SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ આગમ કથાનુયોગ-૨ ૦ સંશય નષ્ટ થતા વ્યક્તની દીક્ષા : આ પ્રમાણે પ્રભુના વચનથી વ્યક્તનો સંશય નષ્ટ થયો. ત્યારે “પાંચ ભૂતો છે” તે વાતની પ્રતીતિ થઈ. આ પ્રમાણે નિર્ણય થતા વ્યક્ત ભારદ્વાજે પોતાના ૫૦૦ શિષ્યો સહિત દીક્ષા ગ્રહણ કરી. તેઓ ભગવંતના ચોથા ગણધર થયા. ભગવંત પાસેથી પૂરું વા, વિનાને ટુ વ, ઇવેઃ વા'' એ ત્રિપદીરૂપ માતૃકાન્યાસ પ્રાપ્ત કર્યો – યાવત્ – ભગવંતે વ્યકત નામના ગણધરના મસ્તક પર વાતચૂર્ણનો ક્ષેપ કર્યો ઇત્યાદિ સમગ્ર કથન અગ્નિભૂતિ ગણધર અનુસાર સમજી લેવું. ૦ ગણધર વ્યક્તને કેવળજ્ઞાન અને નિર્વાણ : વ્યક્ત ગણધર ૫૦ વર્ષ પર્યત ગૃહસ્થપણે રહ્યા. પછી તેણે સંયમ અંગીકાર કર્યો. ૧૨ વર્ષ છદ્મવસ્થાવસ્થામાં પસાર કર્યા બાદ ૬૨ વર્ષની વયે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ૧૮ વર્ષ તેમણે કેવલી અવસ્થામાં પસાર કર્યા. એ રીતે તેમનો શ્રામણ્ય પર્યાય કુલ ૩૦ વર્ષનો હતો. તેઓએ ૮૦ વર્ષનું પૂર્ણ આયુષ્ય ભોગવ્યું. તેઓ ૫૦૦ શિષ્યોને વાચના આપતા હતા. દ્વાદશાંગી અને ચૌદ પૂર્વના ધારક હતા. સર્વલબ્ધિસંપન્ન, વજ ઋષભનારાચ સંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાનથી યુક્ત હતા. ચોથા ગણધરે વ્યક્ત છેલ્લે એક માસનું પાદપોપગમન અનશન સ્વીકાર્યું. તેઓ રાજગૃહી નગરીમાં નિર્વાણ પામ્યા. તેમનું નિર્વાણ ભગવંત મહાવીરના નિર્વાણની પહેલા થયું હતું. વ્યક્ત ગણધર શિષ્ય સંતતિ રહિત નિર્વાણ પામ્યા. કેમકે પોતાના ગણનો ત્યાગ કરીને તેમણે સર્વ શિષ્યો સુધર્માસ્વામીને સોંપી દીધેલા. આગમ સંદર્ભ :સમ. ૧૯; આવ.નિ. ૧૯૨, ૧૯૩, થી પ-૭, ૬૧૦ થી ૬૧૩, ૬૪૩, -૬૪૬ થી ૬૫૯; કલ્પસૂત્ર—૧૨૧ ની વૃ ૮/ર થી ૪; – – – – ૫. ગણધર સુધર્મા કથા :–૦- પરીચય : ભગવંતના પાંચમાં ગણધર સુધર્મા થયા. તેમનો જન્મ કોલાગ સંનિવેશમાં થયો. તેમના પિતાનું નામ ધર્મિલ અને માતાનું નામ ભદ્રિલા હતું. ઉત્તરાફાલ્વની નક્ષત્રવાળા આ ગણધરનું ગોત્ર અચિવૈશ્યાયન હતું. બ્રાહ્મણ કુળમાં જન્મેલા હતા, સાત હાથની કાયા હતી. તેઓ ૫૦૦ શિષ્યોના અધ્યાપક હતા. ઉન્ન કુળ અને વિશાળ વંશવાળા હતા. તેઓ મધ્યમ પાપાનગરીમાં ધનાઢય એવા સોમિલ બ્રાહ્મણે આયોજિત કરેલા યજ્ઞમાં પધારેલ હતા. સુધર્માને શંકા હતી કે, “આ જીવ જેવો આ ભવમાં છે તેવો જ પરભવમાં થાય છે કે ભિન્ન સ્વરૂપે થાય છે ?' પોતાના સર્વજ્ઞપણાના અભિમાનની ક્ષતિના ભયથી પોતાનો સંદેહ અન્ય બ્રાહ્મણને પૂછીને તેઓ સમાધાન પ્રાપ્ત કરતા ન હતા. ૦ સુધર્માનું આગમન અને ભગવંત દ્વારા સંશય નિવારણ : ઇન્દ્રભૂતિ વગેરે ચારને દીક્ષિત થયેલા સાંભળી પાંચમા સુધર્મા નામના પંડિત વિચાર્યું કે, જેના ઇન્દ્રભૂતિ વગેરે ચાર શિષ્યો થયા. તે માટે પણ પૂજ્ય જ છે, માટે હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy