SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ આગમ કથાનુયોગ-૨ ત્યાર પછી માતા–પિતા તે મહાપઘ બાળકને કંઈક અધિક આઠ વર્ષનો થયેલો જાણીને શુભતિથિ, શુભકરણ, શુભ દિવસ, નક્ષત્ર અને મુહૂર્તમાં મહાન્ સમારોહપૂર્વક તેનો રાજ્યાભિષેક કરશે. જેનાથી તે મહાહિમવનું, મલય, મંદર આદિ પર્વતોની સમાન પ્રસિદ્ધ એવો મહાન્ રાજા થઈ જશે ઇત્યાદિ વર્ણન કરી લેવું – યાવત્ – વિચરણ કરશે. ૦ મહાપદ્મનું દેવસેન એવું બીજું નામ થશે : ત્યાર પછી કોઈ એક સમયે તે મહાપદ્મ રાજાને મહર્તિક – યાવતુ – મહાસુખવાળા એવા બે દેવ સેનાકર્મ કરશે અર્થાત્ સેનાનું આધિપત્ય કરશે. તે બે દેવોનું નામ આ પ્રમાણે હશે – ૧. પૂર્ણભદ્ર અને ૨. માણિભદ્ર. તે વખતે શતદ્વાર નગરમાં ઘણાં બધાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ પરસ્પર એકબીજાને બોલાવશે અને બોલાવીને આ પ્રમાણે કહેશે– હે દેવાનુપ્રિયો ! આપણા આ મહાપદ્મરાજાને મહર્તિક – યાવત્ – મહાસુખલાલા પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામના બે દેવ સેનાકર્મ કરે છે અર્થાત્ સેનાનું આધિપત્ય કરી રહ્યા છે. તેથી હે દેવાનુપ્રિયો ! આપણા આ મહાપા રાજાનું બીજું નામ દેવસેન” થાઓ. ત્યારે તે મહાપદ્મ રાજાનું બીજું નામ “દેવસેન” એ પ્રમાણે પ્રસિદ્ધ થયું. ૦ મહાપદ્યનું ત્રીજું નામ વિમલવાહન થશે : ( રાજા શ્રેણિકનો આગામી ભવ, જેમાં તે પહેલા તીર્થકર થશે તેના ત્રણ નામો પણ આ જ પ્રમાણે મહાપા, દેવસેન અને વિમલવાહન બતાવેલા છે. તેમનો જન્મ પણ ભરતક્ષેત્રના વિંધ્યગિરિ પર્વતની તળેટીમાં પડદેશના શતકાર નગરમાં થયાનું જણાવેલ છે, તેને પણ સંભૂતિ કુલકર અને ભદ્રા માતાના પુત્ર કહેલા છે – જુઓ ઠાણાંગ-સ્થાન-૯ સૂત્ર-૮૭૨; આ બંને કથાનકો બધાં જ નામોનું આટલું સામ્ય કિંચિંત્ વિભ્રમ ઊભો કરે છે. “શું ખરેખર આ બધાં નામો સમાન હશે ? કે પછી વાચનાભેદથી કંઈક કથા મિશ્રણ થયું હશે ? બહુશ્રતો જ આ શંકાનું સમાધાન આપી શકે.) ત્યાર પછી કોઈ એક દિવસે તે (મહાપા) દેવસેન રાજાને ત્યાં શંખતલની સમાન નિર્મળ અને શ્વેત એવા ચાર દાંતવાળો એક હસ્તીરત્ન ઉપસ્થિત થશે. ત્યારે તે દેવસેન રાજા તે શંખતલની સમાન નિર્મલ પ્રભાવાળા ચાર દાંતોવાળા હસ્તીરત્ન પર આરૂઢ થઈને શતકાર નગરના ઘણાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ એકબીજાને બોલાવશે અને બોલાવીને આ પ્રમાણે કહેશે હે દેવાનુપ્રિયો ! કેમકે આપણા દેવસેને રાજાને ત્યાં શંખતલ સમાન નિર્મળ, ચાર દાંતોવાળો હસ્તીરત્ન ઉત્પન્ન થયેલ છે, તેથી હે દેવાનુપ્રિયો ! આપણા (મહાપદ્મ) દેવસેન રાજાનું ત્રીજું નામ વિમલવાહન થાઓ. ત્યારે તે (મહાપા) દેવસેન રાજાનું ત્રીજું નામ વિમલવાહન થશે. આ રીતે ગોશાળાના મહાપા રાજાના ભવમાં ત્રણ નામો પ્રસિદ્ધ થશે – ૧. મહાપદ્મ, ૨. દેવસેન અને ૩. વિમલવાહન. ૦ વિમલવાહનનું નિર્ચન્થો સાથે પ્રતિકૂલ આચરણ : - ત્યાર પછી તે વિમલવાહન રાજા કોઈ એક સમયે શ્રમણ-નિર્ચન્થોની સાથે મિથ્યા–અનાર્યપણાનું આચરણ કરશે, કોઈના પરત્વે આક્રોશ કરશે, કોઈ પરત્વે હાંસી કરશે, કોઈકોઈને એકબીજાથી અલગ કરશે, કેટલાયની ભર્સના કરશે, કોઈને બાંધશે, કોઈને ઉપદ્રાવિત કરશે, કોઈ—કોઈના વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંછનકને તોડી નાખશે, ફોડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy