SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધર – વ્યકત કથા ૧૯૫ થયેલો. તેમના પિતાનું નામ ધનમિત્ર અને માતાનું નામ વારુણી હતું. શ્રવણ નક્ષત્રવાળા આ ગણધરનું ગોત્ર ભારદ્વાજ હતું. બ્રાહ્મણ કુળમાં જન્મેલા હતા, સાત હાથની કાયા હતી. તેઓ ૫૦૦ શિષ્યોના અધ્યાપક હતા. ઉન્નર કુળ અને વિશાળ વંશવાળા હતા. તેઓ મધ્યમ પાપાનગરીમાં સોમિલ નામના ધનાઢય બ્રાહ્મણે આયોજિત કરેલા યજ્ઞમાં શિષ્યપરીવાર સહિત આવેલા, વ્યક્તને સંશય હતો કે પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ ભૂત છે કે નહીં? પોતાના સર્વજ્ઞપણાના અભિમાનની ક્ષતિના ભયથી પોતાનો સંદેહ અન્ય બ્રાહ્મણોને પૂછીને સમાધાન પ્રાપ્ત કરતા ન હતા. ૦ વ્યક્તનું આગમન અને ભગવંત દ્વારા સંશય નિવારણ : આવી રીતે ઇન્દ્રભૂતિ વગેરેને દીક્ષિત થયેલા સાંભળી વ્યક્ત વિચાર્યું કે જેના ઇન્દ્રભૂતિ વગેરે શિષ્યો થયા તે મારે પણ પૂજનીય થાઓ. હું પણ ત્યાં જઉં, જિનેશ્વર ભગવંતને વંદના કરું, વંદીને તેમની પર્યાપાસના કરીશ અને મારા સંશયનું નિવારણ કરીશ. આ પ્રમાણે વિચારી તે ૫૦૦ શિષ્ય સહિત ભગવંત પાસે આવ્યો. ભગવંતને પ્રમાણ કર્યા. ભગવંતની ઋદ્ધિ સંપદા જોઈને વિસ્મયથી વિસ્ફારિત થયેલા નયને ત્યાં ઊભો રહ્યો. તે વખતે જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા, સર્વજ્ઞ સર્વદર્શી જિનેશ્વર ભગવંત મહાવીરે તેને નામ અને ગોત્રપૂર્વક બોલાવતા કહ્યું, હે ભારદ્વાજ વ્યક્ત ! તને એવો સંશય છે કે, “પાંચ ભૂત છે કે નહીં ?” તને પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદવાક્યોથી આ સંશય ઉત્પન્ન થયો છે. “વિનોપનું વૈ સનમ, વૈઘ દ્રવિધિના વિજ્ઞા:” એ વેદપદોનો અર્થ બરાબર ન જાણવાથી તને આ સંશય થયો છે. આ વેદપદોથી તું એમ માને છે કે, “પાંચ ભૂત નથી.” “વનોપમ વૈ નમ્” એટલે પૃથ્વી, જળ વગેરે સમગ્ર જગત્ સ્વપ્ન તુલ્ય જ છે. જેમ સ્વપ્નમાં સુવર્ણ, રત્ન, સ્ત્રી વગેરે જોવામાં આવે પણ વાસ્તવિક રીતે તે કાંઈ હોતું નથી. તેમ પૃથ્વી, જલ વગેરે ભૂતોને આપણે જોઈએ છીએ, પણ વાસ્તવિક રીતે તો આ બધાં પદાર્થો સ્વપ્નવત્ જ છે. આ પ્રમાણે આ બ્રહ્મવિધિ–પરમાર્થ શીધ્ર જાણી લેવો. આ વેદપદોથી તું એવું માને છે કે, પૃથ્વી આદિ પંચ ભૂતો નથી. પરંતુ પૃથ્વી ટેવતા સાપો તેવતા અર્થાત્ પૃથ્વી દેવતા છે, જળ દેવતા છે ઇત્યાદિ વેદપદોને પૃથ્વી–જળ વગેરે ભૂતોની સત્તા–વિદ્યમાનતા જણાવનારા જોઈને તું સંશયમાં પડ્યો છે કે પાંચ ભૂત છે કે નથી ? વળી પ્રમાણથી તને આ વાત ગ્રાહ્ય લાગતી નથી, પણ ચક્ષુ વડે પરમાણુ કે પરમાણુસમૂહ તને પ્રત્યક્ષ દેખાય છે. તેથી તારું ચિત્ત સંભ્રાન્ત થયેલ છે. આ તારો સંશય અયુક્ત છે. કેમકે તું વેદપદોનો અર્થ બરાબર સમજ્યો નથી. “આ સકલ જગત્ સ્વપ્ન સદશ જ છે.” એ વેદપદો આત્મસંબંધિ ચિંતવના માટે છે. તે સુવર્ણ, રત્ન, સ્ત્રીનો સંયોગ અનિત્ય છે તેમ સૂચવે છે. સુવર્ણ, ધન, પુત્ર, સ્ત્રી વગેરેનો સંયોગ અસ્થિર છે, અસાર છે, કટુ વિપાક આપનારો છે. માટે તેઓ ઉપરની આસક્તિ ત્યજીને મુક્તિ માટે પ્રયત્ન કરવો. એમ આ વેદપદો વૈરાગ્યનો બોધ આપનારા પદો છે. ભૂતોનો નિષેધ સૂચવનારા પદો નથી. જન્મ, જરા, મૃત્યુથી વિપ્રમુક્ત જિનેશ્વર ભગવંતના આ વચનને સાંભળીને વ્યક્તને પાંચ ભૂતોનો જે સંશય હતો તે નષ્ટ થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy