SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ બળદેવ, વાસુદેવ ૧૩૯ ખંડ–૧–ઉત્તમપૂરૂષ ચૈત્ર અધ્યયન–૩–બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ કથાનક ૦ ભૂમિકા :- ત્રણે ઉત્તમ પુરષો સાથે કેમ લીધા ? ઉત્તમ પુરુષોના કથાનકમાં ખરેખર તો તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવ એમ પાંચ વિભાગ/અધ્યયન અલગ–અલગ જ ગણાય. (જેઓ પ્રતિવાસુદેવ આમાં ગણતા નથી તેમના મતે ચોપન મહાપુરુષ ગણીએ તો પણ ચોવીસ તીર્થંકરનું એક અધ્યયન, બાર ચક્રવર્તીનું એક અધ્યયન, નવ વાસુદેવનું એક અધ્યયન અને નવ બળદેવનું એક અધ્યયન એ રીતે ચાર અધ્યયનો થાય, પરંતુ વાસુદેવ અને બળદેવ બંને ભાઈઓ જ હોય છે. તેમના પિતા એક હોય છે અને માતા અલગ-અલગ હોય છે. તે બંનેનું ચરિત્ર સાથે જ હોય છે. વળી પ્રતિવાસુદેવનું હંમેશા વાસુદેવ સાથે યુદ્ધ થાય છે અને નિયમો વાસુદેવના હાથે પ્રતિવાસુદેવનું મૃત્યુ થાય છે, તેથી તેનું કથાનક પણ વાસુદેવ-બળદેવ સાથે જોડાયેલું રહે છે. તેથી આ ત્રણે ઉત્તમ પુરુષોનું ચરિત્ર સહવર્તી હોવાથી અહીં એક સાથે લીધેલ છે. ૦ દશાર/દશાર મંડલ શબ્દનો અર્થ : દશાર કે દશામંડલ એ બળદેવ અને વાસુદેવ માટે વપરાતો સંયુક્ત શબ્દ છે. તેઓનો વંશ દૂષમસુષમા આરામાં ઉત્પન્ન થાય છે. તેમાં નવ બળદેવ અને નવ વાસુદેવ પ્રત્યેક અવસર્પિણી–ઉત્સર્પિણી કાળમાં થાય છે. જંબૂલીપ નામના હીપમાં ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં નવ દશાર મંડલ થયા. તે આ પ્રમાણે જે ઉત્તમપુરુષ છે, મધ્યમપુરુષ છે, પ્રધાનપુરુષ છે, ઓજસ્વી, તેજસ્વી, બળશાળી, યશસ્વી, સુંદર શરીરવાળા, કાંત, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શન રૂપ, સુરૂપ, સુખશાળી છે. સુખાભિગમ છે અર્થાત્ જેમની પાસે બધાં સુખપૂર્વક પહોંચી શકે છે. જે બધાં મનુષ્યોના નેત્રો માટે કાંતરૂપ છે. જે અધિકબલી, અતિઅલી અને મહાબલી છે. અપ્રતિહત અને અપરાજિત છે. શત્રુઓનું મર્દન કરનાર છે. હજારો શત્રુઓના માનનું મર્દન કરનારા છે. દયાળુ, અમત્સર, અચપળ, અચંડ, મૃદુ, મંજુલ અને હસીને વાત કરનાર છે. જેમની વાણી ગંભીર, મધુર, પ્રતિપૂર્ણ અને સત્ય હોય છે. જેનામાં વાત્સલ્યભાવ છે, શરણ યોગ્ય છે, જેમનું શરીર લક્ષણ, વ્યંજન, ગુણોપેત, માનોન્માન પ્રમાણ, પરિપૂર્ણ, સુસંસ્થાનયુક્ત અને સર્વાગ સુંદર હોય છે. તેઓ ચંદ્ર સમાન શીતળ, જોવામાં કાંત અને પ્રિય હોય છે. જે માત્સર્યરહિત છે. દંડનીતિના પ્રકાંડ વિદ્વાનું છે, ગંભીર દર્શનવાળા છે. જેમાં બળદેવ તાલ ધ્વજવાળા અને વાસુદેવ ગરૂડ ધ્વજવાળા છે. તેઓ મહાધનુષનો ટંકાર કરનારા છે. મહાબળના સમુદ્ર સમાન છે. સમરાંગણમાં દુર્ધર ધનુર્ધર છે. ધીરપુરુષ છે. યુદ્ધમાં કીર્તિ પ્રાપ્ત કરનારા છે. મહાનું કુળમાં ઉત્પન્ન છે. મહારત્નોને ચૂર્ણ જેવા બનાવી દેવાના બળના ધારક છે. અર્ધ ભરતક્ષેત્રના અધિપતિ છે, સૌમ્ય છે, રાજ્યવંશના તિલક સમાન છે, અજેય છે, અજિત રથ છે. તેમાં બળદેવ હાથમાં હળ ધારણ કરે છે અને વાસુદેવ ધનુષ ધારણ કરે છે. શંખ, ચક્ર, ગદા, શક્તિ અને નંદક ધારણ કરે છે. મસ્તક પર શ્રેષ્ઠ, ઉજ્વળ, શુક્લ, વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy