________________
૩૦૨
આગમ કથાનુયોગ-૨
૦ સર્વાનુભૂતિ અણગારની ગતિ:
હે ભગવંત! આ પ્રમાણે કહીને ભગવદ્ ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને વંદનનમસ્કાર કર્યા. વદન–નમસ્કાર કરીને પૂછ્યું, હે ભગવન્! આપ દેવાનુપ્રિયના અંતેવાસીપૂર્વદેશના નિવાસી, પ્રકૃતિથી ભદ્ર – યાવત્ – વિનીત એવા સર્વાનુભૂતિ અણગાર તે જ સમયે ગોશાલક મંખલિપુત્ર દ્વારા તેના તપતેજથી બાળીને ભસ્મરાશિ કરી દેવામાં આવ્યા હતા, તે કાળધર્મ પામીને ક્યાં ગયા ? ક્યાં ઉત્પન્ન થયા છે ?
હે ગૌતમ ! પૂર્વ દેશમાં ઉત્પન્ન, પ્રકૃત્તિથી ભદ્ર – યાવત્ – વિનીત, મારા અંતેવાસી સર્વાનુભૂતિ નામના અણગાર જે તે સમયે ગોશાલક મંખલિપુત્રના તપ અને તેજથી બાળીને ભસ્મરાશિ કરી દેવાયા હતા, તે ચંદ્ર અને સૂર્યથી પણ ખૂબ ઊંચે, સૌધર્મ અને ઇશાન દેવલોકથી પણ ઉપર – યાવત્ – બ્રહ્મલોક, લાંતક કલ્પ અને મહાશુક્ર દેવલોકને પણ ઉબંધીને આઠમાં સહસ્ત્રારકલ્પ નામક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયેલા છે.
ત્યાં કેટલાંયે દેવોની અઢાર સાગરોપમની સ્થિતિ કહેવાઈ છે. ત્યાં તે સર્વાનુભૂતિ દેવની પણ અઢાર સાગરોપમની સ્થિતિ છે.
' હે ભગવંત ! તે સર્વાનુભૂતિ દેવ ત્યાંના દેવભવના આયુષ્યનો ક્ષય કરીને, ભવ સ્થિતિનો ક્ષય કરીને, સ્થિતિનો ક્ષય કરીને ત્યાર પછી તે દેવભવથી ઐવિત થઈને પછી ક્યાં જશે અર્થાત્ કઈ ગતિમાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ?
હે ગૌતમ ! સર્વાનુભૂતિ દેવ, ત્યાં દેવ ભવના આયુષ્યનો, ભવનો અને સ્થિતિનો ક્ષય કરીને પછી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે, ત્યાં સિદ્ધિને પ્રાપ્ત કરશે અર્થાત્ મોક્ષે જશે – યાવત્ – તે સર્વ દુઃખોનો અંત કરનારા થશે. ૦ સુનક્ષત્ર અણગારની ગતિ :
એ જ પ્રમાણે હે ભગવંત ! આપ દેવાનુપ્રિયના અંતેવાસી કોશલ દેશમાં ઉત્પન્ન થયેલા અને પ્રકૃત્તિથી ભદ્ર – યાવત્ – વિનીત સુનક્ષત્ર નામના જે અણગાર હતા, તે પણ હે ભગવંત! તે સમયે ગોશાલક મંખલિપુત્ર દ્વારા તેના તપ અને તેજથી પરિતાપિત કરાયા હતા અને પછી અનુક્રમે કાળના સમયે કાળધર્મ પામ્યા હતા. તે સુનક્ષત્ર અણગાર ક્યાં ગયા ? ક્યાં ઉત્પન્ન થયા ?
હે ગૌતમ ! પ્રકૃતિથી ભદ્ર – યાવત્ – વિનીત એવા મારા જે સુનક્ષત્ર નામના અણગાર અંતેવાસી હતા, તે એ સમયે ગોશાળા મંખલિપુત્રના તપ અને તેજથી પરિતાપિતા થઈને, જ્યાં હું હતો ત્યાં આવ્યા, આવીને તેણે મને વંદન અને નમસ્કાર કર્યા વંદન અને નમસ્કાર કરીને સ્વયમેવ પાંચ મહાવ્રતોનું ઉચ્ચારણ કર્યું હતું (અર્થાત્ પુનઃ સ્વીકાર કર્યો હતો), ઉચ્ચારણ કરીને તેણે શ્રમણ અને શ્રમણીઓને ખમાવ્યા હતા. ખમાવ્યા પછી આલોચના અને પ્રતિક્રમણ કર્યા હતા. ત્યાર પછી સમાધિને પ્રાપ્ત કરીને કાળના સમયે કાળ કરીને ઊંચે, ખૂબ જ ઊંચે ચંદ્ર અને સૂર્યથી પણ ઊંચે સૌધર્મ અને ઇશાન કલ્પથી પણ ઉપર, સનસ્કુમાર અને માહેન્દ્ર દેવલોકથી ઉપર, બ્રહ્મલોક-લાંતક મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પથી પણ ઉપર – યાવત્ – આણત, પ્રાણત, આરણ કલ્પનું ઉલ્લંઘન કરીને બારમાં અય્યત દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org