________________
૧૪૦
આગમ કથાનુયોગ-૨
કૌસ્તુભ મણિયુક્ત મુગટને ધારણ કરનારા છે. કાનોમાં પહેરેલા કુંડળથી જેઓનું મુખ શોભાયમાન હોય છે. કમળ જેવા નયન છે અને વક્ષસ્થળ પર એકાવલિ હાર લટકે છે.
જેઓ શ્રીવત્સના લંછનથી યુક્ત છે. જેમની યશકીર્તિ લોક વિશ્રત છે. બધી ઋતુઓમાં ઉત્પન્ન થનારા પંચરંગી સુગંધી સુંદર, કાંત, વિકસિત ઉત્તમ પુષ્પોની લટકતી માળાઓ વડે જેમનું ગળું શોભે છે. જેમના અંગોપાંગમાં ૧૦૮ પ્રશસ્ત સુંદર ચિન્હ શોભિત હોય છે. મદમત્ત શ્રેષ્ઠ ગજેન્દ્ર જેવી લલિત ગતિ સમાન જેમની ગતિ હોય છે. જેમનો નિનાદ–સ્વર ક્રૌંચ પક્ષીના મધુર અને ગંભીર શરદ સ્વર જેવો હોય છે. જેમાં બળદેવ નીલ અને વાસુદેવ પીત વસ્ત્રના ઘારક હોય છે. તેઓ સૂર્ય સમાન તેજસ્વી, નરસિંહ, નરપતિ, નરેન્દ્ર, નરવૃષભ અને દેવરાજ ઇન્દ્ર જેવા છે. અપ્રતિહત રાજ્ય તેજ લક્ષ્મીથી દીપ્તિમાન આ રામ (બળદેવ) અને કેશવ (વાસુદેવ) બંને ભાઈ–ભાઈ હોય છે. તે પ્રમાણે ત્રિપૃષ્ઠ યાવત્ કૃષ્ણ અને અચલ યાવત્ રામ એ પ્રમાણે આ દશાર મંડળ ક્રમશ: નવ વાસુદેવ અને નવ બળદેવ થયા.
૦ દશાર/દશામંડલના આગમ સંદર્ભ :સૂય.નિ. ૧૪૯;
ઠા. ૮૯, ૧૫૧ + વક સમ. ૩૨૭ + ચૂં, ૩૮૨; જંબૂ. ૪૭, પ3; આવ.નિ. ૪૨૪;
તિલ્યો. પ૬૮, ૧૧૪૨; ૦ વાસુદેવ પરીચય :
રાજાનો એક પ્રકાર, જે હંમેશાં બળદેવના ભાઈ હોય છે અને અર્ધ ભરતક્ષેત્રના અધિપતિ હોય છે. ૧૬,૦૦૦ રાજાઓના અધિપતિ હોય છે. તે કેશવ' નામે પણ ઓળખાય છે. તે શંખ, ચક્ર, ગદા, શક્તિ, નંદક(તલવાર) અને ખગના ધારક હોય છે. મહાશક્તિમાન હોય છે. તેનો વર્ણ નીલ હોય છે. તેઓ ૧૦૮ શુભ લક્ષણોવાળા હોય છે. ચક્રવર્તી તેના કરતા રૂપ, સામર્થ્ય, ક્ષેત્રાધિપત્ય, સમૃદ્ધિ, રાણીઓ, નગરો, રાજાઓ આદિ બધામાં બમણી ઋદ્ધિવાળા હોય છે. વાસુદેવો કદાપી નિમ્ન, તુચ્છ, દરિદ્ર, કૃપણ, બ્રાહ્મણ આદિ કુળોમાં જન્મતા નથી. તેઓ જ્યારે માતાની કૃષિમાં આવે છે ત્યારે તેમની માતા ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ સાત મહાસ્વપ્નો જોઈને લાગે છે.
જંબૂદ્વીપમાં જઘન્યથી ચાર અને ઉત્કૃષ્ટથી ત્રીશ વાસુદેવો હોય છે. પ્રત્યેક ઉત્સર્પિણી–અવસર્પિણીમાં નવ-નવ વાસુદેવ થાય છે અને તે દુષમ-સુષમ કાળમાં જ થાય છે. પ્રત્યેક વાસુદેવને એક મુખ્ય શત્રુ હોય છે. જેને પ્રતિશત્ર (પ્રતિવાસુદેવ) કહે છે. જેને હંમેશાં વાસુદેવ મારી નાંખે છે. વાસુદેવો હંમેશાં તેના પૂર્વભવમાં નિયાણું કરે છે. તેઓ વાસુદેવના ભવમાં કદાપી દીક્ષા કે મુક્તિ પ્રાપ્ત કરી શકતા નથી અને હંમેશાં મૃત્યુ પામીને નરકગતિમાં જાય છે. તેઓ પીળા વસ્ત્ર ધારણ કરે છે. ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીકાળમાં નવ વાસુદેવો થયા :- ૧. ત્રિપૃષ્ઠ, ૨. દ્વિપૃષ્ઠ, ૩. સયંભૂ, ૪. પુરુસોત્તમ, ૫. પુરુષસીહ, ૬. પુરિષપુંડરીક, ૭. દત્ત, ૮. નારાયણ ૯. કૃષ્ણ.
૦ વાસુદેવ પરીચયના આગમ સંદર્ભ :ઠા. ૮૯;
સમ. ૩૨૮, ૩૪૦, ૩૮૨; ભગ. ૫૨૦, ૬૭૮; પા . ૧૯ + વૃ;
જીવા. ૧૬૩ની વૃ; પન્ન ૪૬૪ની વૃ. જબૂ. ૪૯, ૫૩, ૩૬૦;
તંદુ. ૬૪;
નિસી.ભા. ૪ર૯૩ની ચૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org