SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ આગમ કથાનુયોગ-૨ પોતાના ૫૦૦ શિષ્યો સહિત દીક્ષા ગ્રહણ કરી. તેઓ ભગવંતના ત્રીજા ગણધર થયા. ભગવંત પાસેથી ઉત્પન્નડુ વા વા વા ઘુવડું વા એ ત્રિપદીરૂપ માતૃકાન્યાસ પ્રાપ્ત કર્યો – થાવત્ – ભગવંતે વાયુભૂતિના મસ્તક પર વાસપૂર્ણનો લેપ કર્યો ઇત્યાદિ સમગ્ર કથન અગ્નિભૂતિ ગણધર અનુસાર સમજી લેવું. ૦ પ્રશ્નકર્તા વાયુભૂતિ : ભગવંત મહાવીરને ગૌતમ વાયુભૂતિ અણગારે વંદના અને નમસ્કાર કરી પછી પૂછયું – (જ્યારે ગૌતમ અગ્નિભૂતિ અણગારે ગૌતમ વાયુભૂતિ અણગારને અસુરેન્દ્ર અસુરરાજ ચમરની ઋદ્ધિ અને પ્રભાવની તથા વિકુર્વણા શક્તિની, ચમરેન્દ્રના સામાનિક દેવો, ત્રાયશ્ચિંશક દેવો, લોકપાલો, અગ્રમહિષી આદિના ઋદ્ધિ, પ્રભાવ, વૈક્રિયલબ્ધિ આદિ વક્તવ્યતા જણાવી ત્યારે ગૌતમ વાયુભૂતિને તેની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ આદિ ન થતા ભગવંત મહાવીરની પર્યાપાસના કરી પૂછયું-) ગણધર અગ્નિભૂતિએ કહેલ વાત સત્ય છે તેમ જાણતા અગ્નિભૂતિની વિનયપૂર્વક ક્ષમાયાચના કરી. ત્યાર પછી ભગવંતને વૈરોચનેન્દ્ર વૈરોચન રાજ બલિની ઋદ્ધિ, પ્રભાવ, વિદુર્વણાશક્તિ સંબંધે પ્રશ્નો કર્યા. બલીન્દ્ર સામાનિક દેવ, લોકપાલ, અગ્રમહિષીની ઋદ્ધિ આદિ વિષયક પ્રશ્નો કર્યા. જે રીતે દક્ષિણદિશાના બધાં ભવનપતિ સંબંધે ગણધર અગ્નિભૂતિએ પ્રશ્નો કરેલા, તે જ રીતે ઉત્તરદિશાના બધાં ભવનપતિ સંબંધે ગણધર વાયુભૂતિએ પ્રશ્નો કરીને ભગવંત મહાવીર પાસે સમાધાનો પ્રાપ્ત કર્યા. ઇશાનેન્દ્રની ઋદ્ધિ આદિ તથા કુરુદત્ત અણગાર સંબંધે પ્રશ્નો કર્યા. એ જ રીતે સનસ્કૂમારાદિ સર્વે વૈમાનિક ઇન્દ્રો સંબંધિ પ્રશ્નો પૂછેલા. ૦ ગણધર વાયુભૂતિને કેવળજ્ઞાન અને નિર્વાણ : વાયુભૂતિ ગૌતમ ૪ર વર્ષ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. પછી સંયમ અંગીકાર કર્યો. ૧૦ વર્ષ છદ્મસ્થાવસ્થામાં પસાર કર્યા બાદ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ ૧૮ વર્ષ કેવલીરૂપે વિચર્યા. એ રીતે કુલ ૨૮ વર્ષના શ્રમણ પર્યાયનું પાલન કર્યું. તેમનું પૂર્ણાયુષ્ય ૭૦ વર્ષનું હતું. તેઓ પ૦૦ શિષ્યોને વાચના આપતા હતા. દ્વાદશાંગી અને ચૌદપૂર્વના ધારક હતા. સર્વલબ્ધિ સંપન્ન, વજsષભનારા સંઘયણ અને સમચતુસ્ત્ર સંસ્થાનથી યુક્ત હતા. આ ત્રીજા ગણધર વાયુભૂતિ ગૌતમે છેલ્લે એક માસનું પાદપોપગમન અનશન સ્વીકાર્યું. તેઓ રાજગૃહી નગરીમાં નિર્વાણ પામ્યા. તેમનું નિર્વાણ ભગવંત મહાવીરના નિર્વાણની પૂર્વે થયેલું. શિષ્યરહિત નિર્વાણ પામેલા કેમકે પોતાના ગણનો વ્યુત્સર્ગ કરીને તેમણે સર્વ શિષ્યો સુધર્માસ્વામીને સોંપી દીધેલા. ૦ આગમ સંદર્ભ :સમ, ૧૯; ભગ. ૧૫૪ થી ૧૫૯; આવ.નિ. પ૯૨ થી ૧૯૭, ૬૦૨ થી ૬૦૫, ૬૪૩, ૬૪૬ થી ૬૫૦, ૬૫ર થી ૬૫૯; નંદી. ૨૦, કલ્પસૂત્ર ૧૨૧ની વૃ. ૮/ર થી ૪; – – – ૪. ગણધર વ્યક્ત કથા :–૦- પરીચય : ભગવંતના ચોથા ગણધરનું નામ વ્યક્ત હતું. તેમનો જન્મ કોલ્લાગ સંનિવેશમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy