SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધર – પંડિતપુત્ર કથા ૨૦૧ શુભ અને અશુભ કર્મો હોય છે. શરીર રહિત એટલે મુક્ત થેયલા અને લોકના અગ્રભાગમાં વસતા આત્માને સુખ–દુઃખ સ્પર્શતા નથી. કેમકે મુક્તાત્માને સુખ–દુ:ખના કારણભૂત કર્મો હોતા નથી. આ વેદપદોથી તો સ્પષ્ટ જણાય છે કે, આત્માને બંધ અને મોક્ષ છે. આ રીતે તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી સંશય ઉત્પન્ન થયો છે, પણ હે મંડિત ! આ તારો સંશય અયુક્ત છે. કેમકે તે Ug વિધુ વિન વધ્યતંત્ર ઇત્યાદિ વેદપદોનો અર્થ તું સમજ્યો નથી. તેથી તું ઉપરોક્ત અર્થ કરે છે. પણ ખરેખર તે વેદપદોનો અર્થ આ પ્રમાણે છે – વિરાળ એટલે છઘસ્થપણાના ગુણરહિત એવો, વિમ એટલે કેવળજ્ઞાન સ્વરૂપે સર્વવ્યાપક એવો તે આત્મા અર્થાત્ મુક્તાત્મા ન વધ્યત – કર્મથી બંધાતો નથી, શુભાશુભ કર્મના બંધનથી રહિત છે. કેમકે મુક્તાત્માને કર્મબંધનના કારણભૂત મિથ્યાદર્શન વગેરેનો અભાવ છે, તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. કર્મથી મૂકાતો નથી. કેમકે તે મુક્તાત્મા કર્મથી રહિત જ હોય છે. મુક્તાત્માને કર્મનો બંધ જ નથી. તેથી તેને મૂકાવાપણાનો પ્રશ્ન જ નથી. વળી મુક્તાત્માને સંસાર સંબંધિ સુખ હોતું નથી. ન વી વીમવેત્તર વા વેઢ મુક્તાત્માને પુષ્પચંદન આદિથી થતા બાહ્ય સુખને તથા અભિમાનથી થતા આંતરિક સુખને, આ પ્રમાણે બંને પ્રકારનાં સાંસારિક સુખને અનુભવવા રૂપે જાણતો નથી. તેથી તે સાંસારિક સુખ ભોગવતો નથી. આવી રીતે તે વેદપદો મુક્ત થયેલા આત્માનું સ્વરૂપ જણાવે છે. પણ સંસારી આત્માને તો કર્મનો બંધ અને કર્મથી મોક્ષ હોય જ છે. જેમ સુવર્ણને સંયોગથી અનાદિકાળથી મલિનતા લાગી હોય તો પણ સાર, માટી ઇત્યાદિ દ્રવ્યસંયોગોથી વિઘટિત કરાતા શુદ્ધ સુવર્ણ મેળવી શકાય છે, તેમ અનાદિ કાળથી જીવ અને કર્મનો સંયોગ થયા કરતો હોય તો પણ જ્ઞાન, દર્શન, ચારિત્રના યોગથી તે આત્માને તે–તે કર્મોથી વિયોગ થઈ શકે છે અને મિથ્યાત્વ-અવિરતિ આદિ યોગથી કર્મનો બંધ પણ થઈ શકે છે. જ્યારે આત્મા મુક્ત થઈ જાય ત્યારે મિથ્યાત્વાદિ અભાવે કર્મનો લેશમાત્ર સંયોગ થતો નથી. કેમકે કષાયાદિ યુક્ત જીવ જ કર્મને યોગ્ય પુગલો એકઠા કરે છે. ૦ સંશય નષ્ટ થતા મંડિતપુત્રની દીક્ષા : જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા જિનેશ્વરના વચનોથી મંડિતપુત્રના સંશયનું નિવારણ થયું. તેને પ્રતીતિ થઈ કે, “આત્માને કર્મનો બંધ અને કર્મથી મુક્તિ બંને હોય છે. તેથી તેણે પોતાના ૩૫૦ શિષ્યો સહિત ભગવંત મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી, તેઓ ભગવંત મહાવીરના શાસનમાં છઠા ગણધર થયા. ત્યાર પછી ભગવંત પાસેથી Sqન્ને ૩ વા, વિકમ રૂ વા, ઘુવેરૂ વા – એ ત્રિપદીરૂપ માતૃકાન્યાસ પ્રાપ્ત કરીને દ્વાદશાંગી–ગણીપિટકની રચના કરી – યાવત્ – ભગવંતે મંડિતપુત્ર ગણધરના મસ્તક પર દિવ્યવાસચૂર્ણનો લેપ કર્યો ઇત્યાદિ સમગ્ર કથન અગ્નિભૂતિ ગણધર મુજબ જાણવું. ૦ પ્રશ્નકર્તા ગણઘર મંડિત પુત્ર : રાજગૃહી નગરમાં કોઈ વખતે પ્રકૃતિથી ભદ્ર એવા મંડિતપુત્ર અણગારે ભગવંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy