________________
આગમ કથાનુયોગ-૨
મૂલ્યવાન્ વસ્ત્રો તથા બીજી પણ રાજાઓને દેવા યોગ્ય ઉત્તમ વસ્તુઓ અને રાજાઓને અભીષ્ટ ચીજો જ લઈને સેનાપતિ પાસે ઉપહાર સ્વરૂપે મૂકી, વારંવાર મસ્તકે અંજલી કરી, પ્રણામ કરી આ પ્રમાણે બોલ્યા, તમે અમારા સ્વામી છો. જેમ દેવનું શરણું લેવાય છે તેમ અમે તમારી શરણાં આવ્યા છીએ. અમે તમારા દેશવાસી છીએ. પછી સેનાપતિનો જયજયકાર કરવા લાગ્યા. પછી સુષેણ સેનાપતિએ યોગ્યતાનુસાર તેમને તેમની રાજ્યગાદી પર સ્થાપિત કર્યા, સત્કાર, સન્માન કરી વિદાય કર્યા. તે બધાં પોતાના નગર—પટ્ટણ આદિમાં પાછા ફર્યા.
૦ સુષેણ સેનાપતિ દ્વારા ભરતરાજાને ઉપહાર અર્પણ :
૫૪
તત્પશ્ચાત્ અપ્રતિહત શાસન અને બળવાળા સુષેણ સેનાપતિએ પ્રાપ્ત ઉપહાર, આભરણ, આભુષણ, રત્નો આદિને સવિનય લાવીને પુનઃ તે સિંધુ નામક સ્થાનને પાર કર્યું. સર્વ વૃત્તાંતનું ભરત રાજાને નિવેદન કર્યું. નિવેદન કરીને પ્રાપ્ત સર્વ ઉપહાર અર્પણ કર્યો. સત્કાર–સન્માન પામેલ તથા સહર્ષ વિદાય પામીને તે પોતાના પટમંડપમાં આવ્યો. ત્યાર પછી સુષેણ સેનાપતિએ સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ કર્યા. ભોજન કર્યું - યાવત્ – શરીર પર ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો. પછી સુષેણ સેનાપતિ ઉત્તમ પ્રાસાદમાં ગયો. ત્યાં મૃદંગનાદ સાથે ઉત્તમ તરુણીઓ દ્વારા થતા બત્રીશ પ્રકારના નાટકો જોતો, સંગીત સાંભળતો તથા જોર—જોરથી વગાડાઈ રહેલા નાટ્ય, ગીત, વાદ્ય, તંત્રી, તલતાલ, તૂરિય, ઘન મૃદંગ આદિના ધ્વનિઓ સાથે ઇષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ એ પાંચ પ્રકારના મનુષ્ય સંબંધિ કામભોગોને ભોગવતો વિચરે છે. ૦ સુષેણ સેનાપતિએ કરેલ તિમિસ્ર ગુફા દ્વારોદ્ઘાટન :–
-
ત્યાર પછી કોઈ દિવસે ભરત રાજાએ સુષેણ સેનાપતિને બોલાવ્યો. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તું જલ્દીથી જા અને તિમિસ્ર ગુફાની દક્ષિણ બાજુના દ્વારના કમાડને ઉઘાડ. ઉઘાડીને મારી આજ્ઞાનું પાલન થયાનું મને જણાવ. ત્યારે ભરતરાજાની આ આજ્ઞા સાંભળીને તે સુષેણ સેનાપતિ હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્તવાળો થયો – યાવત્ – બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડી – યાવત્ - આજ્ઞાવચનોને સ્વીકારે છે. સ્વીકારીને ભરતરાજા પાસેથી બહાર નીકળે છે. નીકળીને જ્યાં પોતાનો આવાસ છે ત્યાં આવે છે. જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવે છે. ત્યાં આવીને દર્ભના સંથારા પર બેસે છે યાવત્ કૃતમાલ દેવના નિમિત્તે અઠમ તપ કરે છે. પૌષધશાળામાં પૌષધવ્રતી માફક બ્રહ્મચર્ય ધારણ કરી – યાવત્ – અટ્ઠમતપને પૂર્ણ કરી પૌષધશાળાની બહાર નીકળ્યો. નીકળીને જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં આવ્યો. આવીને સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ–સ્વચ્છ મંગલરૂપ વસ્ત્રો પહેર્યા. અલ્પ પણ મહામૂલ્યવાન્ આભરણોથી શરીરને અલંકૃત્ કર્યું. હાથમાં ધૂપ, પુષ્પ, સુગંધીમાળાઓ લઈને સ્નાનગૃહથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં તિમિસ્ર ગુફાનું દક્ષિણ દિશાવર્તી દ્વાર હતું તે તરફ પ્રયાણ કર્યું.
યાવત્ –
ત્યારે તે સુષેણ સેનાપતિના ઘણાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક સાર્થવાહ પ્રભૂતિ હતા. જેમાંથી કેટલાંકે હાથોમાં કમળ લીધું હતું – યાવત્ – સુષેણ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International