________________
૮૨
વડે અંકિત કરતા આ પ્રમાણે માહણની ઉત્પત્તિ જાણવી.
ભરત પછી આદિત્યયશા રાજા થયો, તેની પાસે કાકણિરત્ન ન હોવાથી તે સોનાની યજ્ઞોપવિત (જનોઈ) ધારણ કરાવતો હતો. એ પ્રમાણે આઠ યુગપુરુષ પર્યંત આ પ્રવૃત્તિ ચાલી. તે આ પ્રમાણે રાજા—આદિત્યયશ, મહાયશ, અતિબલ, બલભદ્ર, બલવીર્ય, કૃતવીર્ય, જલવીર્ય અને દંડવીર્ય. તેમાં મહાયશ વગેરે રાજાએ (ચાંદીની) રૂપાની યજ્ઞોપવિત આપેલી. કેટલાંકે વિચિત્ર પટ્ટસૂત્રમય યજ્ઞોપવિત આપેલી. આ શ્રાવકોને પ્રતિષેધ કરાતો છ–છ મહિને પુનઃકસોટી કરાતી. પણ કાળક્રમે આ માહણ વર્ગ મિથ્યાત્વ પામ્યો. કેમકે નવમાં સુવિધિનાથ જિનના અંતરમાં સાધુવર્ગનો વિચ્છેદ થતા સંયતને બદલે અસંયતો પૂજાવા લાગ્યા.
૦ વેદ ઉત્પત્તિ :
આગમ કથાનુયોગ-૨
રાજા ભરતે માહણો (શ્રાવકો)ના સ્વાધ્યાયને માટે અર્હતોની સ્તુતિ, યતિધર્મ, સાધુ સામાચારી, શ્રાવકધર્મ, શ્રાવક સામાચારી, શાંતિકર્મ આદિના વર્ણનયુક્ત એવા ચાર આર્યવેદોની રચના કરી.
(સુલસા યાયવલ્કય આદિએ અનાર્ય વેદોની રચના કરેલી.) ૦ ભઋષભનિર્વાણ :
ભગવંત ઋષભદેવ નિર્વાણ પામ્યા. (જેનું વર્ણન ભઋષભ કથાથી જાણવું.) ભરત રાજાએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તે દુઃખથી સંતપ્ત મનવાળો થયો, પરમ શોક સંતપ્ત હૃદયવાળો થયો. તે પગે ચાલીને અષ્ટાપદે ગયો. લોહી નીકળતા પગે તે ચાલ્યો. તે પરિશ્રમને તે વેદી (સહન કરી) શકતો ન હતો. પરમ દુઃખી (વ્યથિત) થઈ તે ભગવંતને વંદના કરી પર્યુપાસના કરતો ત્યાં રહ્યો. દેવોએ નિર્વાણ મહોત્સવ કર્યો. (જેનું વર્ણન ભઋષભ કથાનકથી જાણવું) જ્યારે દેવ–દેવેન્દ્રોએ ભગવંતની અસ્થિ આદિ ગ્રહણ કર્યા ત્યારે ભરત વગેરેએ પણ ભગવંતની ચિતાની ભસ્મ ગ્રહણ કરી.
ત્યાર પછી ભગવંતને આશ્રિને ભરતે ચૈત્યગૃહ, જિનાલય કરાવ્યું. તેણે વર્ષકિરત્નને બોલાવ્યો. તેને કહીને એક યોજન લાંબુ, ત્રણ ગાઉં ઊંચુ સિંહ નિષદ્યા આકારું જિનાલય કરાવ્યું. તેમાં સેંકડો સ્તંભો ગોઠવ્યા, (જે પ્રમાણે વૈતાઢ્યના સિદ્ધાયતનનું વર્ણન જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં આવે છે. તે પ્રમાણેનું સિદ્ધાયતન – જિનાલય અહીં પણ સમજી લેવું – (જુઓ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર-૧૪) તેનું કિંચિત્ વર્ણન આવશ્યક ચૂર્ણિ પૃ. ૨૨૪ થી ૨૨૭માં કરાયેલ છે તે આ પ્રમાણે
-
રત્નમય પાષાણથી સિંહનિષદ્યા પ્રાસાદ કરાવ્યો. તેની ચોતરફ સ્ફટિક રત્નના ચાર દ્વાર કરાવ્યા. તે પ્રત્યેક દ્વારની બંને બાજુએ રત્નમય ચંદનના સોળ–સોળ કળશો રચાવ્યા. પ્રત્યેક દ્વારે સોળ સોળ રત્નમય તોરણો રચાવ્યો. અષ્ટમંગળની સોળ–સોળ પંક્તિઓ રચાવી. તે દ્વારોની બંને બાજુએ પ્રત્યેક—પ્રત્યેકમાં વિશાળ મુખમંડપો કરાવ્યા. જે સેંકડો સ્તંભોથી બનાવાયેલ હતા. તે પ્રત્યેક મુખમંડપોની ત્રણે દિશામાં ત્રણ દ્વાર કરાવ્યા. તે દ્વાર ઉત્તમ સુવર્ણાદિના બનેલા હતા. ત્યાં પણ સિંહનિષદ્યા પ્રાસાદના દ્વારની માફક સોળ–સોળ ચંદન કળશ અને રત્નમય તોરણોની રચના કરી. તે મુખ મંડપોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org