SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ આગમ કથાનુયોગ-૨ ત્યાં આવ્યો. આવીને સુનંદ ગાથાપતિના ઘરમાં વસુધારાની વૃષ્ટિ જોઈ, પંચવર્ણા પુષ્પોને વિખરાયેલા જોયા તથા સુનંદ ગાથાપતિના ઘરમાંથી મને નીકળતો જોયો. તે જોઈને હર્ષિત અને સંતુષ્ટ થયેલો ગોશાળો હું જ્યાં હતો ત્યાં આવ્યો. મને ત્રણ વખત પ્રદક્ષિણા કરી. વંદના નમસ્કાર કરીને મને આ પ્રમાણે નિવેદન કર્યું કે, હે ભગવંત! આપ મારા ધર્માચાર્ય છો અને હું આપનો શિષ્ય છું ત્યારે હે ગૌતમ ! મેં મખલિપુત્ર ગોશાલના તે કથનનો આદર કર્યો નહીં, તે તરફ ધ્યાન આપ્યું નહીં, પરંતુ મૌન ધારણ કર્યું. ૦ ભ૦મહાવીરનું ચોથું પારણું–ગોશાળાને શિષ્યરૂપે સ્વીકાર : ત્યારપછી હે ગૌતમ ! હું રાજગૃહ નગરથી પાછો નીકળ્યો. યાવત્ આવીને ચોથું માસક્ષમણ અંગીકાર કર્યું, તે નાલંદાના બહારના ભાગથી કંઈક દૂર કોલ્લાગ નામક સંનિવેશ હતું. તે કોલ્લાગ સંનિવેશમાં બહુલ નામે બ્રાહ્મણ નિવાસ કરતો હતો. તે ધન વૈભવ સંપન્ન હતો – યાવત્ - અનેક લોકોથી અપરિભૂત હતો તથા ઋગવેદ – યાવત્ – બ્રાહ્મણ ગ્રંથો અને પરિવ્રાજક સિદ્ધાંતોમાં નિષ્ણાત હતો. તે બહુલ બ્રાહ્મણે કાર્તિક ચાતુર્માસ અનંતર પ્રતિપદાના દિવસે પુષ્કળ મધુ અને ધૃતથી સંયુક્ત ખીરનું બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. ત્યારે હે ગૌતમ ! ચોથા માસક્ષમણના પારણાને માટે હું તંતુવાયશાળાથી નીકળ્યો. નીકળીને નાલંદા–પાડાના મધ્યભાગમાંથી થઈને જ્યાં કોલ્લાક સંનિવેશ હતું, ત્યાં ગયો. ત્યાં જઈને કોલ્લાગ સંનિવેશના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં – યાવત્ – ભ્રમણ કરતો બહુલ બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ્યો ત્યાર પછી તે બહુલ બ્રાહ્મણે મને પોતાના ઘરમાં આવતો જોઈને ઇત્યાદિ વર્ણન વિજય ગાથાપતિ પ્રમાણે કરી લેવું – યાવત્ – વંદનનમસ્કાર કરીને મને તે પુષ્કળ મધુ-બૃતથી સંયુક્ત પરમાત્ર વડે પ્રતિલાભિત કરીશ, એવા વિચારથી તે બહુલ બ્રાહ્મણ સંતુષ્ટ થયો. પ્રતિલાભિત કરતા પણ સંતુષ્ટ થયો અને પ્રતિલાભિત કર્યા પછી પણ સંતુષ્ટ થયો. ત્યારે તે બહુલ બ્રાહ્મણે દ્રવ્ય શુદ્ધિથી - યાવત્ – વિજય ગાથાપતિના વર્ણનમાં જણાવ્યા અનુસાર લોકો પ્રરૂપણા કરવા લાગ્યા. હે દેવાનુપ્રિયો ! બહુલ બ્રાહ્મણ ધન્ય છે, દેવાનુપ્રિયો ! બહુલ બ્રાહ્મણ કૃતાર્થ છે. દેવાનુપ્રિયો ! બહુલ બ્રાહ્મણ કૃતપુન્ય છે. દેવાનુપ્રિયો ! બહુલ બ્રાહ્મણ કૃતલક્ષણ છે. દેવાનુપ્રિયો ! બહુલ બ્રાહ્મણે ઉભયલોક સાર્થક કર્યો છે. દેવાનુપ્રિયો ! તે બહુલ બ્રાહ્મણનો મનુષ્યજન્મ અને જીવનનું ફળ પ્રશંસનીય છે કે જેના ઘરમાં તથારૂપ પરમ શ્રમણને પ્રતિલાભિત કરવાથી આ પંચદિવ્યો પ્રગટ થયા છે તે આ પ્રમાણે – વસુધારા વૃષ્ટિ – યાવતું – “અહોદાનં–અહોદાન"ની ઉદૂઘોષણા. તેથી બહુલ બ્રાહ્મણ ધન્ય છે, કૃતાર્થ છે, કૃતપુણ્ય છે, કૃતલક્ષણ છે, તેના બંને લોક સાર્થક છે અને તેણે મનુષ્ય સંબંધિ જન્મ અને જીવનનું ફળ સમ્યક્ પ્રકારે પ્રાપ્ત કર્યું છે. હવે તે જ દિવસે ગોશાળાએ ભગવંતને પૂછેલું કે, આજ મને શું ભોજન પ્રાપ્ત થશે? ભગવંત વતી સિદ્ધાર્થ વ્યંતરે કહેલું કે, આજે તને આંબલીના પાણી સાથે ક્રોદરાભાત મળશે અને દક્ષિણામાં એક ખોટો રૂપિયો મળશે. ત્યારે ગોશાળો સર્વ આદર વડે આખી નગરીમાં ફર્યો, પણ તેને કંઈજ પ્રાપ્ત થયું નહીં. પછી અપરહણ કાળે–સંધ્યાકાળે કોઈ કર્મકરે આંબલીના પાણીવાળા ભાત આપ્યા, ત્યારે તે જમ્યો. પછી કર્મકરે દક્ષિણામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy