SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ આગમ કથાનુયોગ-૨ તેમનો જન્મ મૌર્ય સંનિવેશમાં થયો. તેમના પિતાનું નામ ધનદેવ અને માતાનું નામ વિજયદેવા હતું. તેમના નાના ભાઈ મૌર્યપુત્ર સાતમા ગણધર થયા. મઘા નક્ષત્રવાળા આ ગણધરનું ગોત્ર વાશિષ્ઠ હતું. બ્રાહ્મણ કુળમાં જન્મેલા હતા. તેમની કાયા સાત હાથની હતી. તેઓ ૩૫૦ શિષ્યોના અધ્યાપક હતા. ઉન્નત્ત કુળ અને વિશાળ વંશવાળા હતા. તેઓ મધ્યમપાપાનગરીમાં સોમિલ નામના ધનાઢ્ય બ્રાહ્મણ દ્વારા આયોજિત યજ્ઞમાં પધારેલા. મંડિતપુત્રને મનમાં સંશય હતો કે, “આ જીવને કર્મનો બંધ અને કર્મથી મુક્તિ છે કે નહીં?" પોતાના સર્વજ્ઞાણાના અભિમાનની ક્ષતિના ભયથી અન્ય વિદ્વાન્ બ્રાહ્મણને પૂછીને તેઓ પોતાના સંશયનું નિવારણ કરતા ન હતા. ૦ મંડિતપુત્રનું આગમન અને ભગવંત દ્વારા સંશય નિવારણ : ઇન્દ્રભૂતિ વગેરે પાંચને દીક્ષિત થયેલા સાંભળી છઠા મંડિત નામના પંડિતે વિચાર્યું કે, જેના ઇન્દ્રભૂતિ આદિ પાંચ શિષ્યો થયા તે મારે પણ પૂજ્ય જ છે. માટે હું પણ તેમની પાસે જઉં અને મારા સંશયનું નિવારણ મેળવું. આ પ્રમાણેના સંકલ્પપૂર્વક પંડિતપુત્ર ૩૫૦ શિષ્યોના પરિવાર સહિત નીકળ્યા. જિનેશ્વર ભગવંત મહાવીર પાસે આવ્યા. ભગવંતને વંદના કરી, ભગવંતની પર્યાપાસના કરતા ઊભા રહ્યા. તેઓ ત્રણ ભુવનના નાથને નમસ્કાર કરી અતિ આનંદિત થયા. તે વખતે જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા સર્વજ્ઞ અને સર્વદર્શી જિનેશ્વર ભગવંત મહાવીરે મંડિતપુત્રને તેના નામ અને ગોત્ર જણાવવા પૂર્વક કહ્યું કે, હે મંડિતપત્ર ! તને એવો સંશય છે કે, “આત્માને કર્મનો બંધ અને કર્મથી મોક્ષ છે કે નહીં ?" તારા ચિત્તમાં આવો સંશય પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદવાક્યોથી ઉત્પન્ન થયો છે – “સ TU વિમુખી વિમુર્ન વધ્યતે સંસતિ વા કુવ્વત મવતિ વી, ન વા | વાઘમગન્તર વા વેઢ ઇત્યાદિ.' હે મંડિત ! તું વેદપદોના અર્થને બરાબર જાણતો નથી, તેથી તારા સંશયના નિવારણાર્થે હું તેનો યોગ્ય અર્થ જણાવું છું – ર એટલે તે આ આત્મા, વિપુ – સત્ત્વ, રજસ્ અને તમોગુણ રહિત છે, વિમુ: સર્વ વ્યાપક છે. ન વધ્યતે કર્મથી બંધાતો નથી. શુભ અશુભ કર્મના બંધનથી રહિત છે. તે સંસરત સંસારમાં પરિભ્રમણ કરતો નથી. કેમકે કર્મનું બંધન ન હોય તો આત્માનું ભ્રમણ ન થાય. ‘મુવત' આત્મા કર્મથી મુકાતો નથી. કેમકે કર્મ બંધાતા નથી. તો પછી કર્મથી મુક્ત થવાનું પણ રહેતું નથી. ન મોઘતિ તેમજ આત્મા કર્મ વગેરેનો કર્તા ન હોવાથી બીજાઓને કર્મથી મૂકાવતો પણ નથી. વળી આ આત્મા પોતાનાથી ભિન્ન એવા મહત્ અંધકાર વગેરે બાહ્ય સ્વરૂપને તથા અત્યંતર એટલે પોતાના સ્વરૂપને ગણતો નથી. કેમકે જ્ઞાન એ પ્રકૃતિનો ધર્મ છે, પણ આત્માનો ધર્મ નથી. આ પ્રમાણે વેદપદોથી તું એવું માને છે કે, “આત્માને બંધ કે મોક્ષ નથી.' પરંતુ " વૈ સરી પ્રિયાશિયો પતિ , શરીર વા વસન્ત પ્રિવાડપ્રિયે ન સ્પૃશતઃ' એ વેદપદોથી આત્માને બંધ અને મોક્ષની કૃતિ જણાય છે. તેનો અર્થ તું કરે છે કે, શરીર સહિત અર્થાત્ સંસારી આત્માને સુખ અને દુઃખનો અભાવ નથી જ. એટલે સંસારી આત્માને સુખ અને દુઃખ ભોગવવા જ પડે છે. કેમકે તેને સુખ–દુઃખના કારણભૂત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy