________________
ચક્રવર્તી . ભરત કથા
-
રથ, ઉત્તમ યોદ્ધાઓથી યુક્ત – યાવત્ - ચતુરંગિણી સેનાને તૈયાર કરો. એ પ્રમાણે કહીને, જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં આવ્યો. આવીને સ્નાનગૃહમાં પ્રવેશ કર્યો. પ્રવેશીને સ્નાન કર્યું. બલિકર્મ કર્યું. કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કરીને યુદ્ધ માટે તૈયાર થયો. કવચ ધારણ કર્યું. ગ્રીવાબંધ પહેર્યો. શરીર પર વિમલ અને ઉત્તમ ચિહ્નપટ્ટ બાંધ્યા. આયુધ—પ્રહરણ ગ્રહણ કર્યા. અનેક ગણનાયકો, દંડનાયકો આદિથી પરિવૃત્ત થઈને, કોરંટ પુષ્પોની માળાઓથી સુશોભિત છત્ર ધારણ કર્યું. લોકો જય જય સૂચક શબ્દો બોલે છે. સ્નાનગૃહથી નીકળી જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી, જ્યાં આભિષેક્ષ્ય હસ્તિરત્ન હતો, ત્યાં આવીને આભિષેક્ય હસ્તિરત્ન પર આરૂઢ થયો.
ત્યાર પછી હાથી પર બેસેલો અને મસ્તક પર કોરંટ પુષ્પમાળાવાળા છત્રને ધારણ કરેલો, ઘોડા, હાથી, રથ અને પ્રવર યોદ્ધા સહિતની ચતુરંગિણી સેનાથી સંપરિવૃત્ત થયેલો અને મહાન સુભટોના સમૂહથી ઘેરાયેલો તે સુષેણ સેનાપતિ, મહાન્ ગગનભેદી સિંહનાદ આદિ અનેક પ્રકારના કોલાહલો દ્વારા સમુદ્ર ગર્જના સમાન નાદ કરતો એવો, સર્વ પ્રકારની ઋદ્ધિ, દ્યુતિ, બળ સહિત – યાવત્ – નિર્દોષ નાદપૂર્વક જ્યાં સિંધુ મહાનદી હતી, ત્યાં આવ્યો. આવીને ચર્મરત્નને હાથમાં લીધું.
તે ચર્મરત્નનો આકાર શ્રી વત્સ જેવો હતો. તેમાં મોતી, અર્ધતારા અને ચંદ્ર જેવા ચિત્રો બનેલા હતા. તે અચલ અને અકંપ હતું. અભેદ્ય કવચ જેવું હતું. નદી અને સમુદ્ર પાર કરવાના યંત્રરૂપ હતું. એવા એ દિવ્ય ચર્મરત્ન પર સત્તર પ્રકારના ધાન્યો – જેમાં સત્તરમું ધાન્ય શણ છે તે વાવવાથી એક જ દિવસમાં ઉગી જતા હતા. વર્ષાની આશંકા હોય ત્યારે ચક્રવર્તી દ્વારા સ્પર્શ કરવાથી તે દિવ્ય ચર્મરત્ન તિ બારયોજનથી કંઈક વધારે ફેલાઈ જતું હતું. તે વખતે સુષેણ સેનાપતિ દ્વારા સ્પર્શ કરાયેલ તે દિવ્ય ચર્મરત્ન શીઘ્રતયા નાવ જેવું બની ગયું. ત્યારે તે સુષેણ સેનાપતિ નાવ સમાન બનેલા તે દિવ્ય ચર્મરત્ન પર સ્કંધાવાર, સૈન્ય, વાહન સહિત આરૂઢ થયો. આરૂઢ થઈને નિર્મલ પાણીના ઉછળતા તરંગોવાળી સિંધુ મહાનદીને આ નૌકારૂપ બનેલા ચર્મરત્ન દ્વારા બળ, વાહન અને સૈન્ય સહિત પાર કરી ગયો.
.
સુષેણ સેનાપતિ દ્વારા સિંહલ આદિ દેશ પર વિજય :
મહાનદીને પાર કરીને સિંધુ પ્રદેશ પર અપ્રતિહત શાસન સ્થાપિત કર્યા પછી કેટલાંયે ગામ, નગર, આકર, પર્વતો ઉપર વસેલા ખેડા, કર્બટ, મડંબ અને પટ્ટણો તથા સિંહલ દેશ, બર્બર દેશ, સમસ્ત અંગલોક, બલાયાલોક, ઉત્તમ મણિરત્ન સુવર્ણના કોષ્ઠાગારોથી સમૃદ્ધ પરમ રમણીય યવનદ્વીપને તથા અરબ, રોમ અને અલસંડ દેશવાસી, કાળામુખવાળા યવન લોકોને તથા ઉત્તમ વૈતાઢ્ય પર્વતના કિનારે વસેલી સમસ્ત મ્લેચ્છ જાતિઓ આદિ બધાં પ્રકારની પ્રજાઓને તેમજ નૈઋત્ય ખૂણામાં – યાવત્ – સિંધુસાગર અંતર્વતી દ્વીપોની પ્રજાઓ અને સમસ્ત પ્રવર કચ્છને અધીન કરીને તે સુષેણ સેનાપતિ પાછો આવ્યો અને બહુસમરમણીય કચ્છ પ્રદેશમાં આવીને સુખપૂર્વક બેઠો.
તે સમયે તે—તે દેશો, નગરો, પટ્ટણોના જે—જે સ્વામી હતા. તે બધાં તથા આકરપતિ, મંડલપતિ અને પટ્ટણપતિ હતા તે બધાં ભેટ, આભરણ, ભૂષણ, રત્ન,
Jain Education International
-
૫૩
For Private & Personal Use Only
www.jainelibrary.org