SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ગોશાલક કથા ૩૦૩ બારમાં અય્યતકલ્પમાં કેટલાંક–કેટલાંક દેવોની સ્થિતિ બાવીશ સાગરોપમની હોય છે. ત્યાં તે સુનક્ષત્ર દેવની પણ સ્થિતિ બાવીશ સાગરોપમની થઈ છે. હે ભગવન્! તે સુનક્ષત્ર દેવ, દેવ ભવના આયુનો ક્ષય કરીને, ભવનો ક્ષય કરીને અને સ્થિતિનો ક્ષય કરીને અનન્તર તે દેવલોકથી ઐવિત થયા બાદ ક્યાં જશે? અર્થાત્ તેઓ ત્યાંથી કઈ ગતિમાં જશે ? અને ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! સુનક્ષત્ર દેવ, દેવભવના આયુનો ક્ષય કરીને, ભવનો ક્ષય કરીને અને સ્થિતિનો ક્ષય કરીને ત્યાંથી ચ્યવ્યા બાદ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે, ત્યાં ઉત્પન્ન થઈને - યાવત્ – સિદ્ધ થશે અર્થાત્ મોક્ષે જશે અને સમસ્ત દુઃખોનો અંત કરશે. (અહીં સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ આણગારનું શેષ કથન પણ કથાનો સંબંધ જાળવવા પૂરતું જ કરેલ છે. બાકી આ બંને મુનિઓનો નિર્દેશ શ્રમણ કથાનક વિભાગમાં આવવાનો જ છે. – ૪ – ૪ – હવે ગોશાલકના મૂળ કથાનકનો સંબંધ અહીં પુનઃ આરંભ થાય છે.) ૦ ગોશાળાની દેવલોકે ઉત્પત્તિ : (ગોશાળાનો પૂર્વભવ ઈશ્વરથી શરૂ થયો હતો – અહીંથી તેની ભાવિ ભવપરંપરા શરૂ થાય છે.) હે ભગવન્! આપ દેવાનુપ્રિયનો અંતેવાસી કુશિષ્ય જે મખલિપુત્ર ગોશાલક હતો, તે મખલિપુત્ર ગોશાલ કાળ સમયે કાળ કરીને ક્યાં ગયો ? ક્યાં ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! મારો અંતેવાસી કુશિષ્ય ગોશાલક મંખલિપુત્ર જે શ્રમણ ઘાતક હતો - યાવત્ – તે કાળ કરીને છદ્મસ્થાવસ્થામાં જ મૃત્યુ પામીને ઉપર ચંદ્ર અને સૂર્ય કરતા પણ ઘણે ઊંચે સૌધર્મ અને ઇશાન દેવલોકથી પણ ઘણે ઊંચે – યાવત્ – બારમાં અશ્રુત કલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થયેલો છે. ત્યાં કેટલાંયે દેવોની સ્થિતિ બાવીશ સાગરોપમની કહેવાઈ છે. તેમાં ગોશાળા મંખલિપુત્રની સ્થિતિ પણ બાવીશ સાગરોપમની છે. ૦ ગોશાળાનો મહાપદ્મ રાજાનો ભવ : હે ભગવંતુ ! તે ગોશાલ દેવ દેવભવનો આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિશય થયા પછી તે દેવલોકથી ચ્યવીને ક્યાં જશે ? અર્થાત્ કઈ ગતિમાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ ! આ જ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં વિંધ્યગિરિ પર્વતની તળેટીમાં પુરૂદેશના શતકાર નગરમાં સંભૂતિ નામના રાજાની ભદ્રા નામે પત્નીની કુક્ષિમાં તે પુત્રરૂપે ઉત્પન્ન થશે. ત્યાં બરાબર નવમાસ પ્રતિપૂર્ણ થયા પછી સાડા સાત રાત્રિ-દિવસ વ્યતિક્રાંત થયા પછી – યાવત્ – એક સુંદર બાળકને જન્મ આપશે. જે રાત્રિએ તે બાળકનો જન્મ થશે, તે રાત્રિમાં શતધાર નગરની અંદર અને બહાર અનેક ભાર પ્રમાણ અને અનેક કુંભ પ્રમાણ પડ્યો અને રત્નોની વૃષ્ટિ થશે. ત્યાર પછી તે બાળકના માતા-પિતા અગિયાર દિવસ વીતી ગયા પછી જાતકર્મ સંબંધિ અશુચિનું નિવારણ કરશે. તે કર્યા પછી બારમા દિવસે આ આવા પ્રકારનું તે બાળકનું ગુણ નિષ્પન્ન નામકરણ કરશે – કેમકે અમારો આ બાળક ઉત્પન્ન થયો ત્યારે શતહાર નગરની બહાર અને અંદર ભાર પ્રમાણ અને કુંભ પ્રમાણ પધો અને રત્નોની વૃષ્ટિ થઈ હતી, તેથી કરીને અમારા આ બાળકનું નામ મહાપદ્મ થાઓ. આ પ્રમાણે વિચાર કરીને તે બાળકના માતાપિતા તે બાળકનું મહાપદ્મ એવું નામકરણ કરશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy