SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રવર્તી – ભરત કથા તે વાત બરાબર નથી. દેવલોકના મારા મૂળ રૂપને મનુષ્ય જોવા પણ સમર્થ નથી. કેમકે તે ઘણું જ દેદીપ્યમાનું હોય છે. ત્યારે ભારતે ફરીથી કહ્યું કે, મને તે મૂળરૂપ જોવાનું ઘણું જ કુતૂહલ છે, દેવેન્દ્રએ કહ્યું કે, તું ઉત્તમ પુરુષ છે માટે હું તને કિંચિંતુ દર્શન કરાવું. એમ કહીને – આને હું શરીરના માત્ર એક ભાગનું દર્શન કરાવું. એમ વિચારી યોગ્ય અલંકાર વિભૂષિત એવી માત્ર એક આંગળીનું દિવ્ય–દેદીપ્યમાન રૂપ દેખાડ્યું. તે જોઈને ભરત અતીવ હર્ષાયમાનું થઈ ગયો. તેણે તે આંગળી જેવી દેદીપ્યમાનું આકૃતિ કરાવી તેના નિમિત્તે અષ્ટાલિકા મહોત્સવ કર્યો. ત્યારથી પ્રતિવર્ષ ઇન્દ્ર મહોત્સવ પ્રવર્યો. ભરતે કહ્યું કે, તમે દેવેન્દ્ર છો, હું માનુષેન્દ્ર છું આપણે મિત્ર થઈએ. ઇન્કે પણ તે વાત સ્વીકારી. ત્યારપછી ભરતે શ્રાવકોને બોલાવીને કહ્યું, તમારે પેષણ—કૃષિ આદિ કર્મ–વ્યાપાર કરવો નહીં. હું તમારી આજીવિકાનો ખ્યાલ રાખીશ. પ્રતિદિન મારે ત્યાં ભોજન કરવું. તમારે સ્વાધ્યાયાદિ કરવો, જિનવાણી સાંભળવી, સાધુઓની સુશ્રુષા કરવી અને એ રીતે રહેવું. ત્યારે તેઓ પણ રોજેરોજ ભરતરાજાના ભોજનગૃહમાં વ્યવસ્થિત આસને બેસી જમવા લાગ્યા. રોજ રાજાને આશીર્વચન કહેતા, “તો મવા વર્ષને મયં તસ્મા હન મા નૈતિ | હે રાજન્ ! તમે જીતાઈ રહ્યા છો. ભય વધી રહ્યો છે. તેથી કોઈને (આત્મગુણને) હણો નહીં – હણો નહીં. રાજા ભરત રતિસાગરમાં ડૂબેલો હતો. પ્રમાદમાં હતો. આ શબ્દો સાંભળીને પછીના કાળે વિચારે છે. હું કોના વડે જીતાયો છું. ત્યારે તેને એવી મતિ ઉત્પન્ન થતી કે ક્રોધાદિ કષાય વડે હું જીતાયેલો છું. ભોગપ્રમત્તતા યાદ આવતી. તેનાથી જ મને ભય વધી રહ્યો છે. એ પ્રમાણે આલોચના કરતા ધર્મધ્યાન થતું અને સંવેગમાં પ્રવૃત્ત થતો. કેટલોક કાળ તે શબ્દાદિ વિષયથી દૂર થઈ જતો. ત્યારે ત્યાં ઘણાં લોકોએ ભોજન કરવાનું શરૂ કરી દીધું. ત્યારે ઘણાં બધાં લોકોના આવાગમનને કારણે સૂપકારો (રસોઈયાઓ) પૂરતી રસોઈ બનાવી શકતા ન હતા. તેથી ભરતને નિવેદન કર્યું કે, આમાં કોણ શ્રાવક છે અને કોણ નથી ? તે જાણી શકાતું નથી. કેમકે પ્રચુર પ્રમાણમાં લોકો આવે છે. ત્યારે ભરતરાજાએ કહ્યું કે, તમારે પૂછીને જમાડવા. ત્યારે રસોઈયા પૂછવા લાગ્યા, તમે કોણ છો ? જવાબ મળતો કે અમે શ્રાવક છીએ. શ્રાવકોને કેટલા વ્રત હોય છે ? “અમારે વ્રતો હોતા નથી.” પરંતુ અમારે પાંચ અણુવ્રત હોય છે. શિક્ષાવ્રત કેટલા હોય છે ? તેઓ કહેતા કે સાત શિક્ષાવ્રત હોય છે. – જેઓ આવા જ્ઞાતા હતા તેની રાજાને માહિતી આપી. જે નિષ્ક્રમણ પ્રવેશ આદિ જાણતા હતા. તેમની એક કતાર (હરોળ–શ્રેણી) બનાવવામાં આવી. પછી તે બધાંને રાજા પાસે લાવવામાં આવ્યા. રાજાએ તે બધાંને કાકણી રત્ન વડે લંછિત કર્યા (જનોઈ જેવું ચિન્હ કર્યું). ફરી પાછા છ માસ ગયા બાદ એ જ રીતે કસોટી કરવામાં આવી. જે બીજા શ્રાવકો થયા તેને પણ લંછિત કરવામાં આવ્યા. એ રીતે છ–છ માસે શ્રાવકો તૈયાર થયા તે મહા (બ્રાહ્મણ) કહેવાયા (કેમકે તેઓ મા ટન મા એમ રાજાને કહેતા હતા) તેઓને જે પુત્ર ઉત્પન્ન થતા તે સાધુઓને આપતા હતા. તેમાંથી જે દીક્ષા ગ્રહણ કરતા તે સાધુ થતા હતા. જે દીક્ષાગ્રહણ કરતા ન હતા. તે શ્રાવકો રૂપે રહેતા હતા. અન્ય પણ જે કોઈ ત્યાં આવતા તેની કસોટી કરી ભરત પાસે લાવતા. ભરતરાજા તેને કાકણિરત્ન ion International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy