________________
૧૯૮
આગમ કથાનુયોગ-૨
તિર્યંચ ગતિ સંભવે છે. પણ આ લોક અને પરલોકમાં સમાનતા જ હોય તેમ માની શકાય નહીં. તારે પોતાને આ ભવમાં બાલ, યુવા, વૃદ્ધત્વ આદિ પર્યાયો સમાન ન હતા. ૦ સંશય નષ્ટ થતા સુધર્માની દીક્ષા :
જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા જિનેશ્વર ભગવંત મહાવીરના વચનથી સુધર્માનો સંશય નષ્ટ થયો. તેને પ્રતીતિ થઈ કે જીવની ગતિ કર્માનુસારિણી હોય છે. આ ભવે જે સ્વરૂપે હોય તે જ સ્વરૂપે આવતા ભવમાં પણ જન્મે તેવું નથી હોતું. એટલે તેણે પોતાના ૫૦૦ શિષ્યો સહિત ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. તેઓ ભગવંત મહાવીરના પાંચમાં ગણધર થયા, ત્યાર પછી ભગવંત પાસેથી ૩qન્નેક્ વા વિનામે ડું વા ધુ વા એ ત્રિપદીરૂપ માતૃકાન્યાસ પ્રાપ્ત કર્યો – યાવત્ – ભગવંતે સુધર્મા ગણધરના મસ્તક પર વાતચૂર્ણનો ક્ષેપ કર્યો ઇત્યાદિ કથન અગ્નિભૂતિગણધર અનુસાર જાણવું. ૦ સુધર્મ ગણધર-જ્ઞાનદાતા રૂપે :
આગમોના ઘણાં અધ્યયન આદિ સુધર્માસ્વામીએ પોતાના શિષ્ય “જબૂ'ને કહ્યા છે. જંબૂસ્વામી દ્વારા કરાયેલા પ્રશ્નોના ઉત્તર રૂપે પણ ભગવંતે કરેલી પ્રરૂપણા–ધર્મકથા આદિને સુધર્માસ્વામીએ જણાવેલી છે. તેનો ઉલ્લેખ મુખ્યત્વે બે પ્રકારે છે :- ૧. સૂત્રમાં જ “તૂ' ના સંબોધનથી કરાયેલા ઉલ્લેખ સ્વરૂપે અને ૨. “સૂવે છે લાડકું !' આરંભ વાક્યથી કે રિમ અંત્ય વાકયથી. જેમાં સુવું છે સારાં ! વાક્યની વૃત્તિમાં “સુધર્મા સ્વામીએ તેમના શિષ્ય જંબૂસ્વામીને આ પ્રમાણે કહ્યું" એવું વૃત્તિગત સ્પષ્ટીકરણ મળે છે તેમજ ઉત્તમ શબ્દની ચૂર્ણિગત વ્યાખ્યામાં આ ખુલાસો મળે છે.
આવા આગમોમાં નાયાધમ્મકહા, ઉવાગદશા, અંતગડદસા, અનુત્તરોપપાતિકદસા, પહાવાગરણ, વિવાગસૂય, નિરયાવલિકા આદિ આગમોમાં સંવૂ” એવા નામથી જ ભગવદ્ વાણીના જ્ઞાનનું દાન સુધર્માસ્વામીએ કર્યું છે. જ્યારે આચારાંગ, સૂયગડાંગ આદિની વૃત્તિ તથા દશવૈકાલિક અને ઉત્તરઝયણાણિમાં તેની ચૂર્ણિમાં ખુલાસો કયો છે કે સુધર્મા સ્વામીએ – જંબૂ સ્વામીને આ પ્રમાણે કહ્યું. ૦ ગણધર સુધર્માસ્વામી ગુણ વર્ણન :
તે કાળ, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય આર્યસુધર્મા નામે સ્થવીર હતા. તેઓ જાતિસંપન્ન, બળસંપન્ન, રૂપસંપન્ન, વિનયસંપન્ન, જ્ઞાનસંપન્ન, દર્શનસંપન્ન, ચારિત્રસંપન્ન, લજ્જાસંપન્ન, લાઘવસંપન્ન, ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી, ક્રોધને જીતનારા, માનને જીતનારા, લોભને જીતનારા, નિદ્રા–ઇન્દ્રિય અને પરીષહોને જીતનારા, જીવતા રહેવાની કામના અને મૃત્યુના ભયથી રહિત, તપપ્રધાન, ગુણપ્રધાન, ગુપ્રિધાન, ચરણપ્રધાન, નિગ્રહપ્રધાન, નિશ્ચયપ્રધાન, આર્જવપ્રધાન, માદવપ્રધાન, લાઘવપ્રધાન, શાંતિપ્રધાન, મુક્તિપ્રધાન, વિદ્યાપ્રધાન, મંત્રપ્રધાન, બ્રહ્મપ્રધાન, વ્રતપ્રધાન, નયપ્રધાન, નિયમપ્રધાન, સત્યપ્રધાન, શૌચપ્રધાન જ્ઞાનદર્શનચારિત્રપ્રધાન, ચૌદપૂર્વોના જ્ઞાતા, ઉદાર, ઘોર, ઘોરવતી, ઘોર તપસ્વી, ઉત્કૃષ્ટ બ્રહ્મચર્યનું પાલન કરનારા, શરીર સંસ્કારના ત્યાગી, વિપુલ તેજલેશ્યાને પોતાના શરીરમાં સમાવિષ્ટ કરીને રાખનારા, ચાર જ્ઞાનોથી સંપન્ન, ૫૦૦ સાધુઓથી પરિવૃત્ત, અનુક્રમથી ચાલતા ચાલતા એક ગામથી બીજે ગામ વિચરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org