________________
૨૭૦
આગમ કથાનુયોગ-૨
કે, આ થાળ ભાંગી જવાનો છે, તેથી પ્રયત્નપૂર્વક તેનું રક્ષણ કરવું, તેઓએ દૂધપાક પકાવવાના થાળને વાંસની ચીપ બનાવીને બાંધી દીધો. તેમાં ઘણાંબધાં વધારે ચોખા નાંખ્યા, ચોખા પાકવાથી ફૂલી ગયા. તેથી તે થાળ ફૂટી ગયો. ત્યારે ગોવાળોએ જે-તે જમી લીધું. ગોશાળાને કંઈ મળ્યું નહીં. તેથી તેના મનમાં નિયતિવાદ ગાઢ બન્યો.
ત્યાંથી હું બ્રાહ્મણગ્રામ ગયો. ત્યાં નંદ અને ઉપનંદ બે ભાઈઓ રહેતા હતા. તે ગામમાં પણ બે પાડા (ઉપ વિસ્તાર) હતા. એક નંદનો પાટક અને બીજો ઉપનંદનો પાટક. ત્યારે હું નંદના પાડામાં, નંદના ઘરે ગયો. ત્યાં નંદે મને પર્કષિત અન્ન વડે પ્રતિલાભિત કર્યો. ગોશાળા ઉપનંદના પાટકમાં ઉપનંદના ઘેર ગયો. તેણે ઉપનંદને ભિક્ષા આપવા માટે કહ્યું, ત્યારે ત્યાં ગૌચરીની વેળા થઈ ન હતી. ત્યારે તે ઠંડા ભાત લઈને આપવા આવ્યો. ગોશાળાએ તે લેવાની ના પાડી. તેથી ઉપનંદે ગુસ્સાથી દાસીને કહ્યું કે, એ ભાત તું તેના માથા ઉપર ફેંકી દે. તેણીએ ગોશાળાના માથે ઠંડા ભાત ફેંક્યા. ત્યારે ગોશાળાએ અપ્રીતિથી કહ્યું કે, જો મારા ધર્માચાર્યનું કંઈ તપ તેજ હોય તો આનું ઘર બળી જાઓ. ત્યારે નિકટ રહેલા વાણવ્યંતરે વિચાર્યું કે, ભગવંતનું વચન મિથ્યા ન થાઓ. તેથી તેણે તેનું ઘર બાળી નાંખ્યું.
ત્યાંથી હું (ભગવંત મહાવીર) ચંપાનગરી ગયો. ત્યાં વર્ષાવાસ રહ્યો. ત્યાં બે માસી તપ અંગીકાર કર્યો. વિવિધ તપ વડે ત્રીજું ચોમાસું પૂર્ણ કર્યું. ત્યારે છેલ્લા બે માસી તપનું પારણું કાલાક નામના સંનિવેશમાં બહાર કર્યું. ગોશાળા સાથે પછી શૂન્યગૃહમાં કાયોત્સર્ગ ધ્યાને રહ્યો. ગોશાળો પણ તેના બારણા પાસે રહ્યો. ત્યારે સિંહ નામનો ગામના મુખીનો પુત્ર વિદ્યુમ્નતી નામના દાસી સાથે તે શૂન્યગૃહમાં આવ્યો. તેમણે કહ્યું કે, અહીં જે કોઈ શ્રમણ કે બ્રાહ્મણ કે પથિક જે કોઈ રહેલ હોય તે અન્યત્ર ચાલ્યા જાઓ. તે બંને થોડીવારે ક્રીડા કરીને નીકળ્યા ગોશાળા વડે તે દાસીને સ્પર્શ થયો. ત્યારે તેણી બોલી અહીં કોઈક છે. ત્યારે મુખિપુત્રએ આવીને તેને ખૂબ માર્યો કે, આ પૂર્વે આપણને અનાચાર કરતા જોયા છે. ત્યારે તેણે ભગવંતને ફરિયાદ કરી કે, મને એકલાને માર્યો ત્યારે તમે કેમ ન રોક્યા ? ત્યારે કહ્યું કે, તું તારા લક્ષણ સરખા રાખ, શું અમારે પણ તારી પાછળ માર ખાવો ? અંદર કેમ રહેતો નથી ? '
ત્યાંથી હું (મહાવીર સ્વામી) પાત્રાલકે ગયા. ત્યાં પણ શૂન્યગૃહે રહ્યા. ગોશાળો ત્યાં ભયથી અંદર જ રહ્યો. ત્યાં &દક નામનો ગામના મુખીનો પુત્ર પોતાની દાસી દંતિલિકા સાથે તે શૂન્યગૃહમાં આવ્યો. તેણે પણ પૂર્વવત્ જણાવ્યું કે, જો કોઈ હોય તે બહાર નીકળી જાય. ક્રીડા કરીને જતા હતા ત્યારે ગોશાળો હસ્યો. ત્યારે ફરી પણ તેણે માર ખાધો. ત્યારે ફરી ભગવંતને (મો) તિરસ્કારથી કહ્યું કે, હું માર ખાઉં છું અને તમે બચાવતા નથી. ત્યારે તેને કહ્યું કે, તું તારું માથું ઠેકાણે રાખને. તું તારી પોતાની ભૂલથી માર ખાય છે. ત્યાંથી હું કુમારક નામના સંનિવેશમાં ગયો. ત્યાં ચંપરમણીય ઉદ્યાનમાં પ્રતિમા ધ્યાને રહ્યો. ત્યાં પાર્શ્વનાથના શાસનના મુનિચંદ્ર નામના સ્થવિર જિનકલ્પપ્રતિમા ધારણ કરીને રહેલા. ગોશાળાએ કહ્યું કે, હે ભગવંત ! ચાલો અવસર થયો છે. ભિક્ષાર્થે જઈએ. ત્યારે મેં કહ્યું, મારે ઉપવાસ છે. ગોશાળો ચાલવા લાગ્યો, તેણે મુનિચંદ્રસૂરિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WW