________________
૨૮૨
આગમ કથાનુયોગ-૨
ત્વરિતગતિથી શ્રાવતી નગરીની વચ્ચોવચ્ચેથી નીકળીને જ્યાં કોષ્ટક ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં પહોંચીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, પછી ભગવંતને વંદન–નમસ્કાર કરીને કહ્યું
હે ભગવંત ! છઠ તપના પારણના નિમિત્તે હું આપની આજ્ઞા લઈને શ્રાવસ્તી નગરીના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ભિક્ષાચર્યા અર્થે – ચાવત્ – ભ્રમણ કરતા કરતા હાલાહલા કુંભારણના કુંભકારાપણની પાસેથી જઈ રહ્યો હતો. ત્યારે ગોશાલ મખલિપુત્ર મને પસાર થતો જોઈને કહ્યું, અરે ઓ ! આનંદ! અહીં આવ, તને હું એક દૃષ્ટાંત સંભળાવું છું. ત્યારે હું તે મખલિપુત્ર ગોશાલની એ વાત સાંભળીને જ્યાં હાલાહલા કુંભારણની કુંભકારાપણ હતી, જ્યાં ગોશાલ મખલિપુત્ર હતો ત્યાં પહોંચ્યો.
ત્યારપછી તે મંખલિપુત્ર ગોશાલકે મને આ પ્રમાણે કહ્યું, ઓ આનંદ ! આજથી ઘણાં સમય પૂર્વે કેટલાંક ઉચ્ચ-નીચ અર્થાત્ ધનવા–નિર્ધન વણિકો હતા. ઇત્યાદિ સમસ્ત વર્ણન ગોશાળાએ આનંદને કહ્યા પ્રમાણે કરી દેવું – યાવત્ – નાગદેવે બધાં વણિકોને ભસ્મ કરી દીધા, માત્ર હિતકામી – યાવત્ – કલ્યાણની કામના વાળા તે વણિકને પોતાના નગરમાં પહોંચાડી દીધો. યાવત્ – હે આનંદ ! તું જા અને તારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ, જ્ઞાતપુત્ર મહાવીરને આ બધો વૃત્તાંત સંભળાવજે.
હે ભગવંત ! તો પંખલિપુત્ર ગોશાલ પોતાના તપ-તેજથી એક જ પ્રહારમાં કૂટાઘાતની સમાન બાળીને ભસ્મરાશિ કરી દેવાને માટે સમર્થ – શક્તિમાન છે ખરો? હે ભગવંત! પોતાના તપ-તેજથી એક જ પ્રકારમાં કૂટા ઘાતની સમાન બાળીને ભસ્મરાશિ કરી દેવાને શું મખલિપુત્ર ગોશાળાનો વિષયમાત્ર છે ? અથવા હે ભગવંત! શું તે મખલિપુત્ર ગોપાલક નિશ્ચિત્તરૂપથી પોતાના તપ-તેજ દ્વારા એક જ પ્રહારમાં કૂટાઘાત સમાન બાળીને ભસ્મરાશિ કરી દેશે ખરો ?
હે આનંદ ! મખલિપુત્ર ગોશાલક પોતાના તપ-તેજથી એક જ પ્રકારમાં કૂટાઘાતની સમાન બાળીને ભસ્મરાશિ કરવામાં સમર્થ–શક્તિમાન છે. હે આનંદ ! પોતાના તપતેજથી એક જ પ્રકારમાં કૂટાઘાતની સમાન બાળીને ભસ્મ કરી દેવાનો મખલિપુત્ર ગોશાલકના વિષય પણ છે. હે આનંદ ! પોતાના તપ–તેજથી એક જ પ્રહારમાં કૂટાઘાતની સમાન બાળીને ભસ્મ કરવાની સક્ષમતા પણ છે, પરંતુ અરિહંત ભગવંતોને બાળીને ભસ્મ કરવામાં સમર્થ નથી. હાં તેઓને પરિતાપ ઉત્પન્ન કરવામાં તે જરૂર સમર્થ છે.
હે આનંદ ! ગોશાલ મખલિપુત્રનું જેટલું તપ-તેજ છે, તેનાથી અણગાર ભગવંતોનું તપ-તેજ અનંતગુણ વિશિષ્ટ હોય છે અને અણગાર ભગવંત શાંતિક્ષમ હોય છે.
હે આનંદ ! અણગાર ભગવંતોનું જેટલું તપ-તેજ હોય છે, તેના કરતાં અનંતગુણ વિશેષ તપ-તેજ સ્થવિર ભગવંતોનું હોય છે. કેમકે સ્થવિર ભગવંત શાંતિક્ષમ હોય છે.
હે આનંદ ! જેટલું તપ–તેજ સ્થવિર ભગવંતોનું હોય છે, તેના કરતા અનંતગુણ વિશિષ્ટ તપ-તેજ અરિહંત ભગવંતોનું હોય છે. કેમકે અરિહંત ભગવંત ક્ષમા કરવામાં (સર્વાધિક) સમર્થ હોય છે.
હે આનંદ ! મખલિપુત્ર પોતાના તપ-તેજથી એક જ પ્રહારમાં કૂટાઘાત સમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org