SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધર – સુધર્મા કથા ૧૯૭ પણ તેમની પાસે જઉં અને મારો સંશય દૂર કરું. આ પ્રમાણેના સંકલ્પપૂર્વક સુધર્મા પ૦૦ શિષ્યો સાથે નીકળ્યા અને જિનેશ્વર ભગવંત પાસે આવ્યા. વંદના કરી, કરીને ભગવંતની પર્યુપાસના કરતા ત્યાં ઊભા રહ્યા. તે વખતે ભગવંતને જોઈને તે ખૂબ જ હર્ષિત થઈ ગયા. તે વખતે જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા – સર્વજ્ઞ અને સર્વદર્શી જિનેશ્વર ભગવંતે સુધર્માને તેના નામ અને ગોત્ર જણાવવા પૂર્વક કહ્યું, હે સુધર્મા! તને એવો સંશય છે કે, “જે પ્રાણી જેવો આ ભવમાં હોય તેવો જ પરભવમાં થાય છે કે, બીજા સ્વરૂપે થાય છે ? તને પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદવાક્યોની શ્રુતિથી આવો સંશય ઉત્પન્ન થયો છે – પુરુષો વૈ પુરુષત્વમથુતે પરાવ: પશુત્વમ્' હે સુધર્મા ! તું વેદ પદોના અર્થને બરાબર જાણતો નથી, તેથી તારા સંશયના નિવારણ અર્થે હું તેનો યોગ્ય અર્થ જણાવું છું – પુરુષ મૃત્યુ પામ્યા પછી પરભવમાં પુરુષપણાને પામે છે. પશુઓ મરી ગયા પછી પરભવમાં પશુપણાને પામે છે અર્થાત્ તું એવો અર્થ કરે છે કે, મનુષ્ય મૃત્યુ પામીને પરભવમાં મનુષ્ય જ થાય, દેવ કે તિર્યંચ ન થાય. પશુ મરીને બીજા ભવમાં પશુ જ થાય પણ મનુષ્ય કે દેવ ન જ થાય. હે સુધર્મા! તું એવું માને છે કે ઉપરોક્ત વેદપદોનો અર્થ યુક્તિથી પણ યોગ્ય જ લાગે છે. કેમકે જેવું કારણ હોય તેવું જ કાર્ય સંભવે છે. જેમ શાલિના બીજથી શાલિનો અંકુરો જ ઉત્પન્ન થાય અન્ય ધાન્યનો ન થાય. તેમ મનુષ્ય મરીને મનુષ્ય જ થાય. પશુ કઈ રીતે થાય ? વળી ગૃના ગાવત : સUરિપ ટહ્યતે – વિષ્ટા સહિત એવા જે મનુષ્યો બળાય છે તે શિયાળ થાય છે. એવું વેદપદ સાંભળીને તને સંશય થયો છે. કેમકે જો મનુષ્ય વિષ્ટાયુક્ત અવસ્થામાં મરણ પામે તો પરભવે તે મનુષ્ય શિયાળ થાય છે. એટલે કે, આ વેદપદ “મનુષ્ય મરીને શિયાળ પણ થાય છે' તેવું જણાવે છે. એટલે તું વિચારે છે કે, “મનુષ્ય આ ભવમાં જેવો હોય તેવો પરભવમાં થાય” એવો નિયમ રહેતો નથી. આ પ્રમાણે પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદપદોથી તું સંશયમાં પડ્યો છે. પણ તે સુધર્મા ! તારો આ સંશય અયુક્ત છે. કેમકે તને ઉક્ત બંને વેદપદોનો અર્થ સમજાયો નથી. ખરેખર આ વેદપદોનો અર્થ તું કરે છે એ પ્રમાણે નથી. પણ તે વેદપદોનો અર્થ આ પ્રમાણે છે– અહીં પુરુષ (મનુષ્ય) મરીને પરભવમાં મનુષ્યપણું પામે છે તેનો અર્થ એવો થાય કે, જે મનુષ્ય ભદ્રક પ્રકૃતિવાળો હોય, વિનય–સરળતા વગેરે ગુણો વડે યુક્ત હોય, તે આ ભવમાં મનુષ્ય સંબંધિ આયુષ્યકર્મ બાંધીને મરી ગયા પછી મનુષ્ય જન્મ પામે છે અને જે માયા વગેરે દોષયુક્ત હોય તે આ ભવમાં પશુસંબંધિ આયુષ્ય કર્મ બાંધીને મરી ગયા પછી પરભવમાં પશુજન્મ પામે છે. આવી રીતે તે–તે જીવે બાંધેલા કર્મની અપેક્ષાએ મનુષ્ય અથવા પશુઓની ગતિ સૂચવી છે. પણ એ વેદપદો એવો નિશ્ચય સૂચવતાં નથી કે મનુષ્ય મરીને મનુષ્ય જ થાય ને પશુ મરીને પશુ જ થાય. આવી રીતે પ્રાણીઓની ભિન્ન ભિન્ન ગતિમાં ઉત્પત્તિ કર્મને આધીન છે. વળી યુક્તિથી તું જે માને છે કે જેવું કારણ હોય તેના સદેશ જ કાર્ય સંભવે, તે પણ તારું માનવું ઠીક નથી. કેમકે છાણ વગેરેમાંથી વીંછી વગેરેની ઉત્પત્તિ દેખાય જ છે. તેથી કારણથી વિસદશ કાર્ય પણ સંભવે. અન્યથા ધાન્ય સાથે ઘાસની ઉત્પત્તિ પણ ન થાય. તે રીતે કર્મના બીજ અનુસાર દેવ, મનુષ્ય, નારકી કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy