________________
ગોશાલક કથા
૨૬૯
એક રૂપિયો આપ્યો. તેણે રૂપિયાની પરીક્ષા કરી. તો ખબર પડી કે તે ખોટો છે. ત્યારે તે બોલ્યો, જ્યારે જે થવાનું હોય તે અન્યથા થતું નથી. લજ્જા પામી પાછો આવ્યો.
ત્યારપછી તે મખલિપુત્ર ગોશાલકે મને તંતુવાયશાળામાં ન જોઈને રાજગૃહ નગરની અંદર-બહાર બધે ચારે તરફ મારી માર્ગણા–ગવેષણા કરી. પરંતુ ક્યાંય મારી શ્રુતિ–સુતિ અને પ્રવૃત્તિ જાણવામાં ન આવી, ત્યારે તે પાછો તંતુવાય શાળામાં આવ્યો, આવીને પોતાની શાટિકા, પાટિકા (બંને એક પ્રકારના વસ્ત્ર છે), કુંડિકા, પાદુકા અને ચિત્રપટ્ટ આદિ પોતાના ઉપકરણોને ધિક્કારપૂર્વક બ્રાહ્મણને સોંપી દીધા. સોંપીને દાઢી-મૂંછ મુંડાવ્યા. મસ્તકનું મુંડન કરાવ્યું. કરાવીને તંતુવાય શાળાથી નીકળ્યો. નીકળીને નાલંદા પાડાના મધ્યભાગમાંથી નીકળ્યો, નીકળીને જ્યાં કોલ્લાગ સંનિવેશ હતું ત્યાં આવ્યો.
તે વખતે કોલ્લાગ સન્નિવેશના બાહ્ય ભાગમાં ઘણાં લોકો પરસ્પર એકબીજા સાથે આ પ્રમાણે વાત કરી રહ્યા હતા – યાવત્ – પ્રરૂપણા કરી રહ્યા હતા કે, હે દેવાનુપ્રિયો! બહુલ બ્રાહ્મણ ધન્ય છે – યાવત્ – બહુલ બ્રાહ્મણના મનુષ્ય જન્મ અને જીવનનું ફળ પ્રશંસનીય છે. ત્યારે ગોશાલક મખલિપુત્રે તે ઘણાં લોકો પાસે આ સંવાદ સાંભળીને અને હૃદયમાં અવધારિત કરીને આવા પ્રકારનો મનોગત – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો
મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવંતને જેવી ઋદ્ધિ, ધૃતિ, યશ, બલ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ મળેલ છે. પ્રાપ્ત થયેલ છે, અભિસમન્વાગત થયેલ છે, તેવા પ્રકારની ઋદ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ અન્ય કોઈપણ તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને મળેલ નથી, પ્રાપ્ત થયેલ નથી. અધિગત થયેલ નથી. તેથી નિસંદેહ અહીં મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ ભગવંત મહાવીર હોવા જોઈએ. આવા પ્રકારનો વિચાર કરીને કોલ્લાગ સન્નિવેશના અંદર-બહાર મારી માર્ગણા–ગવેષણા કરી અને પછી બધે જ ચારે તરફ મારી માર્ગણા–ગવેષણા કરતાંકરતો કોલ્લાગ સન્નિવેશના બાહ્ય ભાગમાં સ્થિત મનોજ્ઞભૂમિમાં મને આવીને મળ્યો.
ત્યારપછી તે મંખલિપુત્ર ગોશાલકે હર્ષિત-સંતુષ્ટ થઈને મને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, વંદન–નમસ્કાર કર્યા અને વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે નિવેદન કર્યું, હે ભંતે ! આપ મારા ધર્માચાર્ય છો અને હું આપનો અંતેવાસી છું. ત્યારે તે ગૌતમ ! મેં મખલિપુત્ર ગોશાલકની આ વાત સાંભળી અને સ્વીકાર કર્યો. ૦ ગોશાલકનો ભ૦મહાવીર સાથે વિહાર :
ત્યારપછી હે ગૌતમ! મેં ગોશાલ મખલિપુત્ર સાથે છ વર્ષપર્યંત તે પ્રણિત ભૂમિમાં લાભ–અલાભ, સુખ-દુ:ખ, સત્કાર–અસત્કારનો અનુભવ કરતાં-કરતા અને અનિત્યતાનું ચિંતન કરતા–કરતા વિચરણ કર્યું. તે આ પ્રમાણે–
હું ગોશાલા સાથે સ્વર્ણખલ ગયો. ત્યાં માર્ગમાં ગોપાલો દૂધ લઈને મોટા થાળમાં નવા ચોખા નાંખીને દૂધપાક બનાવતા હતા. ત્યારે ગોશાળાએ કહ્યું કે, ચાલો ભગવંત આપણે રહીં ભોજન લઈશું. ત્યારે (મારામાં રહેલ) સિદ્ધાર્થ વ્યંતરે જવાબ આપ્યો કે, આ દૂધપાક પાકવાનો જ નથી, તે વાસણ ભાંગી જવાનું છે. ત્યારે તે વચનમાં શ્રદ્ધા ન કરતા, તેણે ગોવાળને કહ્યું કે, આ દેવાર્ય ભૂત અને ભાવિના જાણકાર છે. તેઓ કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org