________________
ગોશાલક કથા
૩૧૧
વેલોમાં તે ઉત્પન્ન થશે.
તે વનસ્પતિકાયિક જીવોના ભવમાં સર્વત્ર શસ્ત્ર વડે ઘાત પામીને અને દાહથી પીડિત થઈને મરણના સમયે મરણ પામીને વાયુકાયિક જીવોના જે ભેદ છે – જેમકે – પૂર્વવાયુ – યાવત્ – શુદ્ધવાયુ – તે–તે ભવોમાં ગોશાળાનો જીવ અનેક લાખો વખત મરી–મરીને પુનઃ પુનઃ વારંવાર તે જ ભવોમાં ઉત્પન્ન થશે.
વાયુકાયિક જીવોના ભવોમાં પણ સર્વત્ર શસ્ત્ર દ્વારા વધ પામીને અને દાહથી આક્રાન્ત થઈને કાળમાસમાં કાળ કરીને જે તેજસ્કાયિકના જીવોના ભેદ છે – જેમકે – અંગાર – યાવત્ – સૂર્યકાંત મણિથી નિશ્રિત અગ્નિ. તેના તેના ભાવોમાં ગોશાળાનો જીવ. અનેક લાખો વખત મરી–મરીને ત્યાં ને ત્યાં જ પુનઃ પુનઃ વારંવાર ઉત્પન્ન થયા કરશે. - તેજસ્કાયિક જીવોના ભવોમાં પણ સર્વત્ર શસ્ત્ર વડે વધ પામીને તથા દાહથી આક્રાન્ત થઈને કાળ માસે કાળ કરીને જે અકાયિક જીવો છે – જેમકે – ઓમ – યાવત - ખાઈનું પાણી, તેના તેના ભાવોમાં અનેક લાખો વખત મરી–મરીને પુનઃ પુનઃ વારંવાર તે–તે ભવોમાં જ ઉત્પન્ન થશે. તેમાં પણ વિશેષ કરીને ખારા પાણી અને ખાઈના પાણીમાં ઉત્પત્તિ પામશે.
અપ્લાયિક જીવોના ભવોમાં પણ તે સર્વત્ર શસ્ત્રથી વધ પામીને અને દાહથી આક્રાન્ત થઈને કાળ માસના સમયે કાળ કરીને જે પૃથ્વીકાયિક જીવોના ભેદ છે – જેમકે – પૃથ્વી, શર્કરા – યાવત્ – સૂર્યકાંત મણિ, ગોશાળાનો જીવ તે–તે ભવોમાં અનેક લાખો વખત મરી–મરીને પણ ત્યાં જ વારંવાર ઉત્પન્ન થશે. તેમાં પણ તે વિશેષે કરીને ખર બાદર પૃથ્વીકાયિક જીવોમાં ઉત્પન્ન થશે.
(* આ રીતે તિર્યંચ યોનિમાં દીર્ઘકાળ તે ભવ ભ્રમણ કરશે.) ૦ ગોશાળાનું તુચ્છ સ્ત્રી ભવમાં ભ્રમણ :
પૃથ્વીકાયિકના ભવોમાં પણ સર્વત્ર શસ્ત્રથી વધ પામીને અને દાહથી આક્રાન્ત થઈને કાળધર્મના સમયે કાળ કરીને ગોશાળાનો જીવ રાજગૃહ નગરની બહાર નોકરાણીના રૂપે ઉત્પન્ન થશે. ત્યાં પણ તે શસ્ત્રથી વધુ પામશે, તેના શરીરમાં દાહ ઉત્પન્ન થશે અને દાહથી આક્રાન્ત થઈને કાળમાસે કાળ કરીને બીજી વાર પણ તે રાજગૃહ નગરીની અંદર નોકરાણીરૂપે તે ઉત્પન્ન થશે.
તે નોકરાણીના ભાવમાં પણ તે શસ્ત્રથી વધુ પામશે અને દાહથી આક્રાન્ત થઈને મરણના સમયમાં મરણ પામીને આ જ જંબૂઢીપના ભરતક્ષેત્રમાં વિન્ય પર્વતની તળેટીમાં સ્થિત બેભેલ સનિવેશમાં બ્રાહ્મણ કુળમાં કોઈ એક બાલિકાના રૂપમાં ઉત્પન્ન થશે.
- ત્યાર પછી જ્યારે તે બાલિકા બાલ્યાવસ્થાનો ત્યાગ કરીને યૌવનાવસ્થાને પ્રાપ્ત થશે, ત્યારે તેણીના માતા-પિતા ઉચિત દ્રવ્ય અને ઉચિત વિનય દ્વારા, કોઈ યોગ્ય પતિને પત્નીના રૂપમાં પ્રદાન કરશે. તે તે કન્યાની ઇષ્ટ, કાન્ત – યાવત્ - અનુમત આભુષણોના કરંડિયા સમાન, તેલની કુપ્પીની સમાન, અત્યંત સુરક્ષિત વસ્ત્રની પેટીની સમાન, સુસંગૃહીત, રત્ન કરંડિકાની સામાન સુરક્ષિત શીત, ઉષ્ણ – યાવતુ - પરીષહ – ઉપસર્ગ પણ તે બાલિકાને સ્પર્શ ન કરે, એ પ્રમાણેની અત્યંત સંગોપિત પત્નીની સમાન રાખશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org