________________
ગોશાલક કથા
૩૦૧
બોલવા લાગ્યા, પ્રજ્ઞાપના કરવા લાગ્યા અને પ્રરૂપણા કરવા લાગ્યા કે, હે દેવાનુપ્રિયો ! રેવતી ગાથાપત્ની ધન્ય છે, હે દેવાનુપ્રિયો ! રેવતી ગાથાપત્ની કૃતાર્થ છે, હે દેવાનુપ્રિયો! રેવતી ગાથાપત્ની કૃતિપુણ્યા છે. હે દેવાનુપ્રિયો ! રેવતી ગાથાપત્ની કૃતલક્ષણા છે, હે દેવાનુપ્રિયો ! રેવતી ગાથાપત્નીએ પોતાના બંને લોકને સફળ કરી લીધા છે. તે દેવાનુપ્રિયો! રેવતી ગાથાપનીએ પોતાના મનુષ્ય જન્મ અને જીવનનું સફળ પ્રાપ્ત કરી લીધેલ છે. જેણીના ઘરમાં તથારૂપ સાધુને સારા પ્રકારે પ્રતિલાભિત કર્યા. એ પ્રમાણે પ્રતિલાભિત કરવાથી રેવતી ગાથાપત્નીના ઘરમાં પાંચ દિવ્યો પ્રગટ થયા તે આ પ્રમાણે–
૧. વસુધારા-ધનની વૃષ્ટિ, ૨. પંચરંગી પુષ્પોની વૃષ્ટિ, ૩. વસ્ત્રોની વૃષ્ટિ, ૪. આકાશમાં દેવદંભીનો નાદ અને ૫. ગગનમંડલમાં “અહોદાન–અહોદાન” એ પ્રમાણેની ઉદ્દઘોષણા. તેથી રેવતીગાથાપત્ની ધન્યા છે, કૃતાર્યા છે, કૃતપુણ્યા છે, કૃતલક્ષણા છે, તેણીએ પોતાનો આલોક અને પરલોક બંનેને સફળ કરી લીધો છે, તેણીને મનુષ્ય જન્મ અને જીવનનું સફળ પ્રાપ્ત કરી લીધેલ છે. ૦ સિંહ અણગારનું આગમન :
ત્યાર પછી સિંહ અણગાર રેવતી ગાથાપત્નીના ઘરેથી નીકળ્યા, નીકળીને મેંઢિક ગ્રામ નગરના ઠીક મધ્ય ભાગમાંથી નીકળ્યા. નીકળીને ગૌતમ સ્વામીની સમાન ચાલતાચાલતા – યાવત્ – જ્યાં કોષ્ટક ચૈત્ય હતું, જ્યાં ભગવંત મહાવીર બિરાજમાન હતા
ત્યાં આવ્યા. – યાવત્ – દરિયાપથ પ્રતિક્રમી, ગૌચરી આલોવીને ભગવંત મહાવીરને આહાર પાણી દેખાડ્યા, દેખાડીને તે સર્વ આહાર–પાણી શ્રમણ ભગવંત મહાવીરના હાથમાં સમ્યક્ પ્રકારે રાખી દીધા.
(અહીં મુખ્યત્વે ગોશાલકનું જ કથાનક છે, અવાંતર વાતરૂપે તથા ભગવંત મહાવીરને અચ્છેરારૂપે થયેલ ઉપસર્ગ ગોશાળા નિમિત્તે થયેલો હોવાથી, કેવળ સંબંધનો ઘટનાક્રમ અખંડિત રાખવા માટે સિંહ અણગાર તથા રેવતી શ્રાવિકાનો ઉલ્લેખ કરેલ છે. તો પણ શ્રમણ કથાનક વિભાગમાં સિંહ અણગારનો અને રેવતી શ્રાવિકાનો ઉલ્લેખ શ્રાવિકા–શ્રમણોપાસિકા કથાનક વિભાગમાં નિર્દેશ તો કરેલ જ છે) ૦ ભગવંતને રોગમુક્તિ :
ત્યાર પછી ભગવંત મહાવીરે તે આહારને મૂચ્છરહિત થઈને ગૃદ્ધિરહિત, આસક્તિરહિત, લાલસારહિતપણે, જે રીતે સર્પ બિલમાં પ્રવેશ કરે (ત્યારે વાંકોચૂંકો ચાલ્યા વગર સીધો જ સડસડાટ બિલમાં પ્રવેશ કરી દે તેમ) પોતાના શરીરરૂપી કોઠામાં તે આહારને પ્રક્ષેપ કરી દીધો અર્થાત્ બીજોરા પાક વાપરી ગયા.
ત્યારે તે આહારને (બીજોરા પાકને) ખાવાથી શ્રમણ ભગવંત મહાવીરનો તે મહાપીડાકારી રોગાતંક જલ્દીથી ઉપશાંત થઈ ગયો, તેઓ હૃષ્ટ–પુષ્ટ, નિરોગી અને બળવાનું શરીરવાળા થઈ ગયા. તેના કારણે બધાં જ શ્રમણો સંતુષ્ટ અર્થાત્ પ્રસન્ન થઈ ગયા, બધાં જ શ્રમણીઓ સંતુષ્ટ થઈ ગયા, બધાં જ શ્રાવકો સંતુષ્ટ થઈ ગયા, બધાં જ શ્રાવિકાઓ સંતુષ્ટ થઈ ગયા. એ જ પ્રમાણે દેવો સંતુષ્ટ થઈ ગયા, દેવીઓ સંતુષ્ટ થયા. આ પ્રકારે દવ–મનુષ્ય અને અસુરો સહિત સમગ્ર લોક હર્ષિત અને સંતુષ્ટ થયો કે શ્રમણ ભગવંત મહાવીર હવે હૃષ્ટ, પુષ્ટ, નિરોગી અને બળવાનું શરીરવાળા થઈ ગયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org