમાં પ્રવેશ કર્યો અને પ્રવેશ કરીને મેં વીસ વર્ષ સુધી આ ત્રીજા પરિવૃત્ત પરિવારનો ઉપભોગ કર્યો. ૪. જે ચોથો પરિવૃત્ત પરિવાર હતો. તેમાં વાણારસી નગરીની બહાર કામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy