SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રવતી – મહાપદ્મ કથા ૧૧૧ મુનિએ મહાનું તપ કરીને અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત કરી. એક વખતે સુવતાચાર્ય પોતાના સાધુ પરિવાર સાથે હસ્તિનાપુર ચાતુર્માસ કરવા પધાર્યા. નમુચીએ જ્યારે તે જાણ્યું ત્યારે પૂર્વના વૈરનો બદલો લેવાની ઇચ્છાથી મહાપદ્મચક્રીને વિનંતી કરી કે, હે સ્વામી ! આપે પૂર્વે મને વર માંગવા કહેલું કે અત્યારે આપો. ત્યારે રાજાએ કહ્યું કે, જે ઇચ્છા હોય તે કહો. ત્યારે નમુચીએ કહ્યું, મારે એક યજ્ઞ કરવો છે, તે યજ્ઞ પૂરો થાય ત્યાં સુધી મને તમારું રાજ્ય આપો. સત્યપ્રતિજ્ઞ મહાપદ્મ રાજાએ નમુચીને રાજ્ય પર બેસાડ્યો અને પોતે અંતઃપુરમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી નગરની બહાર જઈને નમુચી યજ્ઞપાટકમાં જઈ કપટથી દીક્ષિત થઈ, બગલાંની માફક દૃષ્ટ ધ્યાન કરવા લાગ્યો. તેને અભિષેક કરવા માટે સર્વ નગરજનો, મંત્રી અને સર્વ ધર્માચાર્યો આવ્યા. માત્ર જૈનમુનિઓ આવ્યા નહીં. ત્યારે નમુચીએ સર્વધર્માચાર્ય આવ્યા પણ શ્વેતાંબર જૈન ભિક્ષુઓ ન આવ્યા તેમ જાણીને ઇર્ષ્યાથી તેમના છિદ્રો શોધવા લાગ્યો. પછી સુવ્રતાચાર્ય પાસે જઈને તે અનાર્ય બોલ્યો કે, જે રાજા હોય તેને સર્વધર્મના લિંગીઓ આશ્રય કરે છે. તપસ્વીઓ પોતાના તપનો છઠો ભાગ રાજાને આપે છે. એ જ લોકસ્થિતિ છે. તમે અભિમાન વડે સ્તબ્ધ બન્યા છો. મર્યાદાલોપક છો અને મારા નિંદક છો. તેથી તમે મારા રાજ્યમાં રહી શકશો નહીં. ગમે ત્યાં બીજે ચાલ્યા જાઓ. તમારામાંનો જે કોઈ અહીં રહેશે તે શઠનો હું વધ કરીશ. રાજ્યવિરોધી કોઈપણ અહીં રહી ન શકે. આચાર્યમહારાજે કહ્યું કે, તમારા અભિષેકમાં આવવાનો અમારો આચાર નથી માટે અમે આવ્યા ન હતા. અમે કોઈની પણ નિંદા કરતા નથી. ત્યારે નમુચીએ ક્રોધિત થઈને કહ્યું, હવે બહુ બોલવાની જરૂર નથી. સાત દિવસ પછી જો તમે મારા રાજ્યમાં દેખાશો તો હું ચોરની જેમ તમારો ઘાત કરીશ. ત્યાર પછી પોતાની વસતિમાં આવીને આચાર્યએ મુનિઓને કહ્યું કે, હવે આપણે શું કરીશું, ત્યારે એક સાધુએ કહ્યું કે, વિષ્ણુકુમાર મુનિએ ૬૦૦૦ વર્ષ સુધી તપ કરેલ છે. હાલ તેઓ મેરૂ પર્વત રહ્યા છે. તેઓ મહાપદ્મરાજાના મોટા ભાઈ છે. તેની વાણીથી આ નમુચી શાંત થઈ જશે. જે વિદ્યાલબ્ધિવાન મુનિ હોય તે તેમને લેવા જઈ શકે. ત્યારે એક લબ્ધિવાન્ મુનિએ કહ્યું કે, હું આકાશમાર્ગે ત્યાં સુધી જવા સમર્થ છું પણ પાછો અહીં આવવા સમર્થ નથી. તો મારું કંઈ કાર્ય હોય તો મને કહો. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું, તમને વિષ્ણુમુનિ પાછા લાવશે માટે તમે ત્યાં જાઓ. તે મુનિ ક્ષણવારમાં વિષ્ણુ મુનિ સમક્ષ ઉપસ્થિત થયા. તેને આવેલી જોઈને વિષ્ણુ મહામુનિએ વિચાર્યું કે, નક્કી સંઘનું કોઈ કાર્ય હશે તેથી જ આ મુનિ આવ્યા છે. અન્યથા વર્ષાવાસમાં કેમ આવે ? એમ વિચારતા હતા, ત્યાં તે મુનિએ આવીને વંદના કરી. તેણે જલ્દીથી વિષ્ણુમુનિને પોતાના આગમનનો હેતુ કહ્યો. તેને લઈને તુરંત જ વિષ્ણુમુનિ ગજપુર-હસ્તિનાપુર આવ્યા. પછી સાધુ પરિવાર સાથે વિષ્ણુમુનિ નમુચી પાસે આવ્યા. એક નમુચી સિવાય બધાં રાજાઓએ તેમને વંદના કરી. પછી ધર્મનો ઉપદેશ આપીને તેમણે નમુચીને કહ્યું કે, વર્ષાકાળ સુધી બધાં મુનિઓ આ નગરમાં રહેશે. આ મુનિઓ પોતે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy