SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ આગમ કથાનુયોગ-૨ ત્યાર બાદ તે બાલિકા કોઈ સમયે ગર્ભવતી થશે. પોતાના સાસરેથી પિયર જાતી હશે ત્યારે માર્ગમાં દાવના અગ્રિની જ્વાળાથી બળી જઈને કાળધર્મના સમયે કાળ કરશે. ૦ ગોશાળાનું મનુષ્ય અને દેવરૂપે ભવ ભ્રમણ :-- તે કન્યાના રૂપે કાળ કરીને ગોશાળાનો જીવ અગ્રિકુમાર દેવોમાં દેવ થશે. ત્યારપછી ત્યાંથી નીકળીને મનુષ્યનું શરીર પ્રાપ્ત કરશે, પ્રાપ્ત કરીને કેવલ બોધિ (સમ્યક્ત્વ)ને ધારણ કરશે. ત્યાર પછી મુંડિત થઈને ગૃહ ત્યાગ કરી અણગાર પ્રવજ્યાને અંગીકાર કરશે. ત્યાં પણ વિરાધિત શ્રામસ્યવાળા – વિરાધક થઈને કાળમાસના અવસરે કાળ કરીને દક્ષિણ દિશાના અસુરકુમાર દેવોમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યારપછી દેવભવથી ચ્યવીને ત્યાંથી નીકળીને પુનઃ મનુષ્ય શરીર ધારણ કરશે, ધારણ કરીને કેવલ બોધિને પ્રાપ્ત કરશે, બોધિ પ્રાપ્ત કરીને મુંડિત થઈને ગૃહત્યાગ કરીને અણગાર પ્રવજ્યા અંગીકાર કરશે. ત્યાં પણ વિરાધિત–શ્રામાણ્યવાળો થઈને કાળમાસે કાળ કરીને તે ગોશાળાનો જીવ દક્ષિણ દિશાવર્તી નાગકુમારના દેવોમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યારપછી તે આજ પ્રકારના આલાપક પ્રમાણે દક્ષિણ દિશાવર્ત સુવર્ણકુમાર દેવોમાં ઉત્પન્ન થશે, વિદ્યુતકુમાર દેવોમાં ઉત્પન્ન થશે, અગ્રિકુમાર દેવોને છોડીને – યાવત્ - દક્ષિણ દિશાવર્તી અનિતકુમાર દેવોમાં ઉત્પન્ન થશે. ત્યાર પછી તે ગોશાળાનો જીવ સ્વનિતકુમાર દેવના ભવ થકી નીકળીને મનુષ્ય શરીરને પ્રાપ્ત કરશે. પ્રાપ્ત કરીને તે કેવલબોધિ ગ્રહણ કરશે. ગ્રહણ કરીને અને પંડિત થઈને ગૃહ ત્યાગ કરીને અણગાર પ્રવજ્યા અંગીકાર કરશે. ત્યાં પણ તે વિરાધિત શ્રામણ્યવાળો થઈને જ્યોતિષ્ક દેવ નિકાયમાં દેવ રૂપથી ઉત્પન્ન થશે. ત્યાર પછી ગોશાળાનો જીવ મનુષ્ય શરીરને ધારણ કરશે, ત્યાં કેવલબોધિ ગ્રહણ કરીને મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર દીક્ષાનો સ્વીકાર કરશે. ત્યાં તે શ્રાપ્ય પર્યાયની વિરાધના નહીં કરે કાળ કરીને સૌધર્મકલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાર પછી સૌધર્મ કલ્પથી વિત થઈને ગોશાળાનો જીવ મનુષ્ય શરીરને ધારણ કરશે, ત્યાં પણ શ્રમણ પર્યાયની વિરાધના નહીં કરે, કાળના સમયે કાળ કરીને સનકુમાર કલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યારપછી સનકુમાર કલ્પથી વિત થઈને ગોશાળાનો જીવ જે પ્રકારે સનસ્કુમાર દેવલોકના વિષયમાં કહેવાયું છે, તે જ પ્રકારના આલાપકથી બ્રહ્મલોક, મહાશુક્ર, આનત અને આરણ દેવલોકે ઉત્પન્ન થશે. ત્યાર પછી તે આરણ દેવલોકથી ચ્યવિત થઈને મનુષ્ય શરીરને પ્રાપ્ત કરશે. પ્રાપ્ત કરીને કેવલબોધિને ગ્રહણ કરશે, ગ્રહણ કરીને મુંડિત થઈને ગૃહત્યાગ કરીને અણગાર પ્રવજ્યા અંગીકાર કરશે. ત્યાં પણ તે શ્રમણ પર્યાયની વિરાધના નહીં કરે. કાળ માસે કાળ કરીને તે સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ૦ છેલ્લો દઢપ્રતિજ્ઞનો ભવ અને મોક્ષ ગમન : ત્યાર પછી ગોશાળાનો જીવ સર્વાર્થસિદ્ધ વિમાનથી ઐવિત થઈને મહાવિદેહ ક્ષેત્રમાં જે ધનાઢ્ય – યાવત્ - અપરાભૂત કૂળ છે, તેવા પ્રકારના કુળોમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. જે પ્રમાણે ઉવવાઈ સૂત્રમાં દૃઢપ્રતિજ્ઞનું વર્ણન આવે છે, તે સમગ્ર વક્તવ્યતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy