________________
ચક્રવર્તી – ભરત કથા
છતમાં પઘલતા–વનલતા આદિ અનેક લતાના ચિતરામણ કરાવ્યા. તે મુખમંડપની ઉપર આઠ–આઠ મંગલની રચના કરી, સ્વસ્તિક-શ્રીવત્સ આદિ આઠ ઇત્યાદિ.
– તે મુખમંડપની આગળ ચાર પ્રેક્ષાગૃહ મંડપ બનાવ્યા, જે મુખમંડપ સદશ જ હતા. તે પ્રેક્ષામંડપના બહુસમ રમણીય ભૂમિભાગનાં બહુમધ્ય દેશ ભાગમાં પ્રત્યેકમાં અક્ષપાટક રચાવ્યા. તે અલપાટક સર્વરત્નમય, નિર્મલ યાવત્ પ્રતિરૂપ હતા. તે અક્ષપાટકના ઠીક મધ્યભાગમાં પ્રત્યેકમાં એક–એક મનોહર સિંહાસન રચ્યું. તેના ઉપરના ભાગમાં સુંદર લંબૂસ–તોરણ બનાવ્યું. પ્રેક્ષાગૃહ મંડપની આગળ પ્રત્યેક પ્રત્યેકમાં એક મણિપીઠિકા બનાવી. તે મણીપીઠિકા સર્વરત્નમય, નિર્મળ – યાવત્ – પ્રતિરૂપ હતી. તે મણીપીઠિકાની પ્રત્યેકની ઉપર મનોહર ચૈત્યસૂપ બનાવ્યું. તે ચૈત્યસ્તૂપ શંખ–અંક યાવત્ સર્વરત્નમય હતું-નિર્મળ હતું. તેના ઉપર આઠ-આઠ મંગળ બનાવેલા.
– તે પ્રત્યેક ચૈત્યસ્તૂપની આગળ ચારે દિશામાં એક–એક એવી ચાર મણિપીઠિકા બનાવી જે સર્વે મણિમય હતી. તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક ચૈત્યસ્તૂપ સન્મુખ ૫૦૦ ધનુના પ્રમાણવાળી, રત્નનિર્મિત પદ્માસને રહેલી ઋષભ, વર્તમાન, ચંદ્રાનન (ચંદ્રપ્રભ) વારિષણની ચાર–ચાર પ્રતિમાઓ બનાવી. તે દરેક ચૈત્યસ્તૂપની આગળ અમૂલ્ય માણિજ્યમય વિશાળ એવી સુંદર પીઠિકાઓ રચી. તે દરેક પીઠિકા ઉપર એક-એક ચૈિત્યવૃક્ષ રચ્યું. ત્યાં પાલતા–વનલતા આદિના ચિતરામણ કરાવ્યા. ઉપર આઠ-આઠ મંગલોની રચના કરી, તે પ્રત્યેક ચૈત્યવૃક્ષની આગળ બીજી એક મણીમય મણીપીઠિકા બનાવી. તે પ્રત્યેક ઉપર એક–એક ઇન્દ્રધ્વજ રચ્યો. જે વજરત્નનો બનેલ હતો – યાવત્ – તેના પર આઠ-આઠ મંગળની રચના કરી.
– તે પ્રત્યેક મહેન્દ્રધ્વજની આગળ એક–એક નંદાપુષ્કરિણી બનાવી. જે પુષ્કરિણી ત્રણ-ત્રણ પગથિયા અને તોરણથી શોભતી હતી. જે સ્વચ્છ અને શીતળ જળથી ભરેલી હતી. વિચિત્ર કમળોથી શોભતી હતી. દધિમુખપર્વતના આધારભૂત પુષ્કરિણી જેવી મનોહર લાગતી હતી.
તે ચૈત્યગૃહમાં અડતાલીશ-દશક મનોગુણિકા છે. જેમાંથી સોળ પૂર્વમાં, સોળ પશ્ચિમમાં, આઠ દક્ષિણમાં અને આઠ–દશક ઉત્તરમાં છે. તે મનોગૅલિકામાં ઘણાં સોનાચાંદીના ફલક છે. તે સોના-ચાંદીના ફલકોમાં ઘણાં વજમય નાગદંતક છે – તે વજમય નાગદંતકોમાં ઘણી પુષ્પમાળાઓ લટકે છે. તે સોનાના ઝુમખાવાળી છે. યાવત્ સર્વ દિશાઓને સુગંધમય કરી રહી છે. તે ચૈત્યમાં અડતાલીશ-દશક ગોમાણસિયા છે. જે મનોગુલિકાની માફક પૂર્વ-પશ્ચિમ સોળ-સોળ અને ઉત્તર-દક્ષિણ આઠ-આઠ છે. તેમાં ઘણાં જ સોનાચાંદીના ફલક છે. તે ફલકમાં ઘણાં વજમય નાગદંતક છે તે વજમય નાગદંતકોમાં ઘણાં ચાંદીના સિક્કા છે. તે ચાંદીના સિક્કામાં ઘણી વૈડૂર્યરત્નની ધૂપઘટિકાઓ છે.
તે ચૈત્યના ઉપરના ભાગમાં પઘલતાદિ ઘણાં ચિત્રો બનાવેલા છે. તે ચૈત્યના બહુસમરમણીય ભૂમિભાગમાં બરાબર મધ્યદેશ ભાગમાં સર્વ મણિમય એવી મણીપીઠિકા છે. જે નિર્મળ – યાવત્ – પ્રતિરૂપ છે. તેની ઉપર સર્વરત્નમય એવો નિર્મળ – યાવત્ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org