________________
ગણઘર – સુધર્મા કથા
૧૯૯
કરતા કરતા. નગરી પધાર્યા. સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા રહ્યા.
– તેમના પટ્ટશિષ્ય “જંબૂ” નામક અણગાર હતા.
– ચંપાનગરીમાં કોણિકરાજા તેમના વંદનાર્થે અને ધર્મશ્રવણ કરવા માટે આવેલ. ૦ ગણધર સુધર્માને કેવળજ્ઞાન અને નિર્વાણ :
સુધર્મા ૫૦ વર્ષ સુધી ગૃહસ્થપણે રહ્યા. ત્યાર પછી દીક્ષા લીધી. ગણધર પદવી પામ્યા. ૪૨ વર્ષ છદ્મસ્થપણામાં પસાર કર્યા. ૯૨માં વર્ષ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આઠ વર્ષનો કેવલી પર્યાય પાળ્યો. એ રીતે કુલ ૫૦ વર્ષનો શ્રમણ પર્યાય પાળેલ. તેમાં ૩૦ વર્ષ પર્યંત ભગવંત મહાવીરની નિશ્રામાં રહ્યા. ભગવંતના નિર્વાણ પછી બીજા ૨૦ વર્ષ ગયા બાદ ૧૦૦ વર્ષનું આયુ પૂર્ણ કરીને ગણધર સુધર્મા નિર્વાણ પામ્યા. તેમણે છેલ્લે પાદપોપગમન અનશન ગ્રહણ કરેલ. એક માસ સુધી અનશન તપ કરીને રાજગૃહી નગરીમાં તેઓનું નિર્વાણ થયું. ભગવંતના અગિયાર ગણધરોમાં નિર્વાણ પામનારા તેઓ છેલ્લા ગણધર હતા.
ગણધર સુધર્મા પોતાના ગણના ૫૦૦ સાધુઓને વાચના આપતા હતા. દ્વાદશાંગી (ગણીપિટક)ના ધારક હતા. સર્વ લબ્ધિસંપન્ન, વજઋષભનારાચ સંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાનથી યુક્ત હતા. સર્વે ગણધરોમાં નિર્વાણ પામવામાં તેઓ છેલ્લા હોવાથી, બધાં જ ગણધરો પોતપોતાના ગણને સુધર્માસ્વામીને સોંપીને ગયેલા હતા. તેથી જ આવશ્યક નિર્યુક્તિકાર તીર્થને સુધર્માસ્વામીનું તીર્થ કહે છે. પટ્ટાવલીની ગણના પણ સુધર્માસ્વામીના ક્રમથી જ થાય છે. સ્થવિરાવલી કે ગણધરવંશની ગણના સુધર્માસ્વામીથી જ થાય છે.
૦ આગમ સંદર્ભ :આયા. ૧ ની વ. સૂય નિ ૮૫;
સૂય ચૂપૃ. ૩૧, ૧૫૫; સૂય.મૂ. ૪૩૭, ૪૯૭, ૬૩૩, ૬૪૮, ૬૭૫, ૭૦૦ની વૃ. ઠા.મૂ.૧ની વૃ. સમ. ૧૯, ૧૭૯ સમ. ૧, ૧૯ત્ની વૃ. નાયા. ૪, ૫, રર૦; નાયા. ૯ ની વૃ. ઉવા. ૨; અંત. ૧; અનુત્ત. ૧;
પા . ૧; વિવા. ૧, ૨, ૧૧, ૧૮, ૨૪, ૨૭, ૨૯, ૩૧ થી ૩૫;
નિર. ૨, 3; નિર. ૪ ની વૃ;
નિસી.ભા. ૨૧૫૪ની ચૂ. આવ.નિ પ૯૨, ૧૯૩, ૫૯૫ થી ૫૯૮, ૬૧૪ થી ૬૧૭, ૬૪૬ થી ૫૦, ૫૨, ૬૫૪, ૬૫૫, -- ૬૫૭ થી ૬૫૯;
આવ.નિ. ૭૩૫-. આવ.યૂ. ૧–પૃ. ૮૬, ૯૧, ૩૨૪, ૩૨૭, ૩૩૪, ૪૫૫; દસરૃ.પૂ. ૬, ૮૩, ૧૩૦; ઉત્ત.૨.૫. ૨૮૧;
કલ્પસ્થ ૮૨ થી ૫; કલ્પ.યૂ.. ૧૦૪; કલ્પ. ૧૨૧ની વૃ; નંદી. ૨૦, ૨૩;
નદી.યૂ.પૃ. ૭; નંદી. ૨૩ની વૃ
તિત્વો. ૭૧૧,
૬. ગણધર મંડિતપુત્ર કથા - –૦- પરીચય :
ભગવંતના છઠા ગણધર મંડિત પુત્ર થયા, તેનો મંડિતના નામે પણ ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org