________________
૮૦
આગમ કથાનુયોગ-૨
ભરતરાજા એકાંત સમ્યગુ દર્શનથી અનરંજિત હૃદયવાળા થઈને, ભાવિ તીર્થંકરની ભક્તિ બુદ્ધિથી મરીચીને અભિવંદન કરવા પ્રવૃત્ત થયા. તેમણે મરીચીને કહ્યું કે, હું તમારા આ જન્મના આ પરિવ્રાજકપણાને વંદન કરતો નથી, પણ તમે ભાવિમાં જે અંતિમ તીર્થંકર થવાના છો તેને વંદુ છું. એ પ્રમાણે વંદના-સ્તવના કરી, પછી ત્રણ પ્રદક્ષિણા દઈ ભગવંત ઋષભદેવને પૂછીને વિનીતાનગરી (—અયોધ્યા)માં ભરતે પ્રવેશ કર્યો. ૦ માયણ-ઉત્પત્તિ તથા ઇન્દ્ર મહોત્સવ પ્રવર્તન :
અન્યદા ભગવંત ઋષભદેવ વિહાર કરતા અષ્ટાપદ પધાર્યા. ત્યાં સમવસરણ થયું. ભરત પણ ભાઈઓની દીક્ષા થયાનું સાંભળી મનથી ઘણો જ સંતાપ પામેલો અને ખિન્ન થયેલો હતો. તેના મનમાં વિચાર આવ્યો કે, ફરીથી હું ભોગ–દાન માટે પ્રાર્થના કરું અને જો ગ્રહણ કરે તો સારું. એવું વિચારી તે ભગવંત પાસે આવ્યો. તેમને નિમંત્રણા કરી કે આપ ભોગથી નિવર્સેલા છે અને સર્વસંગનો પણ પરિત્યાગ કર્યો છે. તો આપ મને આહારદાનનો લાભ આપી ધર્માનુષ્ઠાન કરવા દો (ભરતે વિચાર્યું કે, હું આહારદાન દ્વારા ધર્માનુષ્ઠાન કરું) પાંચસો ગાડાં ભરીને વિવિધ પ્રકારનો આહાર લાવી નિમંત્રણા કરી. ભગવંતે જણાવ્યું કે, આધાકર્મી અને સામેથી લાવેલ આહાર યતીઓને (સાધુઓને) પ્રતિષેધ હોવાથી કલ્પતો નથી. સાધુ માટે કરેલ કે કરાવેલ ન હોય તેવા અન્નથી નિમંત્રણા કરવી જોઈએ. વળી રાજપિંડ પણ સાધુઓને નિષેધ હોવાથી ક૫તુ નથી.
ત્યારે ભરતરાજાને થયું કે, હું તો સર્વ પ્રકારે ભગવંત દ્વારા ત્યજાયેલો છું. તે ખૂબ જ દુઃખી થઈ ગયો. તેને દુઃખિત થયો જાણી દેવરાજે શક્રએ તેના કોપની શાંતિ માટે ભગવંતને પૂછ્યું કે, અવગ્રહ કેટલા પ્રકારે કહ્યો છે ? ભગવંતે જણાવ્યું કે, અવગ્રહ પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે – દેવેન્દ્ર અવગ્રહ, રાજ્ય અવગ્રહ, ગૃહપતિ અવગ્રહ, સાગારિક અવગ્રહ અને સાધર્મિક અવગ્રહ, દેવેન્દ્ર એટલે દક્ષિણાર્ધ અધિપતિ શક્ર, રાજા-ભરતક્ષેત્રનો અધિપતિ, ગૃહપતિ અર્થાત્ માંડલિક રાજા, સાગારિક અર્થાત સર્જાતર અને સાધર્મિક એટલે સંયત (સાધુ-સાધ્વી). આ બધાંમાં પૂર્વ–પૂર્વનો અવગ્રહ પછી–પછીના અવગ્રહથી બાધિત થાય છે. ઇત્યાદિ પ્રરૂપણા કરી.
દેવરાજ શક્રએ કહ્યું કે, હે ભગવન્! જે આ શ્રમણો મારા આ અવગ્રહમાં વિચરી રહ્યા છે. તેને આ અવગ્રહમાં વિચરવાની હું અનુજ્ઞા આપું છું. એ પ્રમાણે કહીને ભગવંતને વંદન કરી ઊભો રહ્યો. ભરતે પણ વિચાર્યું કે હું પણ (ભરતક્ષેત્રના) મારા અવગ્રહની અનુજ્ઞા આપું. આટલું કહીશ તો પણ હું કૃતાર્થ થઈશ. ભગવંત પાસે જઈને તેણે પણ સ્વ–અવગ્રહમાં સાધુઓને વિચરવાની અનુજ્ઞા આપી. પછી શુક્રને પૂછ્યું, હું આ ભોજનપાન લાવ્યો છું, તેનું મારે શું કરવું ? દેવરાજ શક્રએ કહ્યું, વિશેષ ગુણવાનોની ભક્તિ કરવી. ભરતે વિચાર્યું કે, મારા માટે સાધુને છોડીને બીજા વિશેષ ગુણવાનું કોને જાણવા? પર્યાલોચના કરતા તેને ખ્યાલ આવ્યો કે, શ્રાવકો પણ દેશવિરતિધર હોવાથી મારે માટે વિશેષ ગુણવાનું છે. તેઓને આ અન્ન-પાન આપું.
ફરી પાછું ભરતે દેવેન્દ્રના રૂપ અને ભાસ્વર આકૃતિવાપણાને જોઈને પૂછયું. શું તમે આવા પ્રકારના રૂપ વડે જ દેવલોકમાં પણ રહો છો કે, કેમ ? દેવેન્દ્રએ કહ્યું કે, ના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org